ETV Bharat / state

માનવતાની મિસાલ: 45 દિવસની દાઝી ગયેલી 'હેની'ની વ્હારે આવ્યું નિસંતાન દંપતિ - સુરતના લેટેસ્ટ ન્યૂઝ

સુરત: પોતાની દીકરીને તરછોડી દેનારા લોકો જ્યારે સુરતના લીંબાચિયા દંપતિની માનવતા સાંભળશે તો ચોક્કસથી શરમમાં મુકાઈ જશે. સુરતનું આ દંપતિ 10 વર્ષથી નિસંતાન હતું. આશરે 60 ટકા બળી ગયેલી 45 દિવસની બાળકીને દત્તક લઈ તેની સારવાર માટે પોતાના સોનાના ઘરેણાં, ઘર વખરી પણ વેંચી નાખ્યાં. લીંબાચિયા દંપતીએ લોકો સામે માનવતાની જે મિશાલ કાયમ કરી છે તે આજે કળયુગમાં ભાગ્યે જ જોવા મળે છે.

Surat News45 દિવસની દાઝી ગયેલી 'હેની'ની વ્હારે આવ્યું નિસંતાન દંપતિ
author img

By

Published : Sep 24, 2019, 10:05 PM IST

10 વર્ષથી બાળક માટે તરસી રહેલા લીંબાચિયા દંપતીના ખોડામાં રમી રહેલી દીકરી તેમની પોતાની નથી. પરંતુ, એક માતા-પિતા પોતાના બાળક માટે જે કરતા હોય છે તેનાથી વધારે તેઓએ આ બાળકી માટે કર્યું છે. 16 જાન્યુઆરી 2019ના દિવસે વેલંજાની સિલેન્ડર બ્લાસ્ટ ઘટનામાં કોલડીયા પરિવારના ચાર લોકો મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનામાં ૪૫ દિવસની માસુમ હેની આશરે ૬૦ ટકા જેટલી બળી ગઈ હતી. ડોક્ટરે કહ્યું હતું કે, તે પણ કદાચ જીવી શકશે. આ ઘટનામાં માસુમ બાળકીએ પોતાના માતા-પિતા સહિત પરિવારના અન્ય ચાર સભ્યોને ગુમાવી દીધા હતાં. તેના જીવનમાં ઈશ્વરના વરદાન રૂપ લીંબાચિયા દંપતિ આવ્યા કે જેઓએ હેનીને અપનાવી હતી.

45 દિવસની દાઝી ગયેલી 'હેની'ની વ્હારે આવ્યું નિસંતાન દંપતિ

પરિવારના અન્ય સભ્યોની સહમતિથી હેનીને દત્તક લઇ છેલ્લા દસ વર્ષથી નિસંતાન રહેલા લીંબાચીયા દંપતીના અંધકારમય જીવનમાં જાણે ઉજાશ આવી ગયું. પરંતુ બાળકી હેનીની સ્થિતિ સારી નહોતી. તે આશરે ૬૦ ટકા જેટલી બળી ગઈ હતી. તેની સારવાર માટે ખર્ચ વધુ થવાનો હતો. નિલેશ અને કાજલ આ જાણતા હતાં. આર્થિક રીતે સારી પરિસ્થિતિ ન હોવા છતાં તેઓએ હેનીને દત્તક લઈ તેની સારવાર શરૂ કરી. ધીમે ધીમે આ ખર્ચ લાખોમાં થઈ ગયો. કાજલે પોતાના સોનાના દાગીના પણ વેંચી નાખ્યા. ત્યાં બીજી તરફ માસૂમ બાળકીને જીવન જીવવાનો મોટો આધાર મળી ગયો. સુરતના લીંબાચિયા દંપતીની આ પહેલા અન્ય લોકો માટે પણ કદાચ દાખલારૂપ બની રહેશે.

