ETV Bharat / state

ડુંગળીના ભાવ પ્રતિ કીલો 100 પર પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ - ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન

સુરત: ગરીબો માટે કસ્તુરી સમાન ગણાતી ડુંગળી લોકોને હવે રડાવી રહી છે. ડુંગળી સામાન્ય વર્ગ માટે કસ્તુરી સમાન ગણવામાં આવે છે, પરંતુ સોમવારે આ ડુંગળીના ભાવો ચોથા આસમાને પહોંચ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં પડેલા ભારેથી અતિભારે વરસાદે ભારે કહેર વર્ષાવ્યો છે.

ડુંગળીના ભાવો પ્રતિ કીલો 100 પર પોહચી ગયા
author img

By

Published : Nov 11, 2019, 2:13 PM IST

ખેડૂતોના ખેતરો પુરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો કેટલાકના ખેતરોમાં પુરના પાણી ફરી વળ્યાં હતા. આ કહેર વચ્ચે ડુંગળીના મબલક પાકને પુર જેવી સ્થિતિના કારણે મોટું નુકસાન થયું છે. જો કે, ખેતરોમાં સ્થિતિ સુધરે તે પહેલાં તો "મહા" વાવાઝોડાની અસરે ફરી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. જેમાં ડુંગળીનો સ્ટોર કરાયેલો જથ્થો સહિત ખેતરોમાં રહેલા પાકને નુકસાન થતા ડુંગળીના ભાવો પ્રતિ કિલો 100 પર પહોંચ્યા છે. જેથી સામાન્ય વર્ગ માટે ડુંગળી ખરીદવી મુશ્કેલ બન્યું છે.

ડુંગળીના ભાવો પ્રતિ કીલો 100 પર પોહચી ગયા

એક તરફ ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, ત્યાં બીજી તરફ ડુંગળીની આવક પણ ઘટી છે. જેને લઇ ડુંગળીના ભાવ ભડકે બળ્યા છે. સુરતમાં ડુંગળી પ્રતિ કિલો 90 થી 100 રુપિયાના ભાવે વેંચાણ થઇ રહી છે. જોકે સામાન્ય વર્ગ અને ગૃહિણીઓ માટે 90 થી 100 રૂપિયે કિલો ડુંગળી ખરીદવી ખૂબ જ મુશ્કેલ સાબિત થઇ રહી છે. કેટલાક લોકો તો હાલ પૂરતું ડુંગળી ખરીદવાનું પણ ટાળી રહ્યા છે. તેવામાં સુરત APMC અને સરદાર માર્કેટમાં આવતી ડુંગળી પણ જોઈએ તેવી ક્વોલિટીમાં મળીતી નથી.

ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ સોમવારે 90 રૂપિયાથી 100 રૂપિયા કિલો પહોંચી છે, ત્યારે ડુંગળીની ખરીદી કરતી ગૃહિણીઓ પણ એક વખત ખરીદી કરતા પહેલા વિચાર કરી રહી છે. ગૃહિણીઓ સામાન્ય દિવસોમાં જે ડુંગળી પ્રતિ કિલો 20 થી 30 રૂપિયાના ભાવે ખરીદતી હતી, તે ડુંગળીના ભાવ આજે 90 થી 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.

ખેડૂતોના ખેતરો પુરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો કેટલાકના ખેતરોમાં પુરના પાણી ફરી વળ્યાં હતા. આ કહેર વચ્ચે ડુંગળીના મબલક પાકને પુર જેવી સ્થિતિના કારણે મોટું નુકસાન થયું છે. જો કે, ખેતરોમાં સ્થિતિ સુધરે તે પહેલાં તો "મહા" વાવાઝોડાની અસરે ફરી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. જેમાં ડુંગળીનો સ્ટોર કરાયેલો જથ્થો સહિત ખેતરોમાં રહેલા પાકને નુકસાન થતા ડુંગળીના ભાવો પ્રતિ કિલો 100 પર પહોંચ્યા છે. જેથી સામાન્ય વર્ગ માટે ડુંગળી ખરીદવી મુશ્કેલ બન્યું છે.

