ETV Bharat / state

નડિયાદ કોર્ટે સાળાની હત્યા કરનાર બનેવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી - Murder case of Kheda verdict

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

ખેડામાં પત્નીના ભાઈની જ હત્યા કરવાના ગુનામાં કોર્ટે બનેવીને દસ વર્ષની સજા ફટકારી છે. મહેમદાવાદના રાસ્કા ગામે બનેલી આ ઘટના શું હતી આવો જાણીએ.... - Murder case of Kheda verdict

સાળાની હત્યા કરનાર બનેવીને 10 વર્ષની સજા
સાળાની હત્યા કરનાર બનેવીને 10 વર્ષની સજા (Etv Bharat Gujarat)

ખેડાઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામે દોઢ વર્ષ અગાઉ પોતાના સાળાની હત્યા કરનાર આરોપીને નડિયાદ કોર્ટ દ્વારા દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. મૃતક સાળો આરોપીની સાથે જ તેના ઘરે રહેતો હતો. આરોપીની પત્નીએ તેના સાળાના કપડા ધોવા બાબતે તકરાર કરી આરોપીએ સાળાને માર મારી ગળુ દબાવી તેનું મોત નિપજાવ્યું હતું. ઘટના મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

સાળાની હત્યા કરનાર બનેવીને 10 વર્ષની સજા (Etv Bharat Gujarat)

કપડાં ધોવા બાબતે તકરાર કરી મોત નિપજાવ્યું

આરોપી મુકેશ મહેશભાઈ દંતાણી તા.19/3/2023 ના રોજ રાસ્કા ગામે પોતાના ઘરે તે, તેના પત્નિ અને સાળો ત્રણ જણા રહેતા હતા. બનાવના દિવસે એની પત્ની સુનિતાએ મરણ જનાર વિજયભાઈ કે જે આરોપીનો સાળો થાય છે. સુનિતાબેને વિજયભાઈના કપડા ધોયા હતા. એ કપડાં ધોવાની બાબતમાં બંને જણ વચ્ચે તકરાર થઈ હતી. એટલે સુનિતાબેને તેમને સમજાવ્યા કે તમે કેમ આવું કરે છો. તેમ છતાં આ કામના આરોપી મુકેશભાઈ ઉશ્કેરાઈ જઈને વિજયભાઈને ફેંટ પકડીને ગડદાપાટુનો માર મારીને જ્યાં સુધી મરી ન જાય ત્યાં સુધી એનું ગળુ દબાવીને એનું મોત નિપજાવ્યું હતું. જે બાબતની ફરિયાદ મહેમદાવાદ પોલિસ સ્ટેશનમાં આપતા મહેમદાવાદ પોલિસે ઈપીકો કલમ 323,504 તથા 302 મુજબનો ગુનો દાખલ કરી તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.

સાળાની હત્યા કરનાર બનેવીને 10 વર્ષની સજા
સાળાની હત્યા કરનાર બનેવીને 10 વર્ષની સજા (Etv Bharat Gujarat)

દસ વર્ષની સખત કેદની સજા કરવાનો કોર્ટે હુકમ કર્યો: સરકારી વકીલ

સરકારી વકીલ પી.આર.તિવારીએ જણાવ્યું હતું કે, આજરોજ નામદાર કોર્ટ પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ અંજારીયાની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે આશરે 14 જેટલા સાહેદોને તપાસેલા અને આશરે 17 જેટલા દસ્તાવેજી પુરાવાને આધાર રાખીને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને કેમકે આરોપીનો મરનારને મારી નાખવાનો ઈરાદો ન્હતો પરંતુ આવેશમાં આવીને બનાવ બનેલી હોય જેથી નામદાર કોર્ટે આરોપીને 302 ખૂનના ગુનામાં તકસીરવાન ઠરાવાની જગ્યાએ ઈપીકો કલમ 304 પાર્ટ ટુ માં તકસીરવાર ઠરાવ્યો છે. દસ વર્ષની સખત કેદની સજા કરવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કર્યો છે.

