ETV Bharat / state

સુરતમાં મેઈન્ટેન્સ બાદ ખાનગી બસમાં આગ, 19 મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો

author img

By

Published : Dec 26, 2022, 4:53 PM IST

Updated : Dec 26, 2022, 5:31 PM IST

સુરતના પાલ વિસ્તારમાંથી સ્કૂલબસમાં આગ લાગવાની (Massive Fire Accident Surat School bus) ઘટના સામે આવી છે. ફાયર વિભાગની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઈચ્છાપુરથી અડાજણ કર્મચારીઓને લેવા જતી બસમાં મહિલા અને બાળકો સહિત 19 મુસાફર સવાર હતા. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે, આગ ક્યા કારણોસર લાગી એ અંગે હજુ કોઈ કારણ સામે આવ્યું નથી. (Fire in Surat private School bus)

સુરતમાં મેઈન્ટેન્સ બાદ ખાનગી બસમાં આગ, 19 મુસાફરોનો જીવ બચ્યો
સુરતમાં મેઈન્ટેન્સ બાદ ખાનગી બસમાં આગ, 19 મુસાફરોનો જીવ બચ્યો
શહેરના પાલ વિસ્તારમાં ઈચ્છાપુરથી અડાજણ કર્મચારીઓને લેવા જતી ખાનગી સ્કૂલની બસમાં આગ

સુરત: શહેરમાં દિવસે દિવસે સરકારી બસ હોય કે પછી ખાનગી બસોંમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરત શહેરમાં ફરી સ્કૂલબસમાં આગ લાગવાની(Massive Fire Accident Surat School bus) ઘટના સામે આવી છે. પાલ વિસ્તારમાં સ્કૂલની બસમાં આગ લાગતાં (Fire in Surat private School bus) અફરાતફરી સર્જાઈ હતી.

સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો
સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો

મેઈન્ટેન્સ બાદ બસમાં આગ:શહેરના પાલ વિસ્તારમાં ઈચ્છાપુરથી મેઇન્ટેનન્સ કામ કરાવીને અડાજણ (Fire in private bus after maintenance in Surat) જઈ રહી હતી. તે દરમિયાન ખાનગી સ્કૂલની બસમાં આગ લાગી હતી. અચાનક ધુમાડા નીકળતા જ ડ્રાયવરે કર્મચારીઓને ઉતારી મુક્યા હતા. બસમાં મહિલા અને બાળકો સહિત 19 મુસાફર સવાર હતા. ખાનગી બસમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. થોડી જ ક્ષણોમાં બસ આગમાં ભડભડ ભડકે બળવા લાગી હતી, જેને પગલે આ વિસ્તારમાં ભાગદોડ બચી ગઈ હતી.

સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો
સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો

મોટી જાનહાનિ ટળી: તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરતા અડાજણ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટો માં જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિની ઘટના સામે આવી નથી.

19 મુસાફરોનો જીવ બચ્યો
19 મુસાફરોનો જીવ બચ્યો

આ પણ વાંચો: ઉપલેટામાં રિવર્સ લેતા વખતે STનો અકસ્માત, કંડક્ટરની બેદરકારીના કારણે પ્રવાસીઓના શ્વાસ અદ્ધરતાલ

19 મુસાફરોનો જીવ બચ્યો: અડાજણ ફાયર વિભાગના ફાયર ઓફિસર સંપથ સુથારે જણાવ્યું કે, આજે સવારે 10:30 કલાકે ફાયર કંટ્રોલરૂમને કોલ મળ્યો હતો કે પાલ વિસ્તારમાં પાલ RTOની સામે જ આઇસર જીવન યાત્રા ટ્રાવેલસ બસમાં જે બસ સ્કૂલ બસમાં કોઈ કારણસર આગ લાગી છે. કોલ મળ્યા બાદ અમે બે ગાડીઓ લઇ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યાં પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. વધુમાં જણાવ્યુંકે, આ બસમાં કુલ 19 લોકો હતા એમાંથી બે મહિલાઓ પણ હતી. આ સ્કૂલ બસ ઈચ્છાપુરથી સ્ટાર બજાર તરફ બસના ટાયર બદલાવા માટે જઈ રહી હતી.તે સમયે જ બસમાં અચાનક ધુમાડો નીકળતા બસના ડ્રાઇવર ગોલેલાલ વર્માએ બસને સાઇડ ઉપર રોકી તમામ લોકોને બસ નીચે ઉતારીયા હતા.