ડુંગળીના ભાવો પ્રતિ કીલો 100 પર પોહચી ગયા

એક તરફ ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, ત્યાં બીજી તરફ ડુંગળીની આવક પણ ઘટી છે. જેને લઇ ડુંગળીના ભાવ ભડકે બળ્યા છે. સુરતમાં ડુંગળી પ્રતિ કિલો 90 થી 100 રુપિયાના ભાવે વેંચાણ થઇ રહી છે. જોકે સામાન્ય વર્ગ અને ગૃહિણીઓ માટે 90 થી 100 રૂપિયે કિલો ડુંગળી ખરીદવી ખૂબ જ મુશ્કેલ સાબિત થઇ રહી છે. કેટલાક લોકો તો હાલ પૂરતું ડુંગળી ખરીદવાનું પણ ટાળી રહ્યા છે. તેવામાં સુરત APMC અને સરદાર માર્કેટમાં આવતી ડુંગળી પણ જોઈએ તેવી ક્વોલિટીમાં મળીતી નથી.

ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ સોમવારે 90 રૂપિયાથી 100 રૂપિયા કિલો પહોંચી છે, ત્યારે ડુંગળીની ખરીદી કરતી ગૃહિણીઓ પણ એક વખત ખરીદી કરતા પહેલા વિચાર કરી રહી છે. ગૃહિણીઓ સામાન્ય દિવસોમાં જે ડુંગળી પ્રતિ કિલો 20 થી 30 રૂપિયાના ભાવે ખરીદતી હતી, તે ડુંગળીના ભાવ આજે 90 થી 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.

Intro:સુરત : ગરીબો માટે કસ્તુરી સમાન ગણાતી ડુંગળી લોકોને હવે રડાવી રહી છે.ડુંગળી સામાન્ય વર્ગ માટે કસ્તુરી સમાન ગણવામા આવે છે પરંતુ આ ડુંગળી ના ભાવો આજે ચોથા આસમાને પોહચી ગયા છે.ગુજરાત ,મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં પડેલા ભારેથીઅતિભારે વરસાદે ભારે કહેર વર્ષાવ્યો હતો.જેના કારણે ખેડૂતોના ખેતરો પુરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તો કેટલાકના ખેતરોમાં પુરના પાણી ફરી વળ્યાં હતા...આ કહેર વચ્ચે ડુંગળી ના મબલક પાકને પુર જેવી સ્થિતિના કારણે મોટું નુકસાન થયું હતું.જો કે ખેતરો માં સ્થિતિ સુધરે તે પહેલાં તો મહાવાવાઝોડા ની અસરે ફરી ખેડૂતોના પાક ને વ્યાપક નુકશાન પોહચાડ્યું..જેમાં ડુંગળી નો સ્ટોર કરાયેલ જથ્થો સહિત ખેતરોમાં રહેલા પાકને નુકશાન થતા આજે ડુંગળી ના ભાવો પ્રતિકીલો સો પર પોહચી ગયા છે.જે સામાન્ય વર્ગ માટે ડુંગળી ખરીદવી મુશ્કેલ બન્યું છે.


Body:ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પ્રતિદિવસ સુરતની એપીએમસી માર્કેટમાં 30 થી 35 જેટલી ટ્રકો ડુંગળીની ઠાલવવામાં આવે છે જોકે આ વખતના વરસાદે સર્જેલી તારાજીના પગલે ડુંગળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. તેવામાં મહા વાવાઝોડાની અસરના કારણે પડેલા કમોસમી વરસાદે પડ્યા પર પાટુ મારવા નું ગામ ખેડૂતો પર કર્યું છે. ખેતરો અને સ્ટોર કરવામાં આવેલ ડુંગળીના મોટા જથ્થા ને નુકસાન થતા સુરતની એપીએમસીમાં ડુંગળીના જથ્થાની આવકમાં પણ ઘટાડો થયો છે .આ વખતે ગુજરાત ,મહારાષ્ટ્રમાં અને કર્ણાટક માં ભારેથી અતિભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેને લઇ અન્ય શાકભાજી સહિત ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે આ નુકશાનના પગલે ડુંગળીના પાકમાં થયેલા ઘટાડાના સામે સુરતની એપીએમસીમાં પ્રતિદિવસ ફક્ત 12 થી 13 જેટલી ટ્રકો ડુંગળીની આવી રહી છે. એક તરફ ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે ત્યાં બીજી તરફ ડુંગળીની આવક પણ ઘટી છે .જેને લઇ ડુંગળી ના ભાવ ભડકે બળ્યા છે. સુરતમાં ડુંગળી પ્રતિ કિલો 90 થી 100 રુપિયાના ભાવે વેચાણ થઇ રહી છે. જોકે સામાન્ય વર્ગ અને ગૃહિણીઓ માટે 90 થી 100 રૂપિયે કિલો ડુંગળી ખરીદવી ખૂબ જ મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે. કેટલાક લોકો તો હાલ પૂરતું ડુંગળી ખરીદવાનું પણ ટાળી રહ્યા છે. તેવામાં સુરત એપીએમસી અને સરદાર માર્કેટ માં આવતી ડુંગળી પણ જોઈએ તેવી ક્વોલિટીમાં મળી રહેતી નથી.