  1. નવરાત્રી પહેલા ભક્તિ પણ મોંઘી થઈઃ ચૂંદડી, હાર, ધૂપ, ગુગળ સહિતના ભાવ વધ્યા, જાણો નવી વેરાઈટીઝના ભાવ - Navratri price hike 2024
  2. સોમનાથ નજીક ધાર્મિક સ્થળોના મેગા ડિમોલિશન બાદ વહીવટી તંત્રએ તાર ફેન્સીંગની પ્રક્રિયા કરી શરૂ - SOMNATH DEMOLATION UPDATES

ખેડાઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામે દોઢ વર્ષ અગાઉ પોતાના સાળાની હત્યા કરનાર આરોપીને નડિયાદ કોર્ટ દ્વારા દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. મૃતક સાળો આરોપીની સાથે જ તેના ઘરે રહેતો હતો. આરોપીની પત્નીએ તેના સાળાના કપડા ધોવા બાબતે તકરાર કરી આરોપીએ સાળાને માર મારી ગળુ દબાવી તેનું મોત નિપજાવ્યું હતું. ઘટના મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

સાળાની હત્યા કરનાર બનેવીને 10 વર્ષની સજા (Etv Bharat Gujarat)

કપડાં ધોવા બાબતે તકરાર કરી મોત નિપજાવ્યું

આરોપી મુકેશ મહેશભાઈ દંતાણી તા.19/3/2023 ના રોજ રાસ્કા ગામે પોતાના ઘરે તે, તેના પત્નિ અને સાળો ત્રણ જણા રહેતા હતા. બનાવના દિવસે એની પત્ની સુનિતાએ મરણ જનાર વિજયભાઈ કે જે આરોપીનો સાળો થાય છે. સુનિતાબેને વિજયભાઈના કપડા ધોયા હતા. એ કપડાં ધોવાની બાબતમાં બંને જણ વચ્ચે તકરાર થઈ હતી. એટલે સુનિતાબેને તેમને સમજાવ્યા કે તમે કેમ આવું કરે છો. તેમ છતાં આ કામના આરોપી મુકેશભાઈ ઉશ્કેરાઈ જઈને વિજયભાઈને ફેંટ પકડીને ગડદાપાટુનો માર મારીને જ્યાં સુધી મરી ન જાય ત્યાં સુધી એનું ગળુ દબાવીને એનું મોત નિપજાવ્યું હતું. જે બાબતની ફરિયાદ મહેમદાવાદ પોલિસ સ્ટેશનમાં આપતા મહેમદાવાદ પોલિસે ઈપીકો કલમ 323,504 તથા 302 મુજબનો ગુનો દાખલ કરી તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.

સાળાની હત્યા કરનાર બનેવીને 10 વર્ષની સજા
સાળાની હત્યા કરનાર બનેવીને 10 વર્ષની સજા (Etv Bharat Gujarat)

દસ વર્ષની સખત કેદની સજા કરવાનો કોર્ટે હુકમ કર્યો: સરકારી વકીલ

સરકારી વકીલ પી.આર.તિવારીએ જણાવ્યું હતું કે, આજરોજ નામદાર કોર્ટ પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ અંજારીયાની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે આશરે 14 જેટલા સાહેદોને તપાસેલા અને આશરે 17 જેટલા દસ્તાવેજી પુરાવાને આધાર રાખીને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને કેમકે આરોપીનો મરનારને મારી નાખવાનો ઈરાદો ન્હતો પરંતુ આવેશમાં આવીને બનાવ બનેલી હોય જેથી નામદાર કોર્ટે આરોપીને 302 ખૂનના ગુનામાં તકસીરવાન ઠરાવાની જગ્યાએ ઈપીકો કલમ 304 પાર્ટ ટુ માં તકસીરવાર ઠરાવ્યો છે. દસ વર્ષની સખત કેદની સજા કરવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કર્યો છે.

  1. નવરાત્રી પહેલા ભક્તિ પણ મોંઘી થઈઃ ચૂંદડી, હાર, ધૂપ, ગુગળ સહિતના ભાવ વધ્યા, જાણો નવી વેરાઈટીઝના ભાવ - Navratri price hike 2024
  2. સોમનાથ નજીક ધાર્મિક સ્થળોના મેગા ડિમોલિશન બાદ વહીવટી તંત્રએ તાર ફેન્સીંગની પ્રક્રિયા કરી શરૂ - SOMNATH DEMOLATION UPDATES
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.