ETV Bharat / state

"જળ માટે જંગ" વરાછાના લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી - Pmo Gujarat

સુરતઃ વરાછાની 120થી વધુ સોસાયટીના રહીશો "જળ માટે જંગ" આંદોલન ચલાવી રહ્યા છે. આ રહીશોને હમણાં સુધી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો. તેથી લોકોએ PMO ઓફિસથી લઇ રાજ્યના મુખ્યપ્રધાન કાર્યાલયને આત્મવિલોપનની ચીમકીભર્યો પત્ર પાઠવતા સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે.

"જળ માટે જંગ"
author img

By

Published : May 3, 2019, 9:39 PM IST

આ પત્રને કારણે મુખ્યપ્રધાન કાર્યાલયે તંત્રને આદેશ આપ્યો છે કે, આ મુદ્દે જલ્દી કાર્યવાહી કરવામાં આવે. તેથી સોસાયટીના લોકોને એક બેઠક માટે સુરત પાલિકાના કમિશ્નરે તેડુ આપ્યું છે. આ બેઠકમાં ન્યાયિક ઉકેલ લાવી સુલેહ કર્યાનો રિપોર્ટ પણ મુખ્યપ્રધાન સહિત PMO ઓફિસને સુપ્રત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

"જળ માટે જંગ"

રાજ્યમાં એક તરફ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યાં બીજી તરફ સુરતના મોટા વરાછામાં સ્થાનિક સોસાયટીના લોકોને પાણીની મીટર પ્રથા અમલી કરાવવા પાલિકાએ બેરોકટોક 600 રૂપિયાથી લઈ 2 લાખ સુધીના પાણીના બીલ આપ્યા છે. જેની સામે લોકોનો રોષ ચોથા આસમાને છે. પાણીની મીટર પ્રથા બંધ કરવા અને બેફામ ફાળવવામાં આવેલ બેગણા પાણીના બિલમાં ઘટાડો કરવાની માગ સાથે સોસાયટીના લોકો છેલ્લા બે વર્ષથી "જળ માટે જંગ, મીટર પ્રથા બંધ" થકી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.

આ પહેલા પણ ગુજરાત કિસાન સંઘ મોરચાના નેતુત્વ હેઠળ સોસાયટીની મહિલાઓ સહિત પુરુષોએ પાણીના બીલની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું. આખરે છેલ્લી ઘડી સુધી લડી લેવાનો મૂડ સોસાયટીવાસીઓ દ્વારા બનાવવામાં આવ્યો અને આ અંગેની રજુઆત PMO ઓફિસથી લઇ રાજ્યના મુખ્યપ્રધાન સુધી કરવામાં આવી હતી.

ગુજરાત કિસાન મોરચા સંઘના પ્રમુખ પ્રકાશ વેકરિયા રાજ્યના મુખ્યપ્રધાનને આત્મવિલોપનની ચીમકીભર્યો પત્ર પાઠવવામાં આવ્યો હતો. આ પત્ર બાદ PMO અને રાજ્ય મુખ્યપ્રધાન કાર્યાલય એકાએક હરકતમાં આવ્યું અને તાત્કાલિક ફરિયાદીની સમસ્યા પર યોગ્ય નિકાલ લાવવા આદેશ કરાયો છે. ત્યારે આ બેઠકમાં સોસાયટીના લોકોની સમસ્યા અંગે નિરાકરણ આવે છે કે, માત્ર ધરમના નામે ધીંગાણા જેવી સ્થિતિ થાય છે તે જોવું રહ્યું.

આ પત્રને કારણે મુખ્યપ્રધાન કાર્યાલયે તંત્રને આદેશ આપ્યો છે કે, આ મુદ્દે જલ્દી કાર્યવાહી કરવામાં આવે. તેથી સોસાયટીના લોકોને એક બેઠક માટે સુરત પાલિકાના કમિશ્નરે તેડુ આપ્યું છે. આ બેઠકમાં ન્યાયિક ઉકેલ લાવી સુલેહ કર્યાનો રિપોર્ટ પણ મુખ્યપ્રધાન સહિત PMO ઓફિસને સુપ્રત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

"જળ માટે જંગ"

રાજ્યમાં એક તરફ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યાં બીજી તરફ સુરતના મોટા વરાછામાં સ્થાનિક સોસાયટીના લોકોને પાણીની મીટર પ્રથા અમલી કરાવવા પાલિકાએ બેરોકટોક 600 રૂપિયાથી લઈ 2 લાખ સુધીના પાણીના બીલ આપ્યા છે. જેની સામે લોકોનો રોષ ચોથા આસમાને છે. પાણીની મીટર પ્રથા બંધ કરવા અને બેફામ ફાળવવામાં આવેલ બેગણા પાણીના બિલમાં ઘટાડો કરવાની માગ સાથે સોસાયટીના લોકો છેલ્લા બે વર્ષથી "જળ માટે જંગ, મીટર પ્રથા બંધ" થકી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.

આ પહેલા પણ ગુજરાત કિસાન સંઘ મોરચાના નેતુત્વ હેઠળ સોસાયટીની મહિલાઓ સહિત પુરુષોએ પાણીના બીલની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું. આખરે છેલ્લી ઘડી સુધી લડી લેવાનો મૂડ સોસાયટીવાસીઓ દ્વારા બનાવવામાં આવ્યો અને આ અંગેની રજુઆત PMO ઓફિસથી લઇ રાજ્યના મુખ્યપ્રધાન સુધી કરવામાં આવી હતી.

