ETV Bharat / state

#SuratFireTragedy પર લાલજી પટેલનો કટાક્ષ, કહ્યું- નાની માછલીઓ પકડાઈ પણ મગર બચી ગયા

author img

By

Published : May 28, 2019, 1:22 PM IST

સુરતઃ સરથાણા વિસ્તારમાં બનેલી ગોઝારી ઘટનામાં 22 જેટલા વિધાર્થીઓ તંત્રના અધિકારીઓ અને બિલ્ડરના પાપે મોતને ભેટ્યાં છે. આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું અને તંત્રએ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા. તો બીજી તરફ પોતાના વહાલસોયા દીકરાને ગુમાવનાર પરિવારને સાંત્વના પાઠવવા એસપીજીના લાલજી પટેલ આજે સુરત આવી પહોંચ્યા છે.

#suratfiretragedy

ગુજરાત એસપીજી સંસ્થાના અધ્યક્ષ લાલજી પટેલ આજે સુરતમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં હોમાઈ ગયેલા મૃતકના પરિવારજનોની મુલાકાતે આવ્યા છે. જ્યાં તેમણે આ ઘટનાને ખુબ દુઃખદ ગણાવી હતી અને મૃતક બાળકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ હતું. લાલજી પટેલે જણાવ્યું કે, આ ઘટનામાં નાની માછલીઓનો ભોગ લેવામાં આવ્યો છે. જ્યારે મગરમચ્છનો બચાવ કરી લેવામાં આવ્યો છે. તેમણે જવાબદારો સામે કડકથી કડક પગલા ભરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે.

#SuratFireTragedy પર લાલજી પટેલનો કટાક્ષ, કહ્યું- નાની માછલીઓ પકડાઈ પણ મગર બચી ગયા

વધુમાં પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી કસુરવારો સામે પગલાં ભરવા જોઈએ. તંત્રની આળસ સામે હવે પ્રજાએ પણ જાતે જાગૃત થવાની જરૂર છે. હાર્દિક અંગે લાલજી પટેલે જણાવ્યું કે, હાર્દિક રાજકારણમાં ગયા છે તે તેનો નિર્ણય છે આ સમયે રાજકારણની વાતો કરવી તે યોગ્ય નથી. મૃતકના પરિવારોને ન્યાય મળે તે અમારી પ્રાથમિકતા છે જેથી આ મામલે આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજુવાત કરવામાં આવશે.

ગુજરાત એસપીજી સંસ્થાના અધ્યક્ષ લાલજી પટેલ આજે સુરતમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં હોમાઈ ગયેલા મૃતકના પરિવારજનોની મુલાકાતે આવ્યા છે. જ્યાં તેમણે આ ઘટનાને ખુબ દુઃખદ ગણાવી હતી અને મૃતક બાળકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ હતું. લાલજી પટેલે જણાવ્યું કે, આ ઘટનામાં નાની માછલીઓનો ભોગ લેવામાં આવ્યો છે. જ્યારે મગરમચ્છનો બચાવ કરી લેવામાં આવ્યો છે. તેમણે જવાબદારો સામે કડકથી કડક પગલા ભરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે.

#SuratFireTragedy પર લાલજી પટેલનો કટાક્ષ, કહ્યું- નાની માછલીઓ પકડાઈ પણ મગર બચી ગયા

વધુમાં પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી કસુરવારો સામે પગલાં ભરવા જોઈએ. તંત્રની આળસ સામે હવે પ્રજાએ પણ જાતે જાગૃત થવાની જરૂર છે. હાર્દિક અંગે લાલજી પટેલે જણાવ્યું કે, હાર્દિક રાજકારણમાં ગયા છે તે તેનો નિર્ણય છે આ સમયે રાજકારણની વાતો કરવી તે યોગ્ય નથી. મૃતકના પરિવારોને ન્યાય મળે તે અમારી પ્રાથમિકતા છે જેથી આ મામલે આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજુવાત કરવામાં આવશે.

Intro:સુરત : સરથાણા વિસ્તારમાં બનેલી ગોઝારી ઘટનામાં 22 જેટલા વિધાર્થીઓ તંત્ર ના અધિકારીઓ અને બિલ્ડર ના પાપે મોત ના ખપ્પર માં હોમાઈ ગયા.આ ઘટના બાદ હરકત માં આવેલ તંત્ર એ કસૂરવાર અધિકારીઓ ને તાત્કાલિક  સસ્પેન્ડ કરવામાં કરી દીધા.ત્યાં બીજી તરફ પોતાના વહાલસોયા દીકરાને ગુમાવનાર પરિવાર ને સાંત્વના પાઠવવા  એસપીજી ના લાલજી પટેલ આજે સુરત આવી પોહચ્યા...જ્યાં લાલજી પટેલે જણાવ્યું કે,આ ઘટનામાં નાની માછલીઓ નો ભોગ લેવામાં આવ્યો છે  ,જ્યારે મગરમચ્છ નો  બચાવ કરી લેવામાં આવ્યો છે.જવાબદારો સામે કડકથી કડક પગલા ભરવામાં આવે તેવી સરકાર પાસે માંગ છે.






Body:ગુજરાત એસપીજી સંસ્થા ના અધ્યક્ષ લાલજી પટેલ આજ રોજ સુરત ખાતે સર્જાયેલ અગ્નિકાંડ ની ઘટનામાં હોમાય ગયેલા મૃતકના પરિવાર ની મુલાકાતે આવ્યા ...જ્યાં તેમણે આ ઘટના ને ખૂબ દુઃખદ ગણાવી..લાલજી પટેલે જણાવ્યું કે,રાજ્ય સરકાર આ મામલે ઊંડાણપૂર્વક ની તપાસ કરી કસુરવારો સામે પગલાં ભરે.તંત્ર ની આળસ સામે હવે પ્રજાએ પણ જાતે જાગૃત થવાની જરૂર છે..હાર્દિક અંગે લાલજી પટેલે જણાવ્યું કે,રાજકારણમાં ગયા છે તે તેનો નિર્ણય છે.આ સમયે રાજકારણ ની વાતો કરવી તે યોગ્ય નથી ..



Conclusion:મૃતક ના પરિવારો ને ન્યાય મળે તે અમારી પ્રાથમિકતા છે.જે માટે આજ રોજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુવાત કરવામાં આવશે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.