ETV Bharat / state

સુરત શહેરમાં ચુંટણી જાહેર થતા શરૂ થયો આચાર સંહિતાનો અમલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections 2022) તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે શહેરમાં ચુંટણીને લઈને આચાર સંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વાહનોની સઘન ચકાસણી પણ કરવામાં આવી રહી છે.

author img

By

Published : Nov 6, 2022, 5:14 PM IST

સુરત શહેરમાં ચુંટણી જાહેર થતા શરૂ થયો આચાર સંહિતાનો અમલ
સુરત શહેરમાં ચુંટણી જાહેર થતા શરૂ થયો આચાર સંહિતાનો અમલ

સુરત: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022નો (Gujarat Assembly Elections 2022) વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ સાથે જ સમગ્ર સુરત જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણીની કામગીરીમાં જોતરાયું છે.તે સાથે જ શહેરમાં ચુંટણીને લઈને આચાર સંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વાહનોની સઘન ચકાસણી પણ કરવામાં આવી રહી છે.

સુરત શહેરમાં ચુંટણી જાહેર થતા શરૂ થયો આચાર સંહિતાનો અમલ

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022નો (Gujarat Assembly Elections 2022) વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. ત્યારે સુરત જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા કલેકટર આયુષ ઓક અને અધિક જિલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં સરકારી ઈમારતો, જાહેર સ્થળો, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતો વાળા પોસ્ટર, બેનરો તથા દિવાલો પરના લખાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ ચુંટણીને લઈને ચેકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે.

ચુંટણી જાહેર થતા લાગી આચારસંહિતા: ચુંટણી જાહેર થતાની સાથે સાથે આચારસંહિતા (Code of Conduct in surat) લાગી ગઈ છે. જેથી ચુંટણી પ્રચાર કરતા બોર્ડ બેનરો દુર કરવામાં આવ્યા છે. જયારે ચુંટણી લક્ષી રોકડ વ્યવહારને રોકવા માટે શહેરમાં ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સુરતના વરાછા સહિતના વિસ્તારમાં સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા પોલીસની ટીમને સાથે રાખીને તમામ ફોરવ્હીલર કારોને રોકીને તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

સુરત: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022નો (Gujarat Assembly Elections 2022) વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ સાથે જ સમગ્ર સુરત જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણીની કામગીરીમાં જોતરાયું છે.તે સાથે જ શહેરમાં ચુંટણીને લઈને આચાર સંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વાહનોની સઘન ચકાસણી પણ કરવામાં આવી રહી છે.

સુરત શહેરમાં ચુંટણી જાહેર થતા શરૂ થયો આચાર સંહિતાનો અમલ

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022નો (Gujarat Assembly Elections 2022) વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. ત્યારે સુરત જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા કલેકટર આયુષ ઓક અને અધિક જિલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં સરકારી ઈમારતો, જાહેર સ્થળો, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતો વાળા પોસ્ટર, બેનરો તથા દિવાલો પરના લખાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ ચુંટણીને લઈને ચેકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે.

ચુંટણી જાહેર થતા લાગી આચારસંહિતા: ચુંટણી જાહેર થતાની સાથે સાથે આચારસંહિતા (Code of Conduct in surat) લાગી ગઈ છે. જેથી ચુંટણી પ્રચાર કરતા બોર્ડ બેનરો દુર કરવામાં આવ્યા છે. જયારે ચુંટણી લક્ષી રોકડ વ્યવહારને રોકવા માટે શહેરમાં ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સુરતના વરાછા સહિતના વિસ્તારમાં સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા પોલીસની ટીમને સાથે રાખીને તમામ ફોરવ્હીલર કારોને રોકીને તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.