ETV Bharat / state

Surat News: સાંસારિક મોહને ત્યજી સંયમના માર્ગે ચાલવા સુરતના હીરા વેપારી પત્ની સાથે જેગુઆર કાર લઈને દીક્ષા મુહૂર્ત લેવા પહોંચ્યા

author img

By

Published : Aug 18, 2023, 12:24 PM IST

Updated : Aug 18, 2023, 12:56 PM IST

સંસારથી સન્યાસના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે સુરતમાં વૈભવી જીવન જીવતા દંપતિ. તેમના સંતાનોએ અગાઉ દીક્ષા લઈને સંયમ માર્ગે પ્રયાણ કરી ચૂક્યા છે. હવે આ દંપતિ પણ સાંસારિક મોહમાયા છોડીને સંન્યાસી જીવન અપનાવવાના છે. તેઓ દીક્ષા મુહૂર્ત માટે ગુરુદેવ રશ્મિરત્નસુરિજીને મળ્યા હતા. વાંચો વૈભવી લાઈફ સ્ટાઈલમાં જીવતા દંપતિનું સન્યાસ માર્ગે પ્રયાણ વિશે

હવે સમગ્ર પરિવાર સન્યાસ માર્ગે
હવે સમગ્ર પરિવાર સન્યાસ માર્ગે
વૈભવી જીવન જીવતા દંપતિ લેશે દીક્ષા

સુરત: 'સંસાર અસાર છે.' આ વિચાર જીવનમાં સાકાર થાય તો જીવને સંસારમાં આસક્તિ રહેતી નથી. આ જ વિચાર સુરતના એક સુખી દંપત્તિના જીવનમાં સાકાર થયો છે અને તેમને દીક્ષા લઈ સન્યાસ માર્ગે પ્રયાણ કરવાનું નક્કી કર્યું છે. સુરતના હીરા વેપારી દિપેશભાઈ શાહ અને તેમના પત્ની પીકાબેન શાહ દીક્ષાની તારીખ માટે પોતાની જેગુઆર કારમાં ગુરુદેવ રશ્મિરત્નસુરિજીની નિષ્ણામાં પહોંચ્યા હતા.'અહો ગુણ શ્રામુણ્ય' સંયમ મૂર્ત ઉત્સવ અંતર્ગત હીરાના વેપારીનું દીક્ષા મહુર્ત યોજાશે. તેમના પરિવારમાં સન્યાસ માર્ગે પ્રયાણ નવું નથી. તેમના સુપુત્ર અને સુપુત્રી અગાઉ દીક્ષા લઈ ચૂક્યા છે. તેમના પુત્રને દીક્ષા લીધે 10 વર્ષ થયા છે જ્યારે પુત્રીને દીક્ષા લીધે 6 વર્ષ થયા છે.

જેગુઆર કારમાં દીક્ષા મુહૂર્ત લેવા પહોંચ્યા
જેગુઆર કારમાં દીક્ષા મુહૂર્ત લેવા પહોંચ્યા

જેગુઆર કારમાં દીક્ષા મુહૂર્ત લેવા પધાર્યાઃ વૈભવી જીવન જીવતા આ દંપતિ જેગુઆર કારમાં બેસી ઉમરા જૈન સંઘમાં દીક્ષા મુહૂર્ત મેળવવા માટે પહોંચ્યા હતા. પોતાની કરોડો રૂપિયાની પ્રોપર્ટી તેઓ છોડીને હવે દીક્ષા લેશે. 20 ઓગસ્ટનાા રોજ 51 વર્ષીયા દિપેશ શાહ અને તેમની 46 વર્ષીય પત્ની પીકાબેન શાહ ઉમરાજન સંઘમાં દીક્ષા મહુર્ત ગ્રહણ કરવા માટે તેમના ગ્રીહ આંગણેથી ગાજતે વાસતે શોભાયાત્રા લઈને પધારશે. વેપારી દીપેશ શાહનો પરિવાર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. આજ દિન સુધી તેઓ વૈભવી જીવતા આવ્યા છે પરંતુ હવે તેઓ પોતાની પત્ની સાથે સંયમના માર્ગે ચાલવા દીક્ષા ગ્રહણ કરશે. તેઓ દીક્ષા લેશે અને તેમના મોટા પુત્ર તેમના વેપાર સંભાળશે.

