સુરત શહેરનો એક ગૌરવશાળી ઈતિહાસ ઈ.સ. 300 વર્ષ પહેલાં સુધી જાય છે. આ શહેર તાપી નદીના કિનારે વસેલું છે અને અરબ સાગરની સાથે જોડાયેલ 6 કિ.મી. લાંબો તટપ્રદેશ ધરાવે છે. આ કારણોથી શહેર એક મહત્વપૂર્ણ વ્યાપાર કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું અને 16મી, 17મી તેમજ 18મી સદીમાં સમુદ્રી વ્યાપારને લીધે શહેરે સમૃદ્ધિ પ્રાપ્ત કરી.
ભારત અને બીજા ઘણા દેશો વચ્ચે સુરત શહેર વ્યાપાર માટે મહત્વનું કેન્દ્ર બની ગયું. જહાજ નિર્માણ ક્ષેત્રે પણ સુરત એક સમૃદ્ધ કેન્દ્ર હતું. અઠવાલાઈન્સથી ડુમસ સુધીનો સંપૂર્ણ પટ્ટો ખાસ કરીને જહાજ નિર્માતાઓ માટે હતો.
ઈ.સ.1759માં બ્રિટિશ શાસકોએ મુઘલો પાસેથી આ શહેરની સત્તા પડાવી લીધી, જે 20મી સદીની શરુઆત સુધી ચાલ્યું. જે સમયે સુરત પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન હતું. વેપાર કરવા માટે ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા મોહર ઉપયોગમાં આવતી હતી. જે આઝાદી પછી કોઈક ને કોઈક રીતે શનિવારી બજારમાં પહોંચી હતી .
25 વર્ષથી સુરતમાં વસેલા ઈન્ટિરિયર ડિઝાઈનર અને એન્ટિક વસ્તુઓના શોખીન પ્રણવ શાહ દ્વારા બે મોહોર સાચવવામાં આવી છે. લગભગ 200 વર્ષ થી પણ જૂની આ મોહોર પર ઈસ્ટ ઈન્ડિયા કંપની કવિન વિક્ટોરિયા 1840 કોતરવામાં આવ્યું છે. સુરતના ઈતિહાસ સાથે જોડાયેલી આ બન્ને મોહોર 17 વર્ષ પહેલાં પ્રણવ શાહને શનિવારી બજારમાંથી મળી આવી હતી.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીની બે મોહોર સિવાય પ્રણવ શાહને શનિવારી બજારમાંથી ઈ.સ.1818માં જૈનદેરાસર કેવી રીતે બાંધવા એની માહિતી આપતું પુસ્તક પણ મળી આવ્યું છે. જે હિંમતનગરના બ્રાહ્મણ પરિવારનાં ચાર દીકરાઓ દ્વારા લખવામાં આવ્યું હતું. આ પુસ્તક ગુજરાતી અને સંસ્કૃત ભાષાનું મિશ્રણ છે.
મહત્વની વાત તો એ છે કે,10 વર્ષ પહેલા જ્યારે આ બુક મળી ત્યારે તે ખૂબ જ ખરાબ હાલતમાં હતી. પ્રણવ શાહ એ તેની તમાકુના પાન અને બોરીક પાવડર થી જાળવણી કરી છે.
આ ઉપરાંત ઈ. સ. 1886 થી 1900 સુધી કિલ્લાનાં ખજાનચીઓ દ્વારા લખાયેલી 12 જેટલી ડાયરી પણ મળી આવી હતી. જેમાં કિલ્લાનાં ખજાનચી પાલજી બજનજી કોટવાલ દ્વારા ભરૂચ-સુરતનું પાર્ટીશન, કોર્પોરેશન,સુરતની શેરીઓની ઘટના, નાનપુરાનું દવાખાનું, રીડિંગ રૂમ, પહેલી ઘડિયાળ વિશેની વિગતો લખી છે.
ભારત અને બીજા ઘણા દેશો વચ્ચે સુરત શહેર વ્યાપાર માટે મહત્વનું કેન્દ્ર બની ગયું. જહાજ નિર્માણ ક્ષેત્રે પણ સુરત એક સમૃદ્ધ કેન્દ્ર હતું. અઠવાલાઈન્સથી ડુમસ સુધીનો સંપૂર્ણ પટ્ટો ખાસ કરીને જહાજ નિર્માતાઓ માટે હતો.
ઈ.સ.1759માં બ્રિટિશ શાસકોએ મુઘલો પાસેથી આ શહેરની સત્તા પડાવી લીધી, જે 20મી સદીની શરુઆત સુધી ચાલ્યું. જે સમયે સુરત પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન હતું. વેપાર કરવા માટે ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા મોહર ઉપયોગમાં આવતી હતી. જે આઝાદી પછી કોઈક ને કોઈક રીતે શનિવારી બજારમાં પહોંચી હતી .