ETV Bharat / state

અહીં ગ્રામજનો પોતાના જ ગામને કેમ કહે છે પૃથ્વીલોકનું નર્ક, પ્રધાનના મતક્ષેત્રમાં પ્રજા પરેશાન

author img

By

Published : Sep 25, 2019, 9:09 AM IST

સુરતઃ કાદવ-કીચડમાં ચાલતા બાળકો, બુઝુર્ગો અને મહિલાઓનું આ દ્રશ્ય માંગરોળ તાલુકાના હથુંરણ ગામનું છે. આ ગામ કેબિનેટ પ્રધાન ગણપતભાઈ વસાવાના મતવિસ્તારમાં આવેલું છે. દિવા તળે અંધારુ હોય એ કહેવત અનુસાર, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવાના મતક્ષેત્રની તસવીર સરકારની તો નિષ્ફળતા દર્શાવે જ છે. આ વાસ્તવિક સ્થિતિ આદિવાસી સમુદાય પ્રત્યેની દુર્લક્ષતા દર્શાવી રહી છે.

આ ગામના લોકો પોતાના જ ગામને કેમ કહે છે પૃથ્વીલોકનું નર્ક, પ્રધાનના મતક્ષેત્રમાં પ્રજા પરેશાન

રાજ્ય સરકારના ગણપતભાઈ વસાવા માત્ર આ વિસ્તારના પ્રતિનિધિ નથી, તેઓ ગુજરાત સરકારનો પણ ચહેરો છે. તેમ છતાં ખાટલે મોટી ખોટ એવી છે કે, તેમના મતવિસ્તારમાં લોકોને રસ્તાની સુવિધા પણ નથી મળતી. વિકાસ માટે મોડલરૂપ ગણાતા ગુજરાતનું આ વરવું ચિત્ર છે. ગણપતભાઈના મતક્ષેત્ર માંગરોળ તાલુકાના હથુંરણ ગામના ખડી ફળીયામાં 100થી વધારે આદિવાસી પરિવારો રહે છે. તંત્રની નિષ્કાળજી, ઉપેક્ષા અને દુર્લક્ષતાના કારણે આ વિસ્તારના લોકો નર્કમાં રહેતા હોવાનો અનુભવ કરી રહ્યા છે.

ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યા ગંભીરતાથી ધ્યાને લેવાતી નથી. આ વિસ્તારના લોકોને સતત ભય સતાવી રહ્યો છે કે, તેઓ ક્યાંય બહાર ગયા હોય તો તેમના સંતાનોની જવાબદારી કોની? મોટી ઉંમરના લોકો તો ગમે તે રીતે રસ્તા પર ચાલી જશે પણ બાળક કાદવમાં ખુંપી જશે અને ન બનવાનો બનાવ બનશે તો. ગામના તલાટી જયશ્રીબેન ડામોર એવું કહીને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે કે, તેમણે ફેબ્રુઆરીમાં જ કાર્યભાર સંભાળ્યો છે. એક સાથે વિકાસ ન થાય. જે વિસ્તારમાં સમસ્યા છે ત્યાં પણ વિકાસના કામ થઈ રહ્યા છે.

આ ગામના લોકો પોતાના જ ગામને કેમ કહે છે પૃથ્વીલોકનું નર્ક, પ્રધાનના મતક્ષેત્રમાં પ્રજા પરેશાન

ગુજરાતની આગળ ગર્વથી વાઈબ્રન્ટ શબ્દ ઉચ્ચારવામાં આવે છે. પ્રધાનો અને રાજકીય નેતાઓ ગુજરાતની સિદ્વિઓ ગણાવતા થાકતા નથી, પરંતુ હજું ઘણુ કરવાનું બાકી છે. પ્રધાનોના મતવિસ્તારમાં જ જો આવી સ્થિતિ હોય તો અન્ય સ્થળે સમસ્યાઓ, મુશ્કેલીઓનો કેવો અને કેટલો મોટો ખડકલો હશે તે સમજી શકાય છે. નેતાઓ અને અધિકારીઓ માત્ર વાતોના વડા કરવાના બદલે આ લાચાર જનતાને વિકાસનો લાભ આપે અને તેમની મુશ્કેલીઓ દુર કરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી લાગણી અને માગણી ગ્રામજનોમાં પ્રવર્તી રહી છે.

