વડોદરાઃ શહેરના દાંડિયાબજારમાં આવેલી રફાઇશા દરગાહમાંથી મોડી સાંજે નમાઝ પઢીને બહાર નીકળતા આઠ વ્યકિતઓની ધરપકડ કરાઇ હતી.
મળતી માહિતી અનુસાર પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી સંદેશો મળતા રાવપુરા પોલીસ દાંડિયાબજાર વિસ્તારમાં પેટ્રોલીંગ અર્થે નીકળી હતી. જે દરમિયાન રફાઇશા દરગાહમાંથી મોડી સાંજે નમાઝ પઢીને બહાર નીકળતા 8 વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી.
જેમાં સાજીદમીયા મહંમદમીયા શેખ (અકોટા), મુકતાર મલંગ મજુરી (અકોટ ), આશીફ મહંમદ સીદ્દીક શેખજીવાલા (સિટી પોલીસ સ્ટેશન સામે), તહસીલ મુકતાર પઠાણ (સયાજીગંજ), બચુભાઈ મહંમદભાઈ શેખ (અકોટા સુબેદાર કમ્પાઉન્ડ), નુરહસન એસ પઠાણ (રોશનનગર નવાયાર્ડ), ઇસ્માઇલ અબ્દુલ શેખ (મચ્છીપીઠ), ઇસ્માઇલ અબ્દુલ શેખ (કુમેદાન ફળિયા) નો સમાવેશ થાય છે.