મેઈન્ટેન્સ બાદ બસમાં આગ
મેઈન્ટેન્સ બાદ બસમાં આગ

આ પણ વાંચો: પાટણ યુનિ.ના પીવાના પાણીના ટાંકામાથી બે ભૂંડના મૃતદેહ મળી આવ્યા

અવારનવાર આગની ઘટના: છેલ્લા થોડા દિવસોમાં મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. શહેરમાં ઈ બાઈક્સની બેટરીમાં સતત આગ અને બ્લાસ્ટની ઘટના બાદ બસ જેવા મોટા વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

શહેરના પાલ વિસ્તારમાં ઈચ્છાપુરથી અડાજણ કર્મચારીઓને લેવા જતી ખાનગી સ્કૂલની બસમાં આગ

સુરત: શહેરમાં દિવસે દિવસે સરકારી બસ હોય કે પછી ખાનગી બસોંમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરત શહેરમાં ફરી સ્કૂલબસમાં આગ લાગવાની(Massive Fire Accident Surat School bus) ઘટના સામે આવી છે. પાલ વિસ્તારમાં સ્કૂલની બસમાં આગ લાગતાં (Fire in Surat private School bus) અફરાતફરી સર્જાઈ હતી.

સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો
સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો

મેઈન્ટેન્સ બાદ બસમાં આગ:શહેરના પાલ વિસ્તારમાં ઈચ્છાપુરથી મેઇન્ટેનન્સ કામ કરાવીને અડાજણ (Fire in private bus after maintenance in Surat) જઈ રહી હતી. તે દરમિયાન ખાનગી સ્કૂલની બસમાં આગ લાગી હતી. અચાનક ધુમાડા નીકળતા જ ડ્રાયવરે કર્મચારીઓને ઉતારી મુક્યા હતા. બસમાં મહિલા અને બાળકો સહિત 19 મુસાફર સવાર હતા. ખાનગી બસમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. થોડી જ ક્ષણોમાં બસ આગમાં ભડભડ ભડકે બળવા લાગી હતી, જેને પગલે આ વિસ્તારમાં ભાગદોડ બચી ગઈ હતી.

સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો
સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો

મોટી જાનહાનિ ટળી: તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરતા અડાજણ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટો માં જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિની ઘટના સામે આવી નથી.

19 મુસાફરોનો જીવ બચ્યો
19 મુસાફરોનો જીવ બચ્યો

આ પણ વાંચો: ઉપલેટામાં રિવર્સ લેતા વખતે STનો અકસ્માત, કંડક્ટરની બેદરકારીના કારણે પ્રવાસીઓના શ્વાસ અદ્ધરતાલ

19 મુસાફરોનો જીવ બચ્યો: અડાજણ ફાયર વિભાગના ફાયર ઓફિસર સંપથ સુથારે જણાવ્યું કે, આજે સવારે 10:30 કલાકે ફાયર કંટ્રોલરૂમને કોલ મળ્યો હતો કે પાલ વિસ્તારમાં પાલ RTOની સામે જ આઇસર જીવન યાત્રા ટ્રાવેલસ બસમાં જે બસ સ્કૂલ બસમાં કોઈ કારણસર આગ લાગી છે. કોલ મળ્યા બાદ અમે બે ગાડીઓ લઇ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યાં પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. વધુમાં જણાવ્યુંકે, આ બસમાં કુલ 19 લોકો હતા એમાંથી બે મહિલાઓ પણ હતી. આ સ્કૂલ બસ ઈચ્છાપુરથી સ્ટાર બજાર તરફ બસના ટાયર બદલાવા માટે જઈ રહી હતી.તે સમયે જ બસમાં અચાનક ધુમાડો નીકળતા બસના ડ્રાઇવર ગોલેલાલ વર્માએ બસને સાઇડ ઉપર રોકી તમામ લોકોને બસ નીચે ઉતારીયા હતા.

મેઈન્ટેન્સ બાદ બસમાં આગ
મેઈન્ટેન્સ બાદ બસમાં આગ

આ પણ વાંચો: પાટણ યુનિ.ના પીવાના પાણીના ટાંકામાથી બે ભૂંડના મૃતદેહ મળી આવ્યા

અવારનવાર આગની ઘટના: છેલ્લા થોડા દિવસોમાં મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. શહેરમાં ઈ બાઈક્સની બેટરીમાં સતત આગ અને બ્લાસ્ટની ઘટના બાદ બસ જેવા મોટા વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

Last Updated : Dec 26, 2022, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.