રાજ્ય સરકારના ગણપતભાઈ વસાવા માત્ર આ વિસ્તારના પ્રતિનિધિ નથી, તેઓ ગુજરાત સરકારનો પણ ચહેરો છે. તેમ છતાં ખાટલે મોટી ખોટ એવી છે કે, તેમના મતવિસ્તારમાં લોકોને રસ્તાની સુવિધા પણ નથી મળતી. વિકાસ માટે મોડલરૂપ ગણાતા ગુજરાતનું આ વરવું ચિત્ર છે. ગણપતભાઈના મતક્ષેત્ર માંગરોળ તાલુકાના હથુંરણ ગામના ખડી ફળીયામાં 100થી વધારે આદિવાસી પરિવારો રહે છે. તંત્રની નિષ્કાળજી, ઉપેક્ષા અને દુર્લક્ષતાના કારણે આ વિસ્તારના લોકો નર્કમાં રહેતા હોવાનો અનુભવ કરી રહ્યા છે.

ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યા ગંભીરતાથી ધ્યાને લેવાતી નથી. આ વિસ્તારના લોકોને સતત ભય સતાવી રહ્યો છે કે, તેઓ ક્યાંય બહાર ગયા હોય તો તેમના સંતાનોની જવાબદારી કોની? મોટી ઉંમરના લોકો તો ગમે તે રીતે રસ્તા પર ચાલી જશે પણ બાળક કાદવમાં ખુંપી જશે અને ન બનવાનો બનાવ બનશે તો. ગામના તલાટી જયશ્રીબેન ડામોર એવું કહીને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે કે, તેમણે ફેબ્રુઆરીમાં જ કાર્યભાર સંભાળ્યો છે. એક સાથે વિકાસ ન થાય. જે વિસ્તારમાં સમસ્યા છે ત્યાં પણ વિકાસના કામ થઈ રહ્યા છે.

આ ગામના લોકો પોતાના જ ગામને કેમ કહે છે પૃથ્વીલોકનું નર્ક, પ્રધાનના મતક્ષેત્રમાં પ્રજા પરેશાન

ગુજરાતની આગળ ગર્વથી વાઈબ્રન્ટ શબ્દ ઉચ્ચારવામાં આવે છે. પ્રધાનો અને રાજકીય નેતાઓ ગુજરાતની સિદ્વિઓ ગણાવતા થાકતા નથી, પરંતુ હજું ઘણુ કરવાનું બાકી છે. પ્રધાનોના મતવિસ્તારમાં જ જો આવી સ્થિતિ હોય તો અન્ય સ્થળે સમસ્યાઓ, મુશ્કેલીઓનો કેવો અને કેટલો મોટો ખડકલો હશે તે સમજી શકાય છે. નેતાઓ અને અધિકારીઓ માત્ર વાતોના વડા કરવાના બદલે આ લાચાર જનતાને વિકાસનો લાભ આપે અને તેમની મુશ્કેલીઓ દુર કરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી લાગણી અને માગણી ગ્રામજનોમાં પ્રવર્તી રહી છે.

