ETV Bharat / state

SURAT NEWS : સુરતમાં ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે તે માટે ખાસ મેળાનું આયોજન

author img

By

Published : Apr 4, 2023, 10:22 PM IST

સુરત શહેરમાં ગુજરાત અને મહારાષ્ટ્રની દુર્લભ ગણાતી આયુર્વેદિક વનસ્પતિઓ મળી રહી છે. એક જ જગ્યાએ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અન્ય રાજ્યોની 700 થી પણ વધુ આયુર્વેદિક વનસ્પતિઓ ઉપલબ્ધ છે. સુરત અથવા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આદિવાસી પરંપરાગત વૈદુ તથા ઔષધીય વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળામાં અનેક જટિલ રોગોની સારવાર માટે આ આયુર્વેદિક વનસ્પતિઓ ઉપચાર માટે મળી રહી છે.

organized-a-special-fair-in-surat-to-make-medicinal-plants-available-to-people-for-treatment
organized-a-special-fair-in-surat-to-make-medicinal-plants-available-to-people-for-treatment
ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે તે માટે ખાસ મેળાનું આયોજન

સુરત: દક્ષિણ ગુજરાતના 100થી વધુ આદિવાસી પરંપરાગત વેદુ ભગત દ્વારા ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે આ માટે ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં મેળા અઠવા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આયુર્વેદ ચમત્કારિક છે એ લોકોએ કોરોના કાળ દરમિયાન અનુભવ કર્યો છે. આ મેળા શ્રી પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર તથા સવેરી સેતુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત છે.

ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે આ માટે ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું
ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે આ માટે ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું

ખાસ મેળાનું આયોજન: દુર્લભ વનસ્પતિઓના માધ્યમથી જટિલ રોગોની સારવાર થાય છે જોકે આદિવાસી વિસ્તાર સુધી શહેરના લોકો પહોંચી શકતા નથી અને આ આદિવાસી સમાજના વૈદુ પણ શહેર સુધી આવી શકતા નથી. આ માટે એક ખાસ મેળાનું આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યું છે. જેથી શહેરના લોકો આ લાભ લઈ શકે અને વૈદુ ભગત અને પણ આજીવિકાનું એક સાધન મળી રહે. આ વનસ્પતિઓમાંથી અને એક ખૂબ જ દુર્લભ છે વર્ષમાં એકવાર જ આ વનસ્પતિ આ વૈદુ ભગતોને મળે છે.

સુરત શહેરમાં ગુજરાત અને મહારાષ્ટ્રની દુર્લભ ગણાતી આયુર્વેદિક વનસ્પતિઓ મળી રહી
સુરત શહેરમાં ગુજરાત અને મહારાષ્ટ્રની દુર્લભ ગણાતી આયુર્વેદિક વનસ્પતિઓ મળી રહી

આ પણ વાંચો Hanuman Jayanti 2023: અમદાવાદમાં આવતીકાલે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

ઔષધીય ગુણોના પારખું વૈદુ ભગતો: અનેક જટિલ રોગ જેમાં કેન્સર, પેટની તકલીફ, ડાયાબિટીસ, પેરાલીસીસ ગુટણના દુખાવો, થાઈરોઈડ, સ્નાયુ, કિડની, પાચનતંત્ર, અસ્થમા ચામડી, સાંધાના દુખાવા સહિતના રોગો માટે સુરત શહેરના અઠવાલાઇન્સ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ મેળામાં 700 થી પણ વધુ આયુર્વેદિક વનસ્પતિઓ ઉપચારરૂપ મળી રહી છે. અતિ દુર્લભ ગણાતી આ વનસ્પતિઓના માધ્યમથી તેના ઔષધીય ગુણોના પારખું વૈદુ ભગતો લોકોને સારવાર પણ આપી રહ્યા છે. આ મેળા શ્રી પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર તથા સવેરી સેતુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત છે.