ગુજરાત કિસાન મોરચા સંઘના પ્રમુખ પ્રકાશ વેકરિયા રાજ્યના મુખ્યપ્રધાનને આત્મવિલોપનની ચીમકીભર્યો પત્ર પાઠવવામાં આવ્યો હતો. આ પત્ર બાદ PMO અને રાજ્ય મુખ્યપ્રધાન કાર્યાલય એકાએક હરકતમાં આવ્યું અને તાત્કાલિક ફરિયાદીની સમસ્યા પર યોગ્ય નિકાલ લાવવા આદેશ કરાયો છે. ત્યારે આ બેઠકમાં સોસાયટીના લોકોની સમસ્યા અંગે નિરાકરણ આવે છે કે, માત્ર ધરમના નામે ધીંગાણા જેવી સ્થિતિ થાય છે તે જોવું રહ્યું.

R_GJ_05_SUR_3MAY_04_PANI_MITER_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : પાણીના મીટર પ્રથા ને લઇ મોટા વરાછા ની 120 થી વધુ સોસાયટીના રહીશોને મનપા દ્વારા બેગણા  બિલ ઠોકી બેસાડવામાં આવ્યા હોવાના આરોપ સાથે છેલ્લા બે વર્ષથી લોકો લડત ચલાવી રહ્યા છે." જળ માટે જંગ " આંદોલન ચલાવી રહેલા મોટા વરાછાના રહીશોને હમણાં સુધી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ આપવામાં આવ્યો  ન હતો.જ્યાં આખરે પીએમઓ ઓફિસથી લઇ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય ને આત્મવિલોપન ની ચીમકીભર્યો પત્ર પાઠવવામાં આવતા સ્થાનિક તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને મુખ્યમંત્રી કાર્યાલય ના આદેશ બાદ સોસાયટીના લોકોને મીટિંગ માટે સુરત પાલિકાના કમિશનરે તેંડુ આપ્યું છે.જે મિટિંગમાં ન્યાયિક ઉકેલ લાવી સુલેહ કર્યાનો રિપોર્ટ પણ મુખ્યમંત્રી સહિત પીએમઓ ઓફિસને સુપ્રત કરવા આદેશ આપવામાં આવ્યા છે..

રાજ્યમાં એક તરફ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ,ત્યાં બીજી તરફ સુરતના મોટા વરાછા માં સ્થાનિક સોસાયટી ના લોકોને પાણીની મીટર પ્રથા  અમલી કરાવવા પાલિકાએ બેરોકટોક 600 રૂપિયાથી લઈ 2 લાખ સુધીના પાણી ના બીલો ઠોકી બેસાડયા છે.મોટા વરાછા સ્થિત આશરે 120 જેટલી સોસાયટી ના અસરગ્રસ્ત લોકોને મનપા દ્વારા 600 રૂપિયાથી માંડી બે લાખ સુધીના બિલો ઠોકી બેસાડવામાં આવ્યા છે.જેની સામે લોકોનો રોષ ચોથા આસમાને છે.પાણીની મીટર પ્રથા બંધ કરવા  અને બેફામ ફાળવવામાં આવેલ બેગણા પાણીના બિલમાં ઘટાડો કરવાની માંગ સાથે  સોસાયટી ના લોકો છેલ્લા બે વર્ષથી " જળ માટે જંગ ,મીટર પ્રથા બંધ " ઠકી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.અગાઉ પણ ગુજરાત કિસાન સંઘ મોરચા ના નેતુત્વ હેઠળ સોસાયટીની મહિલાઓ સહિત પુરુષોએ પાણીના બીલની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.છતાં તંત્ર દ્વારા સમસ્યા અંગે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું.આખરે છેલ્લી ઘડી સુધી લડી લેવાનું મૂડ સોસાયટીવાસીઓ દ્વારા બનાવવામાં આવ્યું અને આ અંગેની રજુવાત પીએમઓ ઓફિસથી લઇ રાજ્યના મુખ્યપ્રધાન સુધી કરવામાં આવી.

રાજ્યના મુખ્યપ્રધાન ને આત્મવિલોપન ની ચીમકી ભર્યો પત્ર ગુજરાત કિસાન મોરચા સંઘ ના પ્રમુખ પ્રકાશ વેકરિયા દ્વારા પાઠવવામાં આવ્યો હતો.જ્યાં પત્ર બાદ પીએમઓ અને રાજ્ય મુખ્યમંત્રી કાર્યાલય એકાએક હરકતમાં આવ્યું અને તાત્કાલિક ફરિયાદી ની સમસ્યા પર યોગ્ય નિકાલ લાવવા આદેશ કર્યો.રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહ નિર્માણ તેમજ શહેરી વિકાસ દ્વારા સુરત મહાનગરપાલિકા ,તેમજ પોલીસ કમિશનર ને આદેશ જારી ઘટતું કરવા હુકમ કરવામાં આવ્યો છે. જ્યાં આજ રોજ સુરત મનપા ના કમિશનર દ્વારા મોટા વરાછા ની અસરગ્રસ્ત સોસાયટી ના લોકોને મીટિંગ માટેનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.મનપા કમિશનર અને અસરગ્રસ્ત સોસાયટી ના લોકો વચ્ચે બેઠક મળવાની છે ,ત્યારે આ બેઠકમાં સોસાયટીના લોકોની સમસ્યા અંગે નિરાકરણ આવે છે  કે કેમ તે જોવું રહ્યું


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.