ETV Bharat / state

વડોદરાની પાર્થ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રાજકારણના પાઠ શીખડાવતા શિક્ષકે શિક્ષણને કર્યુ રમણ ભમણ

author img

By

Published : Oct 14, 2021, 2:49 PM IST

વડોદરાના એક શિક્ષકે શાળામાં વિધાર્થીઓને શિક્ષણની જગ્યાએ રાજકારણના રમકડા ભણાયા છે. વડોદરાની પાર્થ સ્કૂલમાં સમાજશાસ્ત્રના રાજ ભટ્ટ નામના શિક્ષકે વિદ્યાર્થીઓને શીખવાડ્યું કે, કોંગ્રેસમાં બધા ચોર છે, ગાંધીજી અને નહેરૂની મિલીભગત હતા. વિદ્યાર્થીઓને રાજકારણ પાઠ શીખડાવતા શિક્ષકે શિક્ષણને કર્યુ રમણ ભમણ.

વડોદરાની પાર્થ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રાજકારણના પાઠ શીખડાવતા શિક્ષકે શિક્ષણને કર્યુ રમણ ભમણ
વડોદરાની પાર્થ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રાજકારણના પાઠ શીખડાવતા શિક્ષકે શિક્ષણને કર્યુ રમણ ભમણ
  • ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓના ક્લાસમાં રાજકારણની બફાટુ મારી
  • ગાંધીજી અને નહેરૂની મિલીભગત હતાઃ શિક્ષક
  • શિક્ષકનો વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો

વડોદરાઃ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાર્થ સ્કૂલના સમાજશાસ્ત્રના શિક્ષક વિદ્યાર્થીઓને અજીબ પ્રકારનું શિક્ષણ આપીને વિવાદમાં આવ્યા છે. શિક્ષક રાજ ભટ્ટે ઓનલાઇન વર્ગમાં ગાંધીજી અને નહેરૂ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓેને ભણાવતા શિક્ષક રાજ ભટ્ટે વિદ્યાર્થીઓને શીખવાડ્યું કે, કોંગ્રેસમાં બધા ચોર છે, ગાંધીજી અને નહેરૂની મિલીભગત હતા. સાથે જ શિક્ષકે વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગમાં ઇતિહાસ વિશે ખોટી માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યુ કે, હાલમાં કેટલીક પોલિટિકલ પાર્ટી એવી છે જે હિન્દુ મુસ્લિમમાં ભાગલા પાડવામાં માને છે. પાર્થ સ્કૂલના પ્રિન્સિપાલ સ્નેહલ પટેલે શિક્ષકને નોટિસ આપી લેખિતમાં ખુલાસો માંગ્યો છે.

વડોદરાની કારેલીબાગ સ્થિત પાર્થ સ્કૂલમાં હાલમાં કેટલાક વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી અભ્યાસ કરાવવામાં આવે છે. તો કેટલાક વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ધોરણ 8થી 10 ના વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્રના અભ્યાસક્રમ સિવાયની કેટલીક બાબતો શિક્ષક દ્વારા ભણાવવામાં આવતી હોવાથી વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચોઃ "મારો ફોટો મોબાઈલમાં કેમ ચડાવ્યો" કહી વિદ્યાર્થીને માર મારતાં શિક્ષક સામે પિતાની પોલીસ ફરિયાદ

શિક્ષક રાજ ભટ્ટે નાના બાળકોને રાજકારણના બણગા ભણાવ્યા

શિક્ષક રાજ ભટ્ટ દ્વારા સમાજશાસ્ત્રોના અભ્યાસ સમયે વિદ્યાર્થીઓને એવું જણાવ્યું હતું કે વર્ષો પહેલા ગોરખપુરમાં ઉપવાસ પર ઉતરેલા ભારતીય લોકો ઉપર પોલીસે લાઠીચાર્જ કરી ઘાયલ કર્યા હતા અને તેમાં કેટલાકના મોત પણ થયા હતા. એ પછી લોકોએ ઉશ્કેરાઇને પોલીસ સ્ટેશનમાં ફરજ પર બ્રિટિશ ભાઈને મારી નાંખ્યા હતા. તેથી ગાંધીજીને ઝટકો લાગ્યો હતો.

શિક્ષકે વિદ્યાર્થીઓેને શીખવાડ્યુ હતું કે, ગાંધીજી અને નેહરુની મિલીભગત હતા. ગાંધીજી 'સ્વદેશી સ્વદેશી' કરતા હતા અને નહેરુ 'વિદેશી વિદેશી કરતા હતા. નહેરુ વડાપ્રધાન બન્યા પછી 555 સિગાર લેવા માટે ચાર્ટર્ડ પ્લેન વિદેશ મોકલવામાં આવતું હતું અને નેહરુ પરિવારના બાળકોની પાર્ટી પણ ચાર્ટર્ડ પ્લેનમાં થતી હતી

આ પણ વાંચોઃ 11 વર્ષીય વિદ્યાર્થીની સાથે છેલ્લા દોઢ મહિનાથી શારીરિક અડપલા કરનાર શિક્ષકની ધરપકડ

કોંગ્રેસમાં બધા ચોર છેઃશિક્ષક

શિક્ષક પાર્થ ભટ્ટ દ્વારા એવું પણ જણાવવામાં આવે છે કે, નેહરુ નવાબો સાથે પાર્ટી કરતા હતા અને લોકો ભૂખથી તરસતા હતા. કોંગ્રેસમાં કોઈ ગરીબ પરિવાર છે ખરો, બધા ચોર છે. ભારતમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમની એકતા રહી હતી. પરંતુ મુસ્લિમ લીગ ભારતમાં પાવરફુલ થઈ. તેઓને હિન્દુ મુસ્લિમની એકતા ગમતી ન હતી. હાલમાં પણ કેટલીક પોલિટિકલ પાર્ટી એવી છે કે હિન્દુ મુસ્લિમને ડિવાઇડ કરવામાં માને છે તો જ તેમની વોટબેંક બચશે.

  • ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓના ક્લાસમાં રાજકારણની બફાટુ મારી
  • ગાંધીજી અને નહેરૂની મિલીભગત હતાઃ શિક્ષક
  • શિક્ષકનો વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો

વડોદરાઃ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાર્થ સ્કૂલના સમાજશાસ્ત્રના શિક્ષક વિદ્યાર્થીઓને અજીબ પ્રકારનું શિક્ષણ આપીને વિવાદમાં આવ્યા છે. શિક્ષક રાજ ભટ્ટે ઓનલાઇન વર્ગમાં ગાંધીજી અને નહેરૂ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓેને ભણાવતા શિક્ષક રાજ ભટ્ટે વિદ્યાર્થીઓને શીખવાડ્યું કે, કોંગ્રેસમાં બધા ચોર છે, ગાંધીજી અને નહેરૂની મિલીભગત હતા. સાથે જ શિક્ષકે વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગમાં ઇતિહાસ વિશે ખોટી માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યુ કે, હાલમાં કેટલીક પોલિટિકલ પાર્ટી એવી છે જે હિન્દુ મુસ્લિમમાં ભાગલા પાડવામાં માને છે. પાર્થ સ્કૂલના પ્રિન્સિપાલ સ્નેહલ પટેલે શિક્ષકને નોટિસ આપી લેખિતમાં ખુલાસો માંગ્યો છે.

વડોદરાની કારેલીબાગ સ્થિત પાર્થ સ્કૂલમાં હાલમાં કેટલાક વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી અભ્યાસ કરાવવામાં આવે છે. તો કેટલાક વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ધોરણ 8થી 10 ના વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્રના અભ્યાસક્રમ સિવાયની કેટલીક બાબતો શિક્ષક દ્વારા ભણાવવામાં આવતી હોવાથી વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચોઃ "મારો ફોટો મોબાઈલમાં કેમ ચડાવ્યો" કહી વિદ્યાર્થીને માર મારતાં શિક્ષક સામે પિતાની પોલીસ ફરિયાદ

શિક્ષક રાજ ભટ્ટે નાના બાળકોને રાજકારણના બણગા ભણાવ્યા

શિક્ષક રાજ ભટ્ટ દ્વારા સમાજશાસ્ત્રોના અભ્યાસ સમયે વિદ્યાર્થીઓને એવું જણાવ્યું હતું કે વર્ષો પહેલા ગોરખપુરમાં ઉપવાસ પર ઉતરેલા ભારતીય લોકો ઉપર પોલીસે લાઠીચાર્જ કરી ઘાયલ કર્યા હતા અને તેમાં કેટલાકના મોત પણ થયા હતા. એ પછી લોકોએ ઉશ્કેરાઇને પોલીસ સ્ટેશનમાં ફરજ પર બ્રિટિશ ભાઈને મારી નાંખ્યા હતા. તેથી ગાંધીજીને ઝટકો લાગ્યો હતો.

શિક્ષકે વિદ્યાર્થીઓેને શીખવાડ્યુ હતું કે, ગાંધીજી અને નેહરુની મિલીભગત હતા. ગાંધીજી 'સ્વદેશી સ્વદેશી' કરતા હતા અને નહેરુ 'વિદેશી વિદેશી કરતા હતા. નહેરુ વડાપ્રધાન બન્યા પછી 555 સિગાર લેવા માટે ચાર્ટર્ડ પ્લેન વિદેશ મોકલવામાં આવતું હતું અને નેહરુ પરિવારના બાળકોની પાર્ટી પણ ચાર્ટર્ડ પ્લેનમાં થતી હતી

આ પણ વાંચોઃ 11 વર્ષીય વિદ્યાર્થીની સાથે છેલ્લા દોઢ મહિનાથી શારીરિક અડપલા કરનાર શિક્ષકની ધરપકડ

કોંગ્રેસમાં બધા ચોર છેઃશિક્ષક

શિક્ષક પાર્થ ભટ્ટ દ્વારા એવું પણ જણાવવામાં આવે છે કે, નેહરુ નવાબો સાથે પાર્ટી કરતા હતા અને લોકો ભૂખથી તરસતા હતા. કોંગ્રેસમાં કોઈ ગરીબ પરિવાર છે ખરો, બધા ચોર છે. ભારતમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમની એકતા રહી હતી. પરંતુ મુસ્લિમ લીગ ભારતમાં પાવરફુલ થઈ. તેઓને હિન્દુ મુસ્લિમની એકતા ગમતી ન હતી. હાલમાં પણ કેટલીક પોલિટિકલ પાર્ટી એવી છે કે હિન્દુ મુસ્લિમને ડિવાઇડ કરવામાં માને છે તો જ તેમની વોટબેંક બચશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.