ETV Bharat / state

નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું, તો આવો જાણીએ તેની વિશેષતાઓ..

author img

By

Published : Nov 2, 2020, 7:52 AM IST

સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટેના 17 પ્રોજેક્ટનું લોકાર્પણ અને નવા પ્રોજેકટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટના કારણે કેવડીયા વિસ્તાર વિશ્વ સ્તરના એક પ્રવાસ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

kevadia
કેવડિયા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 17 પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ
  • પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન કરી શકશે ચીજવસ્તુની ખરીદી
  • ન્યુટ્રિશન પાર્કમાં બાળકોને જ્ઞાન સાથે મળશે ગમ્મત
  • નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ


કેવડિયા: ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટેના 17 પ્રોજેક્ટનું લોકાર્પણ અને નવા પ્રોજેકટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટના કારણે કેવડીયા વિસ્તાર વિશ્વ સ્તરના એક પ્રવાસ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીમાં બનેલા હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત પણ હતા. તેઓનો કાફલો હેલીપેડથી સીધો એકતા મોલ ગયો હતો. ત્યારબાદ મોલની બાજુમાં આવેલા ચિલ્ડ્રન પાર્કમાં ગયા હતા.

એકતા મોલની વિશેષતાઓ

પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને 35,000 ચો.ફુટમાં પથરાયેલા વિશાળ એકતા મોલ બાંધવામાં આવેલ છે. જેમાં દેશના જુદા-જુદા રાજયોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીને પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલા છે.

નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું, તો આવો જાણીએ તેની વિશેષતાઓ..
ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની વિશેષતાઓ

અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક 35000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલ છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટર પ્રવાસ કરે છે. જેમાં, પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવેલ છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલભુલૈયાં પણ છે.

જેટ્ટી અને એકતા ક્રૂઝની વિશેતાઓ

પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ - એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવેલો છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિ.મી. સુધી અને 40 મિનિટ બોટીંગનો આહલાદક આનંદ મેળવી શકશે. એકતા ક્રૂઝની લંબાઈ 26 મીટર અને પહોળાઈ 9 મીટર અને 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવેલા છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 17 પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ
  • પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન કરી શકશે ચીજવસ્તુની ખરીદી
  • ન્યુટ્રિશન પાર્કમાં બાળકોને જ્ઞાન સાથે મળશે ગમ્મત
  • નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ


કેવડિયા: ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટેના 17 પ્રોજેક્ટનું લોકાર્પણ અને નવા પ્રોજેકટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટના કારણે કેવડીયા વિસ્તાર વિશ્વ સ્તરના એક પ્રવાસ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીમાં બનેલા હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત પણ હતા. તેઓનો કાફલો હેલીપેડથી સીધો એકતા મોલ ગયો હતો. ત્યારબાદ મોલની બાજુમાં આવેલા ચિલ્ડ્રન પાર્કમાં ગયા હતા.

એકતા મોલની વિશેષતાઓ

પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને 35,000 ચો.ફુટમાં પથરાયેલા વિશાળ એકતા મોલ બાંધવામાં આવેલ છે. જેમાં દેશના જુદા-જુદા રાજયોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીને પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલા છે.

નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું, તો આવો જાણીએ તેની વિશેષતાઓ..
ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની વિશેષતાઓ

અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક 35000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલ છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટર પ્રવાસ કરે છે. જેમાં, પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવેલ છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલભુલૈયાં પણ છે.

જેટ્ટી અને એકતા ક્રૂઝની વિશેતાઓ

પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ - એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવેલો છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિ.મી. સુધી અને 40 મિનિટ બોટીંગનો આહલાદક આનંદ મેળવી શકશે. એકતા ક્રૂઝની લંબાઈ 26 મીટર અને પહોળાઈ 9 મીટર અને 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.