ETV Bharat / state

સુરતમાં ઓલપાડના સરપંચે હોદ્દાનો દૂરૂપયોગ કરતા DDOએ નોટિસ ફટકારી

author img

By

Published : Dec 24, 2020, 12:16 PM IST

સરપંચના હોદ્દાનો દુરૂપયોગ કરવા બદલ ઓલપાડ ગ્રામ પંચાયતના સરપંચને કારણદર્શક નોટિસ ફટકારાવામાં આવી છે. હાલના શાસકોના વહીવટ દરમિયાન સરપંચે પોતાની દાદાગીરીથી હોદ્દાનો દુરૂપયોગ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. કાર્યવાહી કરવા મુદ્દે 15 દિવસમાં ખુલાસો કરવાની તાકીદ પણ કરાઈ છે. સરપંચ રાજેશ ચૌધરીને સસ્પેન્ડ કેમ ન કરવા એ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ ચીમકી આપી છે. શાસકો મનસ્વીપણે નિર્ણય લઈ વહીવટ કરતા હોવાની ફરિયાદો પણ વારંવાર ઉઠી રહી છે.

સુરતમાં ઓલપાડના સરપંચે હોદ્દાનો દૂરૂપયોગ કતા ડીડીઓએ નોટિસ ફટકારી
સુરતમાં ઓલપાડના સરપંચે હોદ્દાનો દૂરૂપયોગ કતા ડીડીઓએ નોટિસ ફટકારી
  • સત્તાનો ગેરફાયદો ઊઠાવતા સરપંચને નોટિસ
  • ઓલપાડના સરપંચ રાજેશ ચૌધરીને DDOની નોટિસ
  • પૂર્વ સરપંચે રાજેશ ચૌધરી વિરૂદ્ધ કરી હતી અરજી
  • 15 દિવસમાં ખુલાસો આપવા કરાઈ જાણ

સુરતઃ જિલ્લામાં હાલના શાસકો મનસ્વીપણે નિર્ણય લઈ વહીવટ કરતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. વારંવાર આ પ્રકારની ફરિયાદો ઊઠતી હોય છે. હાલમાં જ ઓલપાડ તાલુકાના કીમ ગામના સરપંચને ગેરરીતિ અને સત્તાનો દુરૂપયોગ કરવા મુદ્દે સસ્પેન્ડ કરી દેવાયા છે. એ જ રીતે હવે તાલુકા મથકના ગામની ઓલપાડ ગ્રામ પંચાયતના સરપંચને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

પૂર્વ સરપંચે જ હાલના સરપંચ સામે કરી હતી અરજી
આ અંગેની વિગત એવી છે કે, ઓલપાડના પૂર્વ સરપંચ બાલુ કહારે દ્વારા તા.02/02/2018 અને તા.07/01/2019ના રોજ સરપંચ રાજેશ ચૌધરી વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળ પગલાં લેવા અંગે અરજી કરી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી, ઓલપાડ પાસે અહેવાલ મગાવ્યા હતા. જોકે, આજ દિન સુધી મળી નથી. આખરે અલગ-અલગ 11 મુદ્દા ને ધ્યાને રાખીને પ્રાથમિક દ્રષ્ટિએ તેઓ કસૂરવાર હોવાનું માની કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

ડીડીઓએ આ મુદ્દાઓ ધ્યાને લીધા

  • ઓલપાડ ગામે બ્લોક નં.1ના તળાવની બાજુમાં બ્લોક નં.27 સિટી સરવે નં. 5645/1 સરકારી કાંસની જમીનમાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના પાકું મકાન બનાવવાનું કૃત્ય
  • સરપંચે ચૂંટણી સમયે નિહોળાનગરમાં પોતાનું મકાન કે શૌચાલય નથી એ ધ્યાન રાખવું
  • વર્ષ 1996માં બનાવવામાં આવેલી તક્તી તોડીને નામ લખવાની વાત
  • તા. 24/04/17ની સામાન્ય સભામાં ચર્ચા વિના ગેરકાયદે દબાણ દૂર કરવાની ફરજ
  • અસનાબાદનું તળાવ મંજૂરી વિના મત્સ્યઉદ્યોગ માટે ફાળવ્યું
  • બાંધકામની પરવાનગી બિન-ખેતીના નંબરોમાં ખોટું કર્યું
  • બ્લોક ન.227માં વધારે બાંધકામ દૂર ન કરવું
  • પંચાયત ધારાની નીતિ વિરૂદ્ધ ઠરાવ કરવાનું કૃત્ય
  • તળાવ ખાનગી માલિક પાસે રહેવા દઈને પંચાયતને આર્થિક નુકશાન પહોંચાડવું
  • બ્લોક નં. 313ની જમીનમાં ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપ

ઓલપાડના સરપંચના માથે લટકતી તલવાર

સરપંચ રાજેશ નારણદાસ ચૌધરીને સસ્પેન્ડ કેમ ન કરવા ? તે અંગેનો આધાર-પૂરાવા સહિતનો લેખિત ખુલાસો 15 દિવસમાં લેખિતમાં કરવા જણાવાયું છે. જોકે, કીમ બાદ ઓલપાડના સરપંચને પણ નોટિસ ફટકારતા હવે ઓલપાડના સરપંચના માથે પણ લટકતી તલવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • સત્તાનો ગેરફાયદો ઊઠાવતા સરપંચને નોટિસ
  • ઓલપાડના સરપંચ રાજેશ ચૌધરીને DDOની નોટિસ
  • પૂર્વ સરપંચે રાજેશ ચૌધરી વિરૂદ્ધ કરી હતી અરજી
  • 15 દિવસમાં ખુલાસો આપવા કરાઈ જાણ

સુરતઃ જિલ્લામાં હાલના શાસકો મનસ્વીપણે નિર્ણય લઈ વહીવટ કરતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. વારંવાર આ પ્રકારની ફરિયાદો ઊઠતી હોય છે. હાલમાં જ ઓલપાડ તાલુકાના કીમ ગામના સરપંચને ગેરરીતિ અને સત્તાનો દુરૂપયોગ કરવા મુદ્દે સસ્પેન્ડ કરી દેવાયા છે. એ જ રીતે હવે તાલુકા મથકના ગામની ઓલપાડ ગ્રામ પંચાયતના સરપંચને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

પૂર્વ સરપંચે જ હાલના સરપંચ સામે કરી હતી અરજી
આ અંગેની વિગત એવી છે કે, ઓલપાડના પૂર્વ સરપંચ બાલુ કહારે દ્વારા તા.02/02/2018 અને તા.07/01/2019ના રોજ સરપંચ રાજેશ ચૌધરી વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળ પગલાં લેવા અંગે અરજી કરી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી, ઓલપાડ પાસે અહેવાલ મગાવ્યા હતા. જોકે, આજ દિન સુધી મળી નથી. આખરે અલગ-અલગ 11 મુદ્દા ને ધ્યાને રાખીને પ્રાથમિક દ્રષ્ટિએ તેઓ કસૂરવાર હોવાનું માની કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

ડીડીઓએ આ મુદ્દાઓ ધ્યાને લીધા

  • ઓલપાડ ગામે બ્લોક નં.1ના તળાવની બાજુમાં બ્લોક નં.27 સિટી સરવે નં. 5645/1 સરકારી કાંસની જમીનમાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના પાકું મકાન બનાવવાનું કૃત્ય
  • સરપંચે ચૂંટણી સમયે નિહોળાનગરમાં પોતાનું મકાન કે શૌચાલય નથી એ ધ્યાન રાખવું
  • વર્ષ 1996માં બનાવવામાં આવેલી તક્તી તોડીને નામ લખવાની વાત
  • તા. 24/04/17ની સામાન્ય સભામાં ચર્ચા વિના ગેરકાયદે દબાણ દૂર કરવાની ફરજ
  • અસનાબાદનું તળાવ મંજૂરી વિના મત્સ્યઉદ્યોગ માટે ફાળવ્યું
  • બાંધકામની પરવાનગી બિન-ખેતીના નંબરોમાં ખોટું કર્યું
  • બ્લોક ન.227માં વધારે બાંધકામ દૂર ન કરવું
  • પંચાયત ધારાની નીતિ વિરૂદ્ધ ઠરાવ કરવાનું કૃત્ય
  • તળાવ ખાનગી માલિક પાસે રહેવા દઈને પંચાયતને આર્થિક નુકશાન પહોંચાડવું
  • બ્લોક નં. 313ની જમીનમાં ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપ

ઓલપાડના સરપંચના માથે લટકતી તલવાર

સરપંચ રાજેશ નારણદાસ ચૌધરીને સસ્પેન્ડ કેમ ન કરવા ? તે અંગેનો આધાર-પૂરાવા સહિતનો લેખિત ખુલાસો 15 દિવસમાં લેખિતમાં કરવા જણાવાયું છે. જોકે, કીમ બાદ ઓલપાડના સરપંચને પણ નોટિસ ફટકારતા હવે ઓલપાડના સરપંચના માથે પણ લટકતી તલવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.