જે સુખ અને સંતુષ્ટી સંયમના માર્ગે છે તે સાંસારીક જીવનમાં નથી તેથી મેં પત્ની સાથે દીક્ષા લેવા માટે નિર્ણય લીધો છે. હું ઘણા વર્ષોથી દીક્ષા લેવાનું વિચારી રહ્યો હતો...દિપેશભાઈ શાહ(હીરાના વેપારી)

બે બાળકો લઈ ચૂક્યા છે દીક્ષાઃ વર્ષો પહેલા બેલગામથી સુરતમાં રહેવા માટે આવેલા શાહ પરિવાર હંમેશાથી સંયમના માર્ગે જ ચાલવા માટે રહ્યો છે. આજથી દસ વર્ષ પહેલા તેમની પુત્રી પ્રિયાંશીએ બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. જેઓ સા.પરાર્થરેખાશ્રીજી મ.સા. બન્યા છે. 6 વર્ષ અગાઉ ફરારી બોય તરીકે દેશભરમાં જાણીતા થયેલા તેમનો પુત્ર ભવ્ય શાહ પણ દીક્ષા લઈ ચૂક્યા છે. જ્યારે ભવ્ય દીક્ષા લેવા માટે નીકળ્યો હતો ત્યારે તે ફરારી કારમાં સવાર હતો જેથી લોકો તેને ફરારી બોય તરીકે ઓળખતા થયા હતા. તેઓ મુની ભાગ્યરત્ન વિજયજી મ.સા. બન્યા છે.

સંયમના માર્ગે જવા માટેનો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી સહિત હરવા ફરવાનું ખૂબ પસંદ હતું, પરંતુ ત્યાર પછી સમજ આવ્યું કે આ સાંસારિક સુખ માત્ર ક્ષણિક હોય છે. જેથી મેં અને મારા પતિએ હવે સાંસારિક સુખોનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે...પીકાબેન શાહ (ગૃહિણી)

મુહૂર્ત ઉત્સવ યોજાશેઃ દિપેશભાઈ ના ત્રણ બાળકો હતા જેમાંથી બે દીક્ષા લઈ ચૂક્યા છે હવે બે બાળકો બાદ તેઓ પત્ની સાથે દીક્ષા લેવા માટે કટિબદ્ધ બન્યા છે. પૂ.દીક્ષાદાનેશ્વરી આ ગુણરત્નસુરીજીના આજીવન ચરણો ઉપાસક તરીકે જાણીતા ગુરુદેવ રશ્મિરત્ન સુરીજીની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન પ્રથમ મુહૂર્ત ઉત્સવનો કાર્યક્રમ યોજાશે.

  1. ભવ્ય જીવનનો ત્યાગ કરી માતાની અનુમતિ વગર ક્રિયા ચાલી સંયમના માર્ગે
  2. Jain Monk Murder Case : જૈન મુનિ હત્યા અંગે BJP ધારાસભ્યોનું ​​વિરોધ પ્રદર્શન, CBI તપાસની માં

વૈભવી જીવન જીવતા દંપતિ લેશે દીક્ષા

સુરત: 'સંસાર અસાર છે.' આ વિચાર જીવનમાં સાકાર થાય તો જીવને સંસારમાં આસક્તિ રહેતી નથી. આ જ વિચાર સુરતના એક સુખી દંપત્તિના જીવનમાં સાકાર થયો છે અને તેમને દીક્ષા લઈ સન્યાસ માર્ગે પ્રયાણ કરવાનું નક્કી કર્યું છે. સુરતના હીરા વેપારી દિપેશભાઈ શાહ અને તેમના પત્ની પીકાબેન શાહ દીક્ષાની તારીખ માટે પોતાની જેગુઆર કારમાં ગુરુદેવ રશ્મિરત્નસુરિજીની નિષ્ણામાં પહોંચ્યા હતા.'અહો ગુણ શ્રામુણ્ય' સંયમ મૂર્ત ઉત્સવ અંતર્ગત હીરાના વેપારીનું દીક્ષા મહુર્ત યોજાશે. તેમના પરિવારમાં સન્યાસ માર્ગે પ્રયાણ નવું નથી. તેમના સુપુત્ર અને સુપુત્રી અગાઉ દીક્ષા લઈ ચૂક્યા છે. તેમના પુત્રને દીક્ષા લીધે 10 વર્ષ થયા છે જ્યારે પુત્રીને દીક્ષા લીધે 6 વર્ષ થયા છે.

