ETV Bharat / state

વડોદરા: પોલીસ માર્કેટ સ્ટોરનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ લોકાર્પણ કર્યું - ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા

વડોદરા: શહેરના પોલિસ તાલીમ શાળા ખાતે પોલીસ માર્કેટ સ્ટોરનું લોકાર્પણ રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.

પોલીસ માર્કેટ સ્ટોરનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ
પોલીસ માર્કેટ સ્ટોરનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ
author img

By

Published : Dec 5, 2019, 9:01 PM IST

ગુરૂવારના રોજ પોલીસ માર્કેટ સ્ટોરનું લોકાર્પણ ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હવેથી પોલીસ જવાનોના પરિવારોને રાહતદરે અને ગુણવત્તાયુક્ત જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળશે. વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલા પોલિસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ માર્કેટ સ્ટોર, જળ શુદ્ધિકરણ કેન્દ્ર, આંગણવાડી અને ચિલ્ડ્રનપાર્કનું લોકાર્પણ રાજ્યના ગૃહપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.

પોલીસ માર્કેટ સ્ટોરનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ
પોલીસ માર્કેટ સ્ટોરનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ

હાલ રાજ્યમાં લોક રક્ષકની ભરતી કરવામાં આવી હોવાથી વડોદરામાં 200 મહિલા સહિત 1000 લોક રક્ષકો તાલીમ અર્થે આગામી સમયમાં આવનાર છે. જેથી 1000 તાલીમાર્થી અને એસઆરપી જવાનોના પરિવારને તેમજ નાગરીકો માટે પોલિસ માર્કેટ બનાવવામાં આવ્યું છે.

પોલીસ માર્કેટ સ્ટોરનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ
પોલીસ માર્કેટ સ્ટોરનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ

પોલીસ માર્કેટ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓ અને એસઆરપીમાં રહેતા પોલીસ પરિવાર તેમજ નાગરીકોને ઓછા દરે ઉત્તમ ગુણવત્તાયુક્ત વસ્તુઓ મળી રહે. આ ઉપરાંત તાલીમાર્થીઓને 24 કલાક પીવાનું પાણી મળી રહે તે માટે જળ શુદ્ધિકરણનો પ્લાંટ બનાવવામાં આવ્યો છે. તેમજ એસઆરપીમાં રહેતા પોલીસ પરિવારના બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક અને આંગણવાડી બનાવવામાં આવી છે.

આ પ્રસંગે રેન્જ આઇ.જી. અભય ચુડાસમા, વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ તાલીમ શાળાના આચાર્ય આર.જે.સવાણી ઉપસ્થિત રહ્યા હતા.

ગુરૂવારના રોજ પોલીસ માર્કેટ સ્ટોરનું લોકાર્પણ ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હવેથી પોલીસ જવાનોના પરિવારોને રાહતદરે અને ગુણવત્તાયુક્ત જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળશે. વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલા પોલિસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ માર્કેટ સ્ટોર, જળ શુદ્ધિકરણ કેન્દ્ર, આંગણવાડી અને ચિલ્ડ્રનપાર્કનું લોકાર્પણ રાજ્યના ગૃહપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.

પોલીસ માર્કેટ સ્ટોરનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ
પોલીસ માર્કેટ સ્ટોરનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ

હાલ રાજ્યમાં લોક રક્ષકની ભરતી કરવામાં આવી હોવાથી વડોદરામાં 200 મહિલા સહિત 1000 લોક રક્ષકો તાલીમ અર્થે આગામી સમયમાં આવનાર છે. જેથી 1000 તાલીમાર્થી અને એસઆરપી જવાનોના પરિવારને તેમજ નાગરીકો માટે પોલિસ માર્કેટ બનાવવામાં આવ્યું છે.

પોલીસ માર્કેટ સ્ટોરનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ
પોલીસ માર્કેટ સ્ટોરનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ

પોલીસ માર્કેટ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓ અને એસઆરપીમાં રહેતા પોલીસ પરિવાર તેમજ નાગરીકોને ઓછા દરે ઉત્તમ ગુણવત્તાયુક્ત વસ્તુઓ મળી રહે. આ ઉપરાંત તાલીમાર્થીઓને 24 કલાક પીવાનું પાણી મળી રહે તે માટે જળ શુદ્ધિકરણનો પ્લાંટ બનાવવામાં આવ્યો છે. તેમજ એસઆરપીમાં રહેતા પોલીસ પરિવારના બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક અને આંગણવાડી બનાવવામાં આવી છે.

આ પ્રસંગે રેન્જ આઇ.જી. અભય ચુડાસમા, વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ તાલીમ શાળાના આચાર્ય આર.જે.સવાણી ઉપસ્થિત રહ્યા હતા.

Intro:વડોદરા શહેરના પોલિસ તાલિમ શાળા ખાતે પોલીસ માર્કેટ સ્ટોરનું લોકાર્પણ કરતા ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા..Body:પોલીસ માર્કેટ સ્ટોરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં હવેથી પોલીસ જવાનોના પરિવારોને રાહતદરે અને ગુણવત્તાયુક્ત જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળશે..Conclusion:વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલ પોલિસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ માર્કેટ સ્ટોર, જળશુધ્ધીકરણ કેન્દ્ર, આંગણવાડી અને ચિલ્ડ્રનપાર્કનું લોકાર્પણ રાજ્યના ગૃહપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું..

હાલ રાજ્યમાં લોક રક્ષકની ભરતી કરવામાં આવી હોવાથી વડોદરામાં ૨૦૦ મહિલા સહિત ૧૦૦૦ લોક રક્ષકો તાલીમ અર્થે આગામી સમયમાં આવનાર છે. જેથી ૧૦૦૦ તાલીમાર્થી અને એસઆરપી જવાનોના પરિવારને તેમજ નગરીકો માટે પોલિસ માર્કેટ બનાવવામાં આવ્યું છે.

પોલીસ માર્કેટ બનાવવાનો મુખ્ય ઉદેશ્ય તાલીમાર્થીઓ અને એસઆરપીમાં રહેતા પોલીસ પરિવાર તેમજ નાગરીકોને ઓછા દરે ઉત્તમ ક્વોલિટીની વસ્તુઓ મળી રહે, આ ઉપરાંત તાલીમાર્થીઓને ૨૪ કલાક પીવાનું અને વપરાશનું પાણી મળી રહે તે માટે જળશુધ્ધીકરણનો પ્લાંટ બનાવવામાં આવ્યો છે. તેમજ એસઆરપીમાં રહેતા પોલીસ પરિવારના બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક અને આંગણવાડી બનાવવામાં આવી છે..

આ પ્રસંગે રેન્જ આઇ.જી. અભય ચુડાસમા, વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ તાલીમ શાળાના આચાર્ય આર.જે.સવાણી ઉપસ્થિત રહ્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.