10 વર્ષથી બાળક માટે તરસી રહેલા લીંબાચિયા દંપતીના ખોડામાં રમી રહેલી દીકરી તેમની પોતાની નથી. પરંતુ, એક માતા-પિતા પોતાના બાળક માટે જે કરતા હોય છે તેનાથી વધારે તેઓએ આ બાળકી માટે કર્યું છે. 16 જાન્યુઆરી 2019ના દિવસે વેલંજાની સિલેન્ડર બ્લાસ્ટ ઘટનામાં કોલડીયા પરિવારના ચાર લોકો મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનામાં ૪૫ દિવસની માસુમ હેની આશરે ૬૦ ટકા જેટલી બળી ગઈ હતી. ડોક્ટરે કહ્યું હતું કે, તે પણ કદાચ જીવી શકશે. આ ઘટનામાં માસુમ બાળકીએ પોતાના માતા-પિતા સહિત પરિવારના અન્ય ચાર સભ્યોને ગુમાવી દીધા હતાં. તેના જીવનમાં ઈશ્વરના વરદાન રૂપ લીંબાચિયા દંપતિ આવ્યા કે જેઓએ હેનીને અપનાવી હતી.

45 દિવસની દાઝી ગયેલી 'હેની'ની વ્હારે આવ્યું નિસંતાન દંપતિ

પરિવારના અન્ય સભ્યોની સહમતિથી હેનીને દત્તક લઇ છેલ્લા દસ વર્ષથી નિસંતાન રહેલા લીંબાચીયા દંપતીના અંધકારમય જીવનમાં જાણે ઉજાશ આવી ગયું. પરંતુ બાળકી હેનીની સ્થિતિ સારી નહોતી. તે આશરે ૬૦ ટકા જેટલી બળી ગઈ હતી. તેની સારવાર માટે ખર્ચ વધુ થવાનો હતો. નિલેશ અને કાજલ આ જાણતા હતાં. આર્થિક રીતે સારી પરિસ્થિતિ ન હોવા છતાં તેઓએ હેનીને દત્તક લઈ તેની સારવાર શરૂ કરી. ધીમે ધીમે આ ખર્ચ લાખોમાં થઈ ગયો. કાજલે પોતાના સોનાના દાગીના પણ વેંચી નાખ્યા. ત્યાં બીજી તરફ માસૂમ બાળકીને જીવન જીવવાનો મોટો આધાર મળી ગયો. સુરતના લીંબાચિયા દંપતીની આ પહેલા અન્ય લોકો માટે પણ કદાચ દાખલારૂપ બની રહેશે.

Intro:સુરત : પોતાની દીકરી ને તરછોડી દેનાર લોકો જ્યારે સુરતના લીંબાચિયા દમ્પતીની માનવતા સાંભળશે તો ચોક્કસથી શરમમાં મુકાઈ જશે.સુરત નું દંપતી 10 વર્ષથી નિસંતાન હતા..આશરે 60 ટકા બળી ગયેલી 45 દિવસની બાળકી ને દત્તક લઈ તેની સારવાર માટે પોતાના સોના ના ઘરેણાં, ઘર વખરી પણ વેચી નાખ્યા. લીંબાચિયા દંપતીએ લોકો સામે માનવતાની જે મિશાલ કાયમ કરી છે તે આજે કળયુગમાં ભાગેય જ જોવા મળી શકે તેમ છે.જોઈએ સુરત ના દંપતી ની માનવતા આ અહેવાલમાં.... 