Intro: ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવા ના મતવિસ્તાર એવા માંગરોળ તાલુકાના હથુંરણ ગામના લોકો ઘૂંટણસમાં કાદવમાંથી નીકળવા મજબૂર થયા છે , સ્કૂલ જતા બાળકો કાદવમાં અનેક વાર ફસાય જાય છે અને હથુરણ ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે ......
Body:
સમગ્ર ભારતભરમાં વિકાસ ની વાત આવે એટલે ગુજરાત રાજ્યના વિકાસને એક મોડેલ તરીકે ગણવામાં આવે છે ત્યારે ગુજરાતની આજ ભાજપની સરકાર અને ગુજરાતના કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના મતવિસ્તાર એવા માંગરોળ તાલુકાના હથુરણ ગામે આવેલા ખડી ફળિયાના લોકો આજે પણ કાદવમાં રજળી રહ્યા છે. આ દ્રશ્ય છે હથુંરણ ગામના. ગામની સમસ્યા ખૂબ ગંભીર છે અને સ્થાનિકો કહે છે હથુરણ પૃથ્વીલોકનું નર્ક સમાન ગામ છે. હથુંરણ ગામના ખડી ફળિયામાં 100થી વધુ આદિવાસી પરિવાર રહે છે. અહીં રહેતા લોકોની હાલત દયનિય છે કારણકે આજે પણ આ ગામ વિકાસથી વંચિત રહેવાને કારણે બાળકોએ સ્કૂલે જવા માટે ઘૂંટણ સમાં કાદવમાંથી પસાર થઈ ને જવું પડે છે અને ઘણી વખત બાળકો કાદવમાં ખુંપી જતા માતા પિતાએ તેમને કાદવમાંથી કાઢવા માટે કીચડ માં કુદી પડતા હોય છે ગ્રામજનોએ ઘણી રજૂઆતો કરી છતાં આ ગરીબ આદિવાસી પરિવારને સાંભળનારુ કોઈ નથી,
આમ તો ગુજરાત સરકાર ગામડાઓને શહેર જેવા બનાવવાની વાતો કરે છે ગાંધીનગર થી દિલ્હી સુધી વિકાસની હવા છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કેવો વિકાસ છે એ તો દેશની જનતા જાણે જ છે જેનું શ્રેષ્ટ ઉદાહરણ ગુજરાતના કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવાના મતવિસ્તાર એવા માંગરોળ તાલુકાનું હથુંરણ ગામ , આજે પણ આ ગામની આદિવાસી ગરીબ પ્રજા પીવાના શુદ્ધ પાણીની સુવિધા, સ્ટ્રીટ લાઈટ , રોડ રસ્તા, ગટરો જેવી પાયાની સુવિધાથી જ વંચિત છે .......




Conclusion:માંગરોળ તાલુકાનું હથુરણ ગામ પૃથ્વીલોકનું નર્ક બની ગયું છે અને નર્કનો અંધકાર સ્થાનિકોને પરેશાન કરી રહ્યો છે સરકારે લાખો કરોડોની ગ્રાન્ટનો હિસાબ નેતાઓ પાસે માંગવો જોઈએ કેમકે માંગરોળ તાલુકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિવિધ યોજના થકી આવે છે છતાં ગામડાનો વિકાસ કેમ થતો નથી સરકારે એ દિશામાં પણ તપાસ કરાવવી જોઈએ. તો બીજી તરફ હથુરણ ગામની ગરીબ આદિવાસી પ્રજાનું કોઈએ નહીં સાંભળતા આખરે ગ્રામજનોએ ગ્રામપંચાયત પર હલ્લાબોલ કર્યો હતો .....
સરકારે હથુંરણ ગામની લાચાર, બિચારી જનતાની પરીક્ષા કરવા કરતાં વિકાસની હેલી વરસાવવી જોઈએ તોજ ગામડાઓ સમૃદ્ધ થશે બાકી આજે પણ ગુજરાતમાં હથુંરણ જેવા અસંખ્ય ગામો છે જે વિકસના મુહરતની રાહ જોઇને બેઠા છે ......

બાઈટ 1 ..... જયંતિ વસાવા..... સ્થાનિક , હથુંરણ

બાઈટ 2 .... લક્ષ્મી વસાવા ...... સ્થાનિક , હથુંરણ

બાઈટ 3 ..... જયશ્રી ડામોર .... તલાટી કમ મંત્રી, હથુંરણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.