ETV Bharat / state

73 વર્ષથી બારડોલીના રાજા તરીકે ઓળખાતા લખપતિ ગણેશના કરીએ દર્શન - gujarati news

તાપીઃ બારડોલીના લીમડાચોક વિસ્તારમાં 73 વર્ષથી સ્થાપના કરવામાં આવતા શ્રીજીને લખપતિ ગણેશ તરીકે ઓળખવામાં આવે છે. શ્રીજીના માથે મુગટ, હાથના પંજા, ગળાનો હાર તેમજ પગ ચાંદીથી જડિત છે. તેથી આ ગણેશ મંડળના શ્રીજીને લોકો લખપતિ ગણેશ તરીકે પણ ઓળખે છે. તો ચાલો આપણે પણ કરીએ આ લખપતિ ગણપતિના દર્શન...

King Lakhpati Ganesh
author img

By

Published : Sep 7, 2019, 9:37 AM IST

બારડોલીમાં આજથી 73 વર્ષ પહેલાં કેદારેશ્વર મહાદેવ મંદિરના પૂંજારી કરતા સ્વ. ઠાકોરગીરી ગોસ્વામીએ પોતાના ઘરના ઓટલે ગણેશ મંડળ નામથી શ્રીજીની સ્થાપના કરી હતી. ત્યારથી અત્યાર સુધી શ્રીજીની અહીં સ્થાપના કરાય છે. સમય જતાં મંડળની પ્રગતિ સાથે લોકોની આસ્થા પણ અહીં બિરાજેલા શ્રીજી સાથે વધતી ગઈ અને આજે તેઓ લખપતિ ગણેશ તરીકે ઓળખાય છે. શ્રીજીને પહેરાવવામાં આવેલ હાર, હાથ, પગ કે, પછી બાજુબંધ ચાંદીના છે તેમજ સિંહાસન અને મૂષક પંચધાતુનું છે. જેની કિંમત આજે 20 થી 22 લાખ છે. સાથે સાથે દરેક સેવાકીય કામોમાં પણ હરહંમેશ આ મંડળ અગ્રેસર રહે છે.

73 વર્ષોથી બારડોલીના રાજા તરીકે ઓળખાતા લખપતિ ગણેશના કરીએ દર્શન

ગણેશ મંડળની સ્થાપના 73 વર્ષ પહેલાં થઈ હતી અને આજે આ મંડળની ટ્રસ્ટ તરીકે પણ નોંધણી કરાવામાં આવેલ છે. મંડળના 11 ટ્રસ્ટીઓમાંથી 1 ટ્રસ્ટી મુસ્લિમ સમાજમાંથી આવતા હોવાથી એકતાના એક પ્રતીક તરીકે પણ ગણેશ મંડળ ને ગણી શકાય.

બારડોલીમાં આજથી 73 વર્ષ પહેલાં કેદારેશ્વર મહાદેવ મંદિરના પૂંજારી કરતા સ્વ. ઠાકોરગીરી ગોસ્વામીએ પોતાના ઘરના ઓટલે ગણેશ મંડળ નામથી શ્રીજીની સ્થાપના કરી હતી. ત્યારથી અત્યાર સુધી શ્રીજીની અહીં સ્થાપના કરાય છે. સમય જતાં મંડળની પ્રગતિ સાથે લોકોની આસ્થા પણ અહીં બિરાજેલા શ્રીજી સાથે વધતી ગઈ અને આજે તેઓ લખપતિ ગણેશ તરીકે ઓળખાય છે. શ્રીજીને પહેરાવવામાં આવેલ હાર, હાથ, પગ કે, પછી બાજુબંધ ચાંદીના છે તેમજ સિંહાસન અને મૂષક પંચધાતુનું છે. જેની કિંમત આજે 20 થી 22 લાખ છે. સાથે સાથે દરેક સેવાકીય કામોમાં પણ હરહંમેશ આ મંડળ અગ્રેસર રહે છે.

73 વર્ષોથી બારડોલીના રાજા તરીકે ઓળખાતા લખપતિ ગણેશના કરીએ દર્શન

ગણેશ મંડળની સ્થાપના 73 વર્ષ પહેલાં થઈ હતી અને આજે આ મંડળની ટ્રસ્ટ તરીકે પણ નોંધણી કરાવામાં આવેલ છે. મંડળના 11 ટ્રસ્ટીઓમાંથી 1 ટ્રસ્ટી મુસ્લિમ સમાજમાંથી આવતા હોવાથી એકતાના એક પ્રતીક તરીકે પણ ગણેશ મંડળ ને ગણી શકાય.