સુરતના સરદાર માર્કેટ ની વાત કરવામાં આવે તો અહીં આવતી ડુંગળીની ટ્રકોમાં પણ ત્રણ અલગ-અલગ કોલેટી નો ડુંગળીનો જથ્થો આવ્યો છે જેમાં પ્રથમ સફેદ કાંદા લાલ કાંદા અને સૌથી હલકી કોલેટી ના કાંદા નો જથ્થો હાલ પૂરતો આવી રહ્યો છે.જેમાં સફેદ અને લાલ કાંદાનો ભાવ પણ ખુબ જ વધુ હોવાના કારણે સામાન્ય વર્ગ માટે ખરીદી કરવી મુશ્કેલ બની રહ્યું છે.સુરતની સરદાર માર્કેટમાં આવેલ કાંદાના વેપારી ઋષિભાઈના જણાવ્યાનુસાર આ વખતે થયેલી અતિવૃષ્ટિ અને મહા વાવાઝોડાની અસરના કારણે પડેલા કમોસમી વરસાદ ની અસર ડુંગળીના ભાવો પર થઈ રહી છે .એટલું નહીં પરંતુ આ વખતનો વરસાદ સીઝન કરતાં પણ વધુ પડવાના કારણે ડુંગળીના મોટા ભાગના પાકને નુકસાન થયું છે. જેથી હાલ ફક્ત નાસિક થી લાલ કાંદા નો જથ્થો આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ જે કાંદાનો જથ્થો સામાન્ય દિવસોમાં કચરા માં ફેંકી દેવામાં આવતો,તેનું પણ આજે વેચાણ કરવા મજબૂર બનવું પડ્યું છે.જેની પાછળ નું કારણ ખેડૂતોની ડુંગળી ના ભાવ પુરા પાડવાનું છે.

ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળી ના ભાવ આજે 90 રૂપિયાથી 100 રૂપિયા કિલો પહોંચી ગયા છે,ત્યારે ડુંગળીની ખરીદી કરતી ગૃહિણીઓ પણ એક વખત ખરીદી કરતા પહેલા વિચાર કરી રહી છે .ગૃહિણીઓ સામાન્ય દિવસોમાં જે ડુંગળી પ્રતિ કિલો 20 થી 30 રૂપિયાના ભાવે ખરીદતી હતી તે ડુંગળીના ભાવ આજે 90 થી 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાની અસરના કારણે તેમજ મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકમાં પડેલા ભારે વરસાદે ડુંગળી ના પાક પર સીધી અસર પહોંચાડી છે...

Conclusion:સામાન્ય દિવસોમાં ડુંગળીનો મોટો જથ્થો સુરતની સરદાર માર્કેટમાં ઠલવાય છે.મહારાષ્ટ્ર, કર્ણાટકના હુબલી તેમજ આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત ગુજરાત રાજ્યમાંથી પ્રતિદિવસ 35 જેટલી ટ્રકો ફક્ત ડુંગળી ની ઠલવાય છે.જે ટ્રકો ની સંખ્યામાં હાલ ઘટાડો થયો છે અને પ્રતિદિવાસ માત્ર 12 થી 13 જેટલી ટ્રકો ડુંગળી ની ઠાલવવામાં આવે છે.ત્યારે ડિસેમ્બર માસમાં ડુંગળી નો ફરી મબલક પાક માર્કેટ માં આવવાનો શરૂ થઈ જશે તેવો આશાવાદ પણ માર્કેટ ના વેપારીઓએ વ્યક્ત કર્યો છે.જે બાદ ડુંગળી ના ભાવો ફરી સામાન્ય થઈ જશે અને સામાન્ય વર્ગ માટે ડુંગળી ખરીદવી સરળ બની જશે.

બાઈટ :કિન્નરીબેન ( ગૃહિણી )
બાઈટ :ઋષિભાઈ ( કાંદા ન હોલસેલ વેપારી સરદાર માર્કેટ સુરત)
બાઈટ :બાબુભાઇ પટેલ( શાકભાજીના જથ્થાબંધ વેપારી )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.