આ પણ વાંચો Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા

100 થી વધુ સ્ટોલ: આ મેળાના આયોજક ડોક્ટર જયશ્રી બાબરીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ અને આવવાના વૈદુ ભગતો આ મેળામાં હાજર છે. સૌથી વધુ સ્ટોલમાં તેઓ લોકોને અનેક ઔષધીઓના માધ્યમથી ઉપચાર આપી રહ્યા છે. આ ઔષધીઓ વાજબી દરેક લોકો માટે ઉપલબ્ધ છે ઔષધી વનસ્પતિનું વેચાણ સાથે ઓર્ગેનિક ફૂડ અને ક્લિનિકલ મસાજ સ્ટીમ પણ આપવામાં આવે છે.

ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે તે માટે ખાસ મેળાનું આયોજન

સુરત: દક્ષિણ ગુજરાતના 100થી વધુ આદિવાસી પરંપરાગત વેદુ ભગત દ્વારા ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે આ માટે ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં મેળા અઠવા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આયુર્વેદ ચમત્કારિક છે એ લોકોએ કોરોના કાળ દરમિયાન અનુભવ કર્યો છે. આ મેળા શ્રી પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર તથા સવેરી સેતુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત છે.

ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે આ માટે ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું
ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે આ માટે ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું

ખાસ મેળાનું આયોજન: દુર્લભ વનસ્પતિઓના માધ્યમથી જટિલ રોગોની સારવાર થાય છે જોકે આદિવાસી વિસ્તાર સુધી શહેરના લોકો પહોંચી શકતા નથી અને આ આદિવાસી સમાજના વૈદુ પણ શહેર સુધી આવી શકતા નથી. આ માટે એક ખાસ મેળાનું આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યું છે. જેથી શહેરના લોકો આ લાભ લઈ શકે અને વૈદુ ભગત અને પણ આજીવિકાનું એક સાધન મળી રહે. આ વનસ્પતિઓમાંથી અને એક ખૂબ જ દુર્લભ છે વર્ષમાં એકવાર જ આ વનસ્પતિ આ વૈદુ ભગતોને મળે છે.

સુરત શહેરમાં ગુજરાત અને મહારાષ્ટ્રની દુર્લભ ગણાતી આયુર્વેદિક વનસ્પતિઓ મળી રહી
સુરત શહેરમાં ગુજરાત અને મહારાષ્ટ્રની દુર્લભ ગણાતી આયુર્વેદિક વનસ્પતિઓ મળી રહી

આ પણ વાંચો Hanuman Jayanti 2023: અમદાવાદમાં આવતીકાલે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

ઔષધીય ગુણોના પારખું વૈદુ ભગતો: અનેક જટિલ રોગ જેમાં કેન્સર, પેટની તકલીફ, ડાયાબિટીસ, પેરાલીસીસ ગુટણના દુખાવો, થાઈરોઈડ, સ્નાયુ, કિડની, પાચનતંત્ર, અસ્થમા ચામડી, સાંધાના દુખાવા સહિતના રોગો માટે સુરત શહેરના અઠવાલાઇન્સ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ મેળામાં 700 થી પણ વધુ આયુર્વેદિક વનસ્પતિઓ ઉપચારરૂપ મળી રહી છે. અતિ દુર્લભ ગણાતી આ વનસ્પતિઓના માધ્યમથી તેના ઔષધીય ગુણોના પારખું વૈદુ ભગતો લોકોને સારવાર પણ આપી રહ્યા છે. આ મેળા શ્રી પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર તથા સવેરી સેતુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત છે.

આ પણ વાંચો Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા

100 થી વધુ સ્ટોલ: આ મેળાના આયોજક ડોક્ટર જયશ્રી બાબરીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ અને આવવાના વૈદુ ભગતો આ મેળામાં હાજર છે. સૌથી વધુ સ્ટોલમાં તેઓ લોકોને અનેક ઔષધીઓના માધ્યમથી ઉપચાર આપી રહ્યા છે. આ ઔષધીઓ વાજબી દરેક લોકો માટે ઉપલબ્ધ છે ઔષધી વનસ્પતિનું વેચાણ સાથે ઓર્ગેનિક ફૂડ અને ક્લિનિકલ મસાજ સ્ટીમ પણ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.