Intro:બારડોલીના લીમડાચોક વિસ્તારમાં 73 વર્ષોથી સ્થાપના કરવામાં આવતા શ્રીજી ને લખપતિ ગણેશ તરીકે ઓળખવામાં આવે છે. શ્રીજીના માથે મુગટ , હાથ ના પંજા ગળાનો હાર તેમજ પગ ચાંદીથી જડિત છે તેથી આ ગણેશ મંડળના શ્રીજીને લોકો લખપતિ ગણેશ તરીકે ઓળખે છે આપણે પણ કરીએ લખપતિ ગણેશજીના દર્શન આપણા આ ખાસ અહેવાલમાં .....

Body:બારડોલીમાં ગણેશ ઉત્સવની શરૂઆતનો ઇતિહાસ ખૂબ ઓછા લોકો જાણે છે આજ થી 73 વર્ષ પહેલાં કેદારેશ્વર મહાદેવ મંદિરના પૂંજારી સ્વ.ઠાકોરગીરી ગોસ્વામી જેઓના ઘરના ઓટલે લીમડા ચોક ખાતે ગણેશ મંડળ નામથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી શ્રીજી ની સ્થાપના અહીં કરવામાં આવે છે. સમય જતાં મંડળ ની પ્રગતિ સાથે લોકોની આસ્થા પણ અહીં બિરાજેલા શ્રીજી સાથે વધતી થઈ અને આજે આ શ્રીજીને લખપતિ ગણેશ તરીકે ઓળખવામાં આવે છે . શ્રીજીને પેહરાવેલો હાર , હાથ , પગ કે પછી બાજુબંધ ચાંદીના છે તેમજ સિંહાસન અને મૂષક પંચઢાતું નું છે જેની કિંમત આજે 20 થી 22 લાખ છે. સાથે સાથે દરેક સેવાકીય કામોમાં પણ હરહંમેશ આ મંડળ અગ્રેસર છે
શ્રી ગણેશ મંડળ ના શ્રીજી સાથે અસંખ્ય લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે કારણકે અહીં સ્થાપિત શ્રીજી ભક્તોની મનોકામના અચૂક પૂર્ણ કરે છે

Conclusion:લોકમાન્ય ગંગાધર તિલક દ્વારા અસંગઠિત હિન્દૂ સમાજને એકત્ર કરવા માટે ગણેશ ચતુર્થી થી આનંદ ચૌદશ સુધીના સમયમાં ગણેશજીની પ્રતિમાની પૂજા અર્ચના કરી આઝાદ ભારતનો સંકલ્પ કરી સમાજને એકત્ર કરવા માટે મહારાષ્ટ્રના ગામે ગામ શ્રીજી ની સ્થાપના કરાવી હતી અને ત્યારથી મુંબઈના લાલ બાગના શ્રીજી ભારત ભરમાં રાજા તરીકે ગણવામાં આવે છે તેજ પ્રમાણે બારડોલી અને આજુબાજુના વિસ્તારમાં લોકો ગણેશ મંડળમાં સ્થાપિત ગણેશજીને છેલ્લા 73 વર્ષોથી બારડોલીના રાજા તરીકે ઓળખે છે ....
ગણેશ મંડળની સ્થાપના 73 વર્ષ પહેલાં થઈ હતી અને આજે આ મંડળની ટ્રસ્ટ તરીકે પણ નોંધણી કરાવવામાં આવેલ છે અને અગિયાર ટ્રસ્ટી ઓ પૈકી એક ટ્રષ્ટિ મુસ્લિમ સમાજ માંથી પણ લેવામા આવેલ છે. એટલે એકતાના એક પ્રતીક તરીકે પણ ગણેશ મંડળ ને ગણી શકાય

બાઈટ 1 ..... વિજય ગોસ્વામી .... ગણેશ મંડળ, પ્રમુખ

બાઈટ 2 ..... માધુરી આમલિયા.... શ્રધ્ધાળુ

બાઈટ 3 ..... રાજેશ પ્રજાપતિ ...... શ્રધ્ધાળુ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.