ETV Bharat / state

લખતર હાઈવે પર કાર અકસ્માત, 4 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત

author img

By

Published : Nov 18, 2020, 2:21 PM IST

સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર કોઠારીયા નજીક આવેલી પેપર મીલ પાસે વહેલી સવારે કાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર રોંગ સાઈડમાં ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર 4 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

લખતર હાઈવે પર કાર અકસ્માત, કારમાં સવાર 4 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત
લખતર હાઈવે પર કાર અકસ્માત, કારમાં સવાર 4 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત
  • સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે અકસ્માત
  • કાર ઝાડ સાથે અથડાતાં 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત
  • કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બની દુર્ઘટના
  • મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયાં

સુરેન્દ્રનગરઃ હાલ તહેવારો ચાલી રહ્યાં છે, ત્યારે લોકો દર્શન માટે અલગ અલગ જગ્યાએ જતાં હોય છે. સુરેન્દ્રનગરના લખતરનો પરિવાર ભગુડા મોગલ ધામથી દર્શન કરી પરત લખતર ફરી રહ્યો હતો. સુરેન્દ્રનગર લખતર હાઈવે પર કોઠારીયા ગામ નજીક આવેલી પેપર મીલ પાસે બુધવારે વહેલી સવારે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જેમાં 3 મહિલા તેમ જ 1 પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે એક યુવકને ગંભીર રીતે ઇજા થતાં સારવાર માટે 108 મારફતે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો છે.

સુરેન્દ્રનગર - લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે અકસ્માત
કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બની દુર્ઘટના
કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બની દુર્ઘટના

એક જ પરિવારના 4નાં મોત

આ ઘટનાની જાણ થતાં વઢવાણ પોલીસ અને લખતર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. વઢવાણ અને લખતર 108ની ટીમે મહામહેનતે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યાં હતાં. આ અકસ્માતમાં એક જ પરિવારના લોકોના મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

  • સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે અકસ્માત
  • કાર ઝાડ સાથે અથડાતાં 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત
  • કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બની દુર્ઘટના
  • મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયાં

સુરેન્દ્રનગરઃ હાલ તહેવારો ચાલી રહ્યાં છે, ત્યારે લોકો દર્શન માટે અલગ અલગ જગ્યાએ જતાં હોય છે. સુરેન્દ્રનગરના લખતરનો પરિવાર ભગુડા મોગલ ધામથી દર્શન કરી પરત લખતર ફરી રહ્યો હતો. સુરેન્દ્રનગર લખતર હાઈવે પર કોઠારીયા ગામ નજીક આવેલી પેપર મીલ પાસે બુધવારે વહેલી સવારે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જેમાં 3 મહિલા તેમ જ 1 પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે એક યુવકને ગંભીર રીતે ઇજા થતાં સારવાર માટે 108 મારફતે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો છે.

સુરેન્દ્રનગર - લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે અકસ્માત
કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બની દુર્ઘટના
કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બની દુર્ઘટના

એક જ પરિવારના 4નાં મોત

આ ઘટનાની જાણ થતાં વઢવાણ પોલીસ અને લખતર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. વઢવાણ અને લખતર 108ની ટીમે મહામહેનતે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યાં હતાં. આ અકસ્માતમાં એક જ પરિવારના લોકોના મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.