ETV Bharat / state

સિંહ દેખાય તો શું કરવું, શું ન કરવું : વનવિભાગે લોકોને સમજ આપી - lions ventures into surendranagar forest department in action mode

સુરેન્દ્રનગર: જિલ્લાનાં ચોટીલા તાલુકાનાં ચોબારી, રામપરા, ઢેઢુકી ગામમાં એશિયાઈ સિંહ દેખાતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાની વન વિભાગની ટીમ દ્વારા લોકેશન પણ તપાસવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢ વન વિભાગનાં મુખ્ય વન સંરક્ષક એસ.કે શ્રીવાસ્તવ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની વન વિભાગની ટીમે જે વિસ્તારમાં સિંહ દેખાયો હતો તેમજ જ્યાં મારણ કર્યું હતું ત્યાં મુલાકાત કરી હતી. તેમજ ત્યાંના સ્થાનિકોને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

ચોટીલામાં સિંહ દેખાતા ભયનો માહોલ, વન વિભાગની ટીમ એક્શનમાં
author img

By

Published : Nov 22, 2019, 1:41 PM IST

આ વિસ્તારમાં સિંહ છે તેની પુષ્ટી કરતો એક વિડીયો પણ મળી આવ્યો હતો. સાથે જ જે માલધારીઓના પશુઓનું મારણ થયું હતું તેમને સરકારી નિયમ મુજબ એક ઢોર દીઠ 16000 રૂપિયાની સહાયનાં ચેક આપવામાં આવ્યા હતા. સિંહ જોવા મળે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક કરવા તેમને જણાવાયું હતું.

સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરનાં ઘણા તાલુકાઓમાં સિંહ વસવાટને કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે તેમજ સિંહ વસવાટવાળા વિસ્તારોમાં નીલગાય અને ભુંડની સંખ્યા પણ કાબુમાં રહેતી હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે રાત્રી ઉજાગરા કરવા પડતા નથી, અને તેમનો કિંમતી સમય પણ બચી જાય છે.

ચોટીલામાં સિંહ દેખાતા ભયનો માહોલ, વન વિભાગની ટીમ એક્શનમાં

ગ્રામજનોનાં હિતાર્થે વનવિભાગ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં સિંહને પજવવો કે છંછેડવો નહી તેમજ ટોળુ લઇને સિંહ જોવા જવું નહીં, સિંહ ગામની આસપાસ હોય ત્યારે ઢોરને ખુલ્લામાં બાંધવા નહી તેમજ સિંહે મારણ કર્યું હોય તેવા કિસ્સામાં અફવાઓ ફેલાવવી નહી વગેરે બાબતે સજાગતા રાખવાનું જણાવાયું છે. હાલ સિંહ ચોટીલા,વિંછીયા,જસદણની ગામની બોર્ડર પર સિંહની હરકત જોવા મળી છે. તેમજ વન વિભાગ દ્વારા સિંહ પર નજર રાખવામાં આવી રહી છે.

આ વિસ્તારમાં સિંહ છે તેની પુષ્ટી કરતો એક વિડીયો પણ મળી આવ્યો હતો. સાથે જ જે માલધારીઓના પશુઓનું મારણ થયું હતું તેમને સરકારી નિયમ મુજબ એક ઢોર દીઠ 16000 રૂપિયાની સહાયનાં ચેક આપવામાં આવ્યા હતા. સિંહ જોવા મળે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક કરવા તેમને જણાવાયું હતું.

સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરનાં ઘણા તાલુકાઓમાં સિંહ વસવાટને કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે તેમજ સિંહ વસવાટવાળા વિસ્તારોમાં નીલગાય અને ભુંડની સંખ્યા પણ કાબુમાં રહેતી હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે રાત્રી ઉજાગરા કરવા પડતા નથી, અને તેમનો કિંમતી સમય પણ બચી જાય છે.

ચોટીલામાં સિંહ દેખાતા ભયનો માહોલ, વન વિભાગની ટીમ એક્શનમાં

ગ્રામજનોનાં હિતાર્થે વનવિભાગ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં સિંહને પજવવો કે છંછેડવો નહી તેમજ ટોળુ લઇને સિંહ જોવા જવું નહીં, સિંહ ગામની આસપાસ હોય ત્યારે ઢોરને ખુલ્લામાં બાંધવા નહી તેમજ સિંહે મારણ કર્યું હોય તેવા કિસ્સામાં અફવાઓ ફેલાવવી નહી વગેરે બાબતે સજાગતા રાખવાનું જણાવાયું છે. હાલ સિંહ ચોટીલા,વિંછીયા,જસદણની ગામની બોર્ડર પર સિંહની હરકત જોવા મળી છે. તેમજ વન વિભાગ દ્વારા સિંહ પર નજર રાખવામાં આવી રહી છે.

