ETV Bharat / state

Surat Crime: કતારગામની પરણિતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઢોર માર મરાયોનો આરોપ

author img

By

Published : Aug 18, 2023, 2:01 PM IST

Updated : Aug 18, 2023, 2:10 PM IST

સુરતના કતારગામની પરણિતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઢોર માર મરાયોનો આરોપ લગાડતા પીડીતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર પ્રેમ લગ્નના ત્રણ મહિના થતાની સાથે જ યુવતી સાથે સાસરિયા વાળા ત્રાસ આપવા લાગ્યા હતા. યુવતીએ આખરે કંટાળીને પિતાને વાત કરી હતી.

parinita-of-katargam-in-surat-accused-of-beating-cattle-to-death-by-in-laws-including-husband
parinita-of-katargam-in-surat-accused-of-beating-cattle-to-death-by-in-laws-including-husband

પરણિતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઢોર માર મરાયોનો આરોપ

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં પ્રેમ લગ્નનો કરૂણ અંજામ સામે આવ્યો છે. પરણિતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા માર મારવાના આરોપ સાથે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. જોકે પરણિતાના શરીર પર મારના ગંભીર નિશાન મળી આવ્યા છે.

'મારા લગ્નને બે વર્ષ થયા છે. મને મારા સાસરિયા તરફથી લાકડી-વેલણથી માર મારવામાં આવ્યો છે. મારા લગ્નના ત્રણ મહિના બાદથી તેઓ મને હેરાન પરેશાન કરી રહ્યા છે. આ મામલે મેં મારા પતિ સહિત પરિવાર વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.'-- ( પીડિત પરણિતા )

કતારગામ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે શુ કહ્યું: આ ઘટના ગઈ કાલે બની હતી. જેની જાણ પ્રાણનાથ હોસ્પિટલ દ્વારા પોલીસની કરવામાં આવી હતી. અહીંથી અમારી પીસીઆર વાન હોસ્પિટલ પહોંચી હતી. આ બનાવ કતારગામ વિસ્તારમાં આવેલ સંતોષી સોસાયટીમાં રહેતા અર્ચના બેન સાથે થયો હતો. વિવેક જવેરભાઈ કાચરીયા સાથે બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. જોકે લગ્ન કર્યા પછી 3 મહિના બાદ પરિણીતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.

પિતા દોડી આવ્યા: વધુમાં જણાવ્યું કે, જોકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા અંતે પીડિતાએ પોતાના પિતાને વાત કરી હતી. જે બાદ તેના પિતા દોડી આવ્યા હતા. દીકરીને સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલ લઇ ગયા હતા. આ મામલે પિતાએ અર્ચનાબેનના પતિ વિવેક જવેરભાઈ કાચરીયા સાસુ મીનાબેન અને નણંદ સ્નેહા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમે આ મામલે પીડિતાનું નિવેદન લઇ આગળની પતિ, સાસું અને નણંદ સ્નેહાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

  1. Banaskantha Crime: સાથે જીવવા-મરવાના વચન આપનાર પતિ એ જ પત્નીના જીવનનો અંત આણ્યો
  2. Surat Crime News : જૂના મર્ડર કેસમાં સમાધાન માટે દબાણ કરનાર બે મહિલાઓને પાઇપ વડે બે યુવાનોએ માર માર્યો, પોલીસે કાઢ્યું સરઘસ

પરણિતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઢોર માર મરાયોનો આરોપ

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં પ્રેમ લગ્નનો કરૂણ અંજામ સામે આવ્યો છે. પરણિતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા માર મારવાના આરોપ સાથે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. જોકે પરણિતાના શરીર પર મારના ગંભીર નિશાન મળી આવ્યા છે.

'મારા લગ્નને બે વર્ષ થયા છે. મને મારા સાસરિયા તરફથી લાકડી-વેલણથી માર મારવામાં આવ્યો છે. મારા લગ્નના ત્રણ મહિના બાદથી તેઓ મને હેરાન પરેશાન કરી રહ્યા છે. આ મામલે મેં મારા પતિ સહિત પરિવાર વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.'-- ( પીડિત પરણિતા )

કતારગામ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે શુ કહ્યું: આ ઘટના ગઈ કાલે બની હતી. જેની જાણ પ્રાણનાથ હોસ્પિટલ દ્વારા પોલીસની કરવામાં આવી હતી. અહીંથી અમારી પીસીઆર વાન હોસ્પિટલ પહોંચી હતી. આ બનાવ કતારગામ વિસ્તારમાં આવેલ સંતોષી સોસાયટીમાં રહેતા અર્ચના બેન સાથે થયો હતો. વિવેક જવેરભાઈ કાચરીયા સાથે બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. જોકે લગ્ન કર્યા પછી 3 મહિના બાદ પરિણીતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.

પિતા દોડી આવ્યા: વધુમાં જણાવ્યું કે, જોકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા અંતે પીડિતાએ પોતાના પિતાને વાત કરી હતી. જે બાદ તેના પિતા દોડી આવ્યા હતા. દીકરીને સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલ લઇ ગયા હતા. આ મામલે પિતાએ અર્ચનાબેનના પતિ વિવેક જવેરભાઈ કાચરીયા સાસુ મીનાબેન અને નણંદ સ્નેહા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમે આ મામલે પીડિતાનું નિવેદન લઇ આગળની પતિ, સાસું અને નણંદ સ્નેહાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

  1. Banaskantha Crime: સાથે જીવવા-મરવાના વચન આપનાર પતિ એ જ પત્નીના જીવનનો અંત આણ્યો
  2. Surat Crime News : જૂના મર્ડર કેસમાં સમાધાન માટે દબાણ કરનાર બે મહિલાઓને પાઇપ વડે બે યુવાનોએ માર માર્યો, પોલીસે કાઢ્યું સરઘસ
Last Updated : Aug 18, 2023, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.