Body:10 વર્ષથી બાળક માટે તરસી રહેલા લીંબાચિયા દંપતીના ખોડામાં રમી રહેલી દીકરી તેમની પોતાની નથી પરંતુ એક માતા પિતા જે પોતાના બાળક માટે કરતા હોય છે તેના થી વધારે તેઓએ આ બાળકી માટે કર્યું છે.16 મી જાન્યુઆરી 2019 ના દિવસે વેલંજા ની સિલેેેન્ડર બ્લાસ્ટ ઘટનામાં કોલડીયા પરિવારના ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનામાંં ૪૫ દિવસની માસુમ હેની આશરે ૬૦ ટકા જેટલી બળી ગઈ હતી... ડોક્ટરે કીધું હતુ કે તેેેે પણ કદાચ જીવી શકશે..આ ઘટનામાં માસૂમ બાળકીએ પોતાના માતા પિતા સહિત પરિવારના અન્ય ચાર સભ્યોને ગુમાવી દીધા હતા. હેનીની આવી પરિસ્થિતિમાં કોઇ સંભાળ કરવાવાળો પરિવારનો સભ્ય નહોતો..ત્યારે તેના જીવનમા ઈશ્વરના વરદાન રૂપ લીંબાચિયા દમ્પતી આવ્યા. કે જેઓએ હેની ને અપનાવી...

લીમ્બાચીયા દંપત્તિ હેનીન ના  જીવનમાં નવુ પ્રકાશ લઈને આવ્યું. નિલેશ લીમ્બાચીયા બાળકી હેની પિતાના મિત્ર હતા.. હોસ્પિટલના બિછાને પડેલી બાળકીની માતાએ છેલ્લી ઇચ્છા દર્શાવતા કહ્યું હતું કે તેઓ હેનીની સંભાળ કરે. તેઓએ મૃત્યુ પહેલા પોતાની દીકરી માટે એક વિશ્વાસ દર્શાવ્યું. નિલેસે પરિવારના અન્ય સભ્યોની સહમતિથી હેની ને દત્તક લીધી અને છેલ્લા દસ વર્ષથી નિસંતાન રહેલા લીમ્બાચીયા દંપતીના અંધકારમય જીવનમાં જાણે ઉજાશ આવી ગયું.. પરંતુ બાળકી હેનીની સ્થિતિ સારી નહોતી. તે આશરે ૬૦ ટકા જેટલી બળી ગઈ હતી. તેની સારવાર માટે ખર્ચ વધુ થવાનો હતો..નિલેશ અને કાજલ આ જાણતા હતા..આર્થિક રીતે સારી પરિસ્થિતિ ન હોવા છતાં તેઓએ હેની ને દત્તક લઈ તેની સારવાર શરૂ કરી..ધીમે ધીમે આ ખર્ચ લાખોમાં થઈ ગયો..કાજલે પોતાના સોનાના દાગીના વેચી નાખ્યા..નિલેશ ફોટોગ્રાફર છે..પહેલા ઘરવખરી અને ત્યારબાદ પોતાનું કેમરો પણ વહેચી નાખ્યું...આશરે 20 લાખના ખર્ચ થયા બાદ આજે 10 મહિનાની હેની ની  સ્થિતિ હાલ સારી છે..તેના ચહેરા ઉપર પોતાના માતા પિતા પ્રત્યે પ્રેમ સાફ જોવા મળે છે.એક માતા પિતા હોવાના કારણે તેઓ ઈચ્છે છે કે ક્યારે પણ હેની ને અનુભવ ન થાય કે તેઓની તે  દીકરી નથી...


Conclusion:લીમ્બાચીયા દંપતી છેલ્લા દસ વર્ષથી નિસંતાન હતા. જ્યારે હેની મળી તો તેઓ આ દુખ ભૂલી ગયા. તેઓએ એની કાળજી એવી રીતે રાખી કે કોઈ માતા પિતા પણ કદાચ ન રાખી શકે..કાજલે જણાવ્યું કે હેનીના આવવા થી તેમના જીવનમાં નવો પ્રકાશ આવ્યો છે..ત્યાં બીજી તરફ માસૂમ બાળકીને જીવન જીવવાનો મોટો આધાર મળી ગયો.સુરત ના લીંબચિયા દંપતી ની આ પહેલા અન્ય લોકો માટે ઓન કદાચ દાખલારૂપ બની રહેશે.....

બાઈટ :નિલેશ લીંબાચિયા( દત્તક લેનાર)

બાઈટ :કાજલ લીંબાચિયા ( દત્તક લેનાર )



ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.