તાપી: ધુળેટીના પર્વને પગલે તાપીના ઉચ્છલના સુંદરપુર ગામના એક જ પરિવારના 13 જેટલા સબંધીઓ ભીંતખુર્દ ગામે વણઝારી ફુગારા પર પિકનિક મનાવવા ગયા હતા. તે દરમિયાન તાપી નદીમાં નાની હોડીમાં બેસી નીકળ્યા ફરવા નીકળ્યા હતા. ત્યારે બપોરના અરસામાં ભારે પવનને કારણે વણઝારી ફુગારામાં હોડી બેકાબૂ બનતા હોડી પલટી જતા 13 જેટલા લોકો ડૂબી ગયા હતા. જે પૈકી 6 લોકોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવાયા હતા.
તાપી નદીમાં હોડી પલટી જતાં 7 લોકોના મોત, 6નો આબાદ બચાવ
તાપી જિલ્લાનાં સુંદરપુર અને ભીતખુર્દ ગામના એક જ પરિવારના 13 જેટલા સબંધીઓ ધુળેટીના દિવસે તાપી નદીમાં ફરવા ગયા હતા. જ્યાં ભારે પવનને કારણે હોડી પલટી જતા સાત લોકોનાં મોત થયા હતા. તો અન્ય 6 જેટલા લોકોને સહીસલામત બહાર કાઢી લેવાયા હતા. સાત લોકોના મોતને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે.
![તાપી નદીમાં હોડી પલટી જતાં 7 લોકોના મોત, 6નો આબાદ બચાવ tapi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6372392-thumbnail-3x2-tapi.jpg?imwidth=3840)
આજરોજ સુરત ફાયર બ્રિગેડની ટીમ અને સોનગઢ - વ્યારાના ફાયરના સંયુક્ત ઑપરેશન દ્વારા ડૂબી ગયેલા સાત લોકોના મૃતદેહને શોધીને બહાર કાઢવામાં આવ્યા હતાં,આ સમગ્ર ઘટનામાં એક જ પરિવારમાંથી સાત લોકોનાં મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.
નોંધનીય છે કે, ઉકાઈ ડેમના આજુબાજુના વિસ્તારના લોકો માછીમારી કરવા માટે જાય છે. ત્યારે આ વિસ્તારના લોકોને પુરતા બચાવ સાધનો વિના ડેમના પાણીમાં નાની હોડી મારફતે સહેલગાહ ન કરવા અનુરોધ કરાયો છે.
તાપી: ધુળેટીના પર્વને પગલે તાપીના ઉચ્છલના સુંદરપુર ગામના એક જ પરિવારના 13 જેટલા સબંધીઓ ભીંતખુર્દ ગામે વણઝારી ફુગારા પર પિકનિક મનાવવા ગયા હતા. તે દરમિયાન તાપી નદીમાં નાની હોડીમાં બેસી નીકળ્યા ફરવા નીકળ્યા હતા. ત્યારે બપોરના અરસામાં ભારે પવનને કારણે વણઝારી ફુગારામાં હોડી બેકાબૂ બનતા હોડી પલટી જતા 13 જેટલા લોકો ડૂબી ગયા હતા. જે પૈકી 6 લોકોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવાયા હતા.
આજરોજ સુરત ફાયર બ્રિગેડની ટીમ અને સોનગઢ - વ્યારાના ફાયરના સંયુક્ત ઑપરેશન દ્વારા ડૂબી ગયેલા સાત લોકોના મૃતદેહને શોધીને બહાર કાઢવામાં આવ્યા હતાં,આ સમગ્ર ઘટનામાં એક જ પરિવારમાંથી સાત લોકોનાં મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.
નોંધનીય છે કે, ઉકાઈ ડેમના આજુબાજુના વિસ્તારના લોકો માછીમારી કરવા માટે જાય છે. ત્યારે આ વિસ્તારના લોકોને પુરતા બચાવ સાધનો વિના ડેમના પાણીમાં નાની હોડી મારફતે સહેલગાહ ન કરવા અનુરોધ કરાયો છે.