ETV Bharat / state

સુરતમાં હીરા યુનિટો પાંચથી છ કલાક શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી

author img

By

Published : May 26, 2020, 12:29 PM IST

કોરોના વાયરસના પગલે હાલ ચાલી રહેલા લોકડાઉનના કારણે સુરતના 70 ટકા રત્ન કલાકારો પોતાના વતન તરફ વળી જતા માંડ માંડ 3 ટકા હીરાના મોટા ઉદ્યોગ શરૂ થયા હોવાનો દાવો સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખે કર્યો છે. મુંબઈનું હીરા ઉદ્યોગ પણ હાલ બંધ સ્થિતિમાં હોવાના કારણે સુરતના હીરા ઉદ્યોગ દ્વારા ડાયમંડ એસોસિયેશનને કરેલી રજુઆત બાદ રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લઈ ઉદ્યોગોને પાંચથી છ કલાક ચાલુ રાખવા સુચના આપવામાં આવી છે.

સુરતમાં હીરા યુનિટને પાંચથી છ કલાક શરૂ કરવા સૂચના અપાઇ
સુરતમાં હીરા યુનિટને પાંચથી છ કલાક શરૂ કરવા સૂચના અપાઇ

સુરતઃ લોકડાઉનના ચોથા તબક્કા દરમિયાન રાજ્ય સરકારે આપેલી છૂટછાટ બાદ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ધંધા વેપાર શરૂ કરવા અંગેની પરવાનગી આપવામાં આવી છે.જો કે, સુરતનો હીરા ઉદ્યોગનો કેટલાક ભાગ કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા તે શરૂ થઈ શક્યા નથી.

સુરતમાં હીરા યુનિટને પાંચથી છ કલાક શરૂ કરવા સૂચના અપાઇ

માત્ર નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા જ હીરા ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે. સુરતમાં નાના - મોટા મળી કુલ 5 હજારથી વધુ હીરા ઉદ્યોગો આવેલા છે. પરંતુ 70 ટકા રત્ન કલાકારો લોકડાઉનના કારણે પોતાના વતન તરફ વળી જતા હીરા ઉદ્યોગ સંપૂર્ણ રીતે શરૂ થઈ શક્યા નથી. જેમાં માત્ર બેથી ત્રણ ટકા જ મોટા હીરા ઉદ્યોગો શરૂ થયા છે. હીરા ઉદ્યોગને સંપૂર્ણરૂપથી શરૂ થતાં હજી ઘણો સમય લાગી શકે તેમ છે.

મુંબઈનું ડાયમંડ બુર્સ પણ હાલ કોરોનાની મહામારીના કારણે બંધ પડ્યું છે. જ્યારે સુરતમાં પણ હીરાનું વેચાણ થઈ શકે તેમ નથી. હીરા ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સુરત ડાયમંડ એસોસિયેશનને કરવામાં આવેલી રજુઆત બાદ જે રત્ન કલાકારો સુરતમાં છે. તેઓનું હિત જળવાહ રહે તેને લઈ હીરા યુનિટો પાંચથી છ કલાક શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે.બીજી તરફ કન્ટેનમેન્ટ ઝોનમાં પણ લોકો મોટી સંખ્યામાં અવરજવર અને ભીડભાડ કરી ઓફિસો ખોલી રહ્યા છે. જેથી આવા લોકોને પણ એસોસિયેશન દ્વારા કડક સૂચનાઓ આપી નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

સુરતઃ લોકડાઉનના ચોથા તબક્કા દરમિયાન રાજ્ય સરકારે આપેલી છૂટછાટ બાદ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ધંધા વેપાર શરૂ કરવા અંગેની પરવાનગી આપવામાં આવી છે.જો કે, સુરતનો હીરા ઉદ્યોગનો કેટલાક ભાગ કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા તે શરૂ થઈ શક્યા નથી.

સુરતમાં હીરા યુનિટને પાંચથી છ કલાક શરૂ કરવા સૂચના અપાઇ

માત્ર નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા જ હીરા ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે. સુરતમાં નાના - મોટા મળી કુલ 5 હજારથી વધુ હીરા ઉદ્યોગો આવેલા છે. પરંતુ 70 ટકા રત્ન કલાકારો લોકડાઉનના કારણે પોતાના વતન તરફ વળી જતા હીરા ઉદ્યોગ સંપૂર્ણ રીતે શરૂ થઈ શક્યા નથી. જેમાં માત્ર બેથી ત્રણ ટકા જ મોટા હીરા ઉદ્યોગો શરૂ થયા છે. હીરા ઉદ્યોગને સંપૂર્ણરૂપથી શરૂ થતાં હજી ઘણો સમય લાગી શકે તેમ છે.

મુંબઈનું ડાયમંડ બુર્સ પણ હાલ કોરોનાની મહામારીના કારણે બંધ પડ્યું છે. જ્યારે સુરતમાં પણ હીરાનું વેચાણ થઈ શકે તેમ નથી. હીરા ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સુરત ડાયમંડ એસોસિયેશનને કરવામાં આવેલી રજુઆત બાદ જે રત્ન કલાકારો સુરતમાં છે. તેઓનું હિત જળવાહ રહે તેને લઈ હીરા યુનિટો પાંચથી છ કલાક શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે.બીજી તરફ કન્ટેનમેન્ટ ઝોનમાં પણ લોકો મોટી સંખ્યામાં અવરજવર અને ભીડભાડ કરી ઓફિસો ખોલી રહ્યા છે. જેથી આવા લોકોને પણ એસોસિયેશન દ્વારા કડક સૂચનાઓ આપી નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.