જેગુઆર કારમાં દીક્ષા મુહૂર્ત લેવા પહોંચ્યા
જેગુઆર કારમાં દીક્ષા મુહૂર્ત લેવા પહોંચ્યા

જેગુઆર કારમાં દીક્ષા મુહૂર્ત લેવા પધાર્યાઃ વૈભવી જીવન જીવતા આ દંપતિ જેગુઆર કારમાં બેસી ઉમરા જૈન સંઘમાં દીક્ષા મુહૂર્ત મેળવવા માટે પહોંચ્યા હતા. પોતાની કરોડો રૂપિયાની પ્રોપર્ટી તેઓ છોડીને હવે દીક્ષા લેશે. 20 ઓગસ્ટનાા રોજ 51 વર્ષીયા દિપેશ શાહ અને તેમની 46 વર્ષીય પત્ની પીકાબેન શાહ ઉમરાજન સંઘમાં દીક્ષા મહુર્ત ગ્રહણ કરવા માટે તેમના ગ્રીહ આંગણેથી ગાજતે વાસતે શોભાયાત્રા લઈને પધારશે. વેપારી દીપેશ શાહનો પરિવાર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. આજ દિન સુધી તેઓ વૈભવી જીવતા આવ્યા છે પરંતુ હવે તેઓ પોતાની પત્ની સાથે સંયમના માર્ગે ચાલવા દીક્ષા ગ્રહણ કરશે. તેઓ દીક્ષા લેશે અને તેમના મોટા પુત્ર તેમના વેપાર સંભાળશે.

જે સુખ અને સંતુષ્ટી સંયમના માર્ગે છે તે સાંસારીક જીવનમાં નથી તેથી મેં પત્ની સાથે દીક્ષા લેવા માટે નિર્ણય લીધો છે. હું ઘણા વર્ષોથી દીક્ષા લેવાનું વિચારી રહ્યો હતો...દિપેશભાઈ શાહ(હીરાના વેપારી)

બે બાળકો લઈ ચૂક્યા છે દીક્ષાઃ વર્ષો પહેલા બેલગામથી સુરતમાં રહેવા માટે આવેલા શાહ પરિવાર હંમેશાથી સંયમના માર્ગે જ ચાલવા માટે રહ્યો છે. આજથી દસ વર્ષ પહેલા તેમની પુત્રી પ્રિયાંશીએ બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. જેઓ સા.પરાર્થરેખાશ્રીજી મ.સા. બન્યા છે. 6 વર્ષ અગાઉ ફરારી બોય તરીકે દેશભરમાં જાણીતા થયેલા તેમનો પુત્ર ભવ્ય શાહ પણ દીક્ષા લઈ ચૂક્યા છે. જ્યારે ભવ્ય દીક્ષા લેવા માટે નીકળ્યો હતો ત્યારે તે ફરારી કારમાં સવાર હતો જેથી લોકો તેને ફરારી બોય તરીકે ઓળખતા થયા હતા. તેઓ મુની ભાગ્યરત્ન વિજયજી મ.સા. બન્યા છે.

સંયમના માર્ગે જવા માટેનો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી સહિત હરવા ફરવાનું ખૂબ પસંદ હતું, પરંતુ ત્યાર પછી સમજ આવ્યું કે આ સાંસારિક સુખ માત્ર ક્ષણિક હોય છે. જેથી મેં અને મારા પતિએ હવે સાંસારિક સુખોનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે...પીકાબેન શાહ (ગૃહિણી)

મુહૂર્ત ઉત્સવ યોજાશેઃ દિપેશભાઈ ના ત્રણ બાળકો હતા જેમાંથી બે દીક્ષા લઈ ચૂક્યા છે હવે બે બાળકો બાદ તેઓ પત્ની સાથે દીક્ષા લેવા માટે કટિબદ્ધ બન્યા છે. પૂ.દીક્ષાદાનેશ્વરી આ ગુણરત્નસુરીજીના આજીવન ચરણો ઉપાસક તરીકે જાણીતા ગુરુદેવ રશ્મિરત્ન સુરીજીની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન પ્રથમ મુહૂર્ત ઉત્સવનો કાર્યક્રમ યોજાશે.

  1. ભવ્ય જીવનનો ત્યાગ કરી માતાની અનુમતિ વગર ક્રિયા ચાલી સંયમના માર્ગે
  2. Jain Monk Murder Case : જૈન મુનિ હત્યા અંગે BJP ધારાસભ્યોનું ​​વિરોધ પ્રદર્શન, CBI તપાસની માં
Last Updated : Aug 18, 2023, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.