ETV Bharat / state

વડોદરા: વિશ્વામિત્રી સપાટી સ્થિર, આજવા સરોવરમાં આંશિક ઘટાડો

author img

By

Published : Aug 2, 2019, 2:46 PM IST

વડોદરા: શહેરમાં ગુરુવારથી વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સમગ્ર શહેરમાં 20 ઈંચ વરસાદ આવતા શહેર જળબંબાકાર બન્યું હતું, પરંતુ હવે વરસાદના વિરામના લીધે વિશ્વામિત્રીની સપાટીમાં 34.50 ફુટ અને આજવા સરોવરની સપાટીમાં 212.20 સુધીનો આંશિક ઘટાડો થયો હતો.

વરસાદના વિરામ બાદ વિશ્વામિત્રી સપાટી સ્થિર, આજવા સરોવરમાં આંશિક ઘટાડો

વરસાદને કારણે વડોદરા સમગ્ર જળબંબાકાર બન્યું તે દરમિયાન આજવાના ઉપરવાસમાં એકરાતમાં 14 ઇંચ વરસાદ પડવાથી આજવા સરોવરની સપાટી ઝડપભેર વધતા આજવાના 62 દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા નદીનું લેવલ વધીને 34.50 ફૂટ થઇ ગયું હતું. જેને લીધે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યા હતા. જેના લીધે આશરે 6 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

વરસાદના વિરામ બાદ વિશ્વામિત્રી સપાટી સ્થિર, આજવા સરોવરમાં આંશિક ઘટાડો

મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં આજવાનું લેવલ 212.50 ફૂટ થયું હતું અને વિશ્વામિત્રી 34.50 ફૂટે પહોંચી ગઇ હતી. જો કે, દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા લોકોની મુશ્કેલી વધી હતી. પરંતુ વરસાદે વિરામ લેતા આજવા સરોવરની સપાટીમાં આંશિક ઘટાડો થયો છે અને વિશ્વામિત્રીની સપાટી સ્થિર થઇ છે. હાલ આજવાની સપાટી 212.20 ફુટ અને વિશ્વામિત્રી સપાટી 34.50 ફુટ છે.

વરસાદે વિરામ લીધા બાદ હજુ વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અમુક વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે. વિશ્વામિત્રીના પાણી સમા, કારેલીબાગ, ફતેગંજ, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, તુલસીવાડી, નવીનગરી વગેરે વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. જેથી નજીકની શાળાઓમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

વરસાદને કારણે વડોદરા સમગ્ર જળબંબાકાર બન્યું તે દરમિયાન આજવાના ઉપરવાસમાં એકરાતમાં 14 ઇંચ વરસાદ પડવાથી આજવા સરોવરની સપાટી ઝડપભેર વધતા આજવાના 62 દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા નદીનું લેવલ વધીને 34.50 ફૂટ થઇ ગયું હતું. જેને લીધે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યા હતા. જેના લીધે આશરે 6 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

વરસાદના વિરામ બાદ વિશ્વામિત્રી સપાટી સ્થિર, આજવા સરોવરમાં આંશિક ઘટાડો

મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં આજવાનું લેવલ 212.50 ફૂટ થયું હતું અને વિશ્વામિત્રી 34.50 ફૂટે પહોંચી ગઇ હતી. જો કે, દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા લોકોની મુશ્કેલી વધી હતી. પરંતુ વરસાદે વિરામ લેતા આજવા સરોવરની સપાટીમાં આંશિક ઘટાડો થયો છે અને વિશ્વામિત્રીની સપાટી સ્થિર થઇ છે. હાલ આજવાની સપાટી 212.20 ફુટ અને વિશ્વામિત્રી સપાટી 34.50 ફુટ છે.

વરસાદે વિરામ લીધા બાદ હજુ વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અમુક વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે. વિશ્વામિત્રીના પાણી સમા, કારેલીબાગ, ફતેગંજ, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, તુલસીવાડી, નવીનગરી વગેરે વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. જેથી નજીકની શાળાઓમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

Intro:વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી 34.50 ફૂટ, આજવા સરોવરની સપાટીમાં આંશિક ઘટાડો 212.20 પહોંચી..




Body:વડોદરા શહેરમાં 20 ઇંચ ભારે વરસાદ ખાબક્યા બાદ સમગ્ર શહેર જળબંબાકાર બન્યું તે દરમિયાન આજવાના ઉપરવાસમાં એકરાતમાં ૧૪ ઇંચ વરસાદથી આજવા સરોવરની સપાટી ઝડપભેર વધતા આજવાના ૬૨ દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા નદીનું લેવલ વધીને 34.50 ફૂટ થઇ જતા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યા હતા. જેના લીધે આશરે 6 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.Conclusion:મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં થી પસાર થતી વિસ્વામિત્રીમાં આજવાનું લેવલ 212.50 ફૂટ થયુ હતું. અને વિશ્વામિત્રી 34.50 ફૂટે પહોંચી ગઇ હતી. જોકે દિવસ દરમિયાન ઝરમરિયો વરસાદ ચાલુ રહેતા લોકોની મુશ્કેલી વધી હતી પરંતુ વરસાદે વિરામ લેતા હાલ આજવા સરોવરની સપાટીમાં આંશિક ઘટાડો થયો છે. અને વિશ્વામિત્રીની સપાટી સ્થિર છે..આજવાની સપાટી 212.20અને વિશ્વામિત્રી હાલ 34.50 છે..

જોકે વરસાદે વિરામ લીધા બાદ હજુ વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે..જોકે ગઈકાલ સાંજથી વરસાદે વિરામ લેતા શહેરના અમુક વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે.. વિશ્વામિત્રીના પાણી સમા, કારેલીબાગ, ફતેગંજ, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, તુલસીવાડી, નવીનગરી વગેરે વિસ્તારોમાં પૂરનાં પાણી ઘૂસી ગયા હતા અને જેઓનું નજીકની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું..


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.