સુરતની વરાછા કો.ઓપ.બેંકમાં સર્વિસ કરતો આ યુવાન જય જવાન નાગરિક સમિતિ આયોજિત રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરવા ગયેલો અને ત્યાં દાત્રી સંસ્થાના કાર્યકરોસ્ટેમસેલ ડોનેશન અંગે સમજ આપતા હતા અને જો મેચ થાય તો ડોનેશન કરવા રાજી હોય તેનું લાળનું સેમ્પલ લઈને રજીસ્ટ્રેશન કરતા હતા આથી "બીજાના ભલામાં આપણું ભલું" ની ભાવના સાથે સેમ્પલ તરીકે નોંધણી કરાવી અને 2 વર્ષ બાદ અચાનક દાત્રી સંસ્થાના કાર્યકરનો મીત પર કોલ આવ્યો કે તેના સ્ટેમસેલ 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળક સાથે મેચ થયા છે."
22 વર્ષના મીત હિરપરાએ થેલેસેમિયા મેજર બાળકને સ્ટેમસેલ દાન કરી તેના જીવનનું ગ્રહણ દૂર કર્યું સ્ટેમસેલ મેચ થયા બાદ મીતે આ વિશે વધુ જાણકારી માટે હિમેટોલોજીસ્ટનો સંપર્ક કર્યો અને જે પ્રશ્નો હતા તે દૂર કર્યા. ત્યારબાદ આશીર્વાદ મેળવવા માટે BAPS સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજને આ વાત જણાવી આશીર્વાદ મેળવ્યા હતા. અને ત્યાર બાદ ડોનેશન કરવાનું નક્કી કર્યું હતું. અને રક્તકણો દાન કર્યા હતા.આ અંગેની વાતચીતમાં મીત હિરપરા ખાસ અપીલ કરે છે કે સામાજિક સંસ્થાઓ સ્ટેમસેલના દાન અંગે સમાજમાં જાગૃતિ લાવે અને લોકોમાં આ બાબતે ગેરસમજણ દૂર થાય. સ્ટમસેલના દાન અંગે માટે વધુને વધુ લોકો જોડાય જેથી બ્લડ કેન્સર ,થેલેસેમિયા મેજરનો ભોગ બનેલ બાળકોને પીડામાંથી મુક્ત કરી તેમને નવજીવન આપી શકીએ. સ્ટેમસેલના દાનમાં આપનારે કંઇ ગુમાવવાનું નથી, પણ મેળવવાનું ઘણું બધું છે જેમકે સંતોષ, કોઈનું ભલું કર્યાનો આંનદ અને એક નિસ્વાર્થ સેવા દ્વારા શાંતિનો અનુભવ.