Intro:Body:Gj_snr_sinh pushti_avb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : કલ્પેશ સર
ફોર્મેટ : avb

ચોટીલામાં સિંહ દેખાયા ની પુષ્ટિ કરતા વન અધિકારી
છેલ્લા બે દિવસ થી સુરેન્દ્રનગર જિલ્લાના ચોંટીલા તાલુકાના ચોબારી, રામપરા ,ઢેઢુકી ગામની સીમમાં એશીયાઈ સિંહ દેખાતા તે વિસ્તારમાં ખુશીની સાથે ડર નો પણ ભય લોકોને લાગી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વન વીભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં રહીને સાવજનું લોકેશન જાણવા માટે મહેનત કરી રહ્યા છે.ત્યારે આજરોજ જુનાગઢ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રી એસ.કે શ્રીવાસ્તવ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની વન વિભાગ ની ટીમ દ્વારા જે વિસ્તારમાં સિંહ દેખાયો હતો તેમજ જ્યાં મારણ કર્યું હતું ત્યાં જઈ ને મુલાકત કરી હતી. તેમજ ત્યાંના સ્થાનીક લોકોને જરૂરી સૂચનો પણ કર્યા હતા. જેવા કે સિંહ થી ગભરાવવાની જરૂર નથી તે જે માલધારીઓ ને પોતાના પશુઓને ખુલ્લા માં ન રાખે તેવી સલાહ પણ આપવામાં આવી હતી. સાથે આ વિસ્તારમાં સિંહ છે તેને પુષ્ટિ કરતો એક વિડીયો પણ મળી આવ્યો હતો. સાથે જે માલધારીઓ ના પશુઓનું મારણ કરેલ હતું. તેઓને સરકારી નિયમ મુજબ એક ઢોર દીઠ 16000 રૂપિયા ની સહાય ના ચેક આપવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં એશિયાઇ સિંહ નું આગમન થયુ છે, ત્યારે અગાઉ ચોટીલા માનવવન વિસ્તારમાં દીપડા જોવા મળતા હતા ત્યારે ચોટીલા વિસ્તારમાં સિહ જોવા મળ્યા છે સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા ગ્રામજનોની સિંહ જોવા મળે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર નો સંપર્ક કરવા જણાવાયું છે
સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર-સોમનાથ અને ભાવનગરના ઘણા બધા તાલુકાઓમાં સિંહ વસવાટને કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે તેમજ સિંહ વસવાટ વાળા વિસ્તારોમાં નીલગાય અને ભુંડની સંખ્યા પણ કાબુમાં રહેતી હોવાથી અભ્યારણ્ય બહાર ખેડૂતો સાથે વસવાટ કરતા સિંહો નું મુખ્ય ખોરાક નીલગાય અને ભૂંડ હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે રાત્રી ઉજાગરા કરવા પડતા નથી,અને તેમનો કીમતી સમય પણ બચી જાય છે, તેમજ ભારતની શાન ગણાતા એશિયાઈનું સિંહ નું ચોટીલા વિસ્તારમાં આગમન થયાની વાતને સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, ત્યારે ઢેઢુકી ગામની સિંહ હોવાની વાતને વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, તેમજ જસદણ ચોટીલા સહિત આસપાસ વિસ્તારોમાં હાલ સિંહ જોવા મળ્યા છે આથી ગ્રામજનો ના હિતાર્થે વનવિભાગ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે જેમાં સિંહને પજવવો કે છંછેડવો નહીં તેમજ પરેશાન કરવો નહીં, લોકોનું ટોળુ લઇને સિંહ જોવા જવું નહીં,સિંહ ની હાજરીમાં ગામની આસપાસ હોય ત્યારે માલ ઢોર અને ખુલ્લા બાંધવા નહીં તેમજ સિંહ મારણ કર્યું હોય તેવા કિસ્સામાં અફવાઓ ફેલાવવી નહિ વગેરે બાબતે સજાગતા રાખવાનુ જણાવાયું છે.તેમજ સિંહ સાથે પંજવણી વિડીયો વાયરલ કરવા નહીં તૈમજ સિંહ જોવા મળે સ્થાનિક વનવિભાગ ને જાણ કરો તેમજ હાલ આ સિહ ચોટીલા,વિછીયા,જસદણ ની ગામની બોડૅર પર સિંહ ની હરકત જોવા મળી છે હાલમાં બે સિહ હોવાનુ જાણવા મળ્યું છે તેમજ વન વિભાગ દ્રારા સિહની મુમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે.

બાઈટ.
(૧) શ્રી એસ.કે શ્રીવાસ્તવ
(જૂનાગઢ રેન્જ સી.સી.એફ)
(૨) દેવાભાઈ
(સહાય મેળવનાર માલધારી)Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.