ETV Bharat / state

"મહા" વાવાઝોડાની આગાહી: સુરત દરિયાકાંઠે સુરક્ષાનો અભાવ

સુરતઃ સમગ્ર રાજ્ય પર વાવાઝોડું આફતની જેમ મંડરાય રહ્યું છે. પહેલા 'ફાની' બાદમાં 'ક્યાર' અને હવે 'મહા' ચક્રવાતનું સંકટ રાજ્યમાં દરિયાઇ વિસ્તારોમાં આફત બન્યું છે, ત્યારે સુરતમાં આ વાવાઝોડાને પગલે તંત્રને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યના તમામ  જિલ્લા કલેક્ટરને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે સામાન્યથી ભારે વરસાદી ઝાપટા નોંધાઇ શકે તેવી શક્યતા હાલ સેવાઇ રહી છે. આ સાથે જ બીજી તરફ સુરતના સુંવાલી દરિયામાં હાલ ભરતીના કારણે સામાન્ય કરંટ પણ જોવા મળી રહ્યા છે.

author img

By

Published : Nov 4, 2019, 12:59 PM IST

સુરત દરિયાકાંઠે સુરક્ષાનો અભાવ

એક તરફ દિવાળીની રજા ચાલી રહી છે, ત્યારે લોકો દરિયા કિનારે જઇને ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો 'મહા' ચક્રવાતની આગાહી હોવા છતાં પણ વેકેશનની મોજ માણવા સહેલાણીઓ સુવાલી દરિયામાં જીવના જોખમે આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. દરિયાના પાણીમાં સુરક્ષા અથવા સલામતીના પગલા ભરવામાં આવ્યા હતા અને અનિચ્છનીય ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી રાખવાની ફરજ પણ તંત્રની જ છે. પરંતુ હાલ તંત્ર દ્વારા કોઇ જ પગલા લેેવામાં આવ્યા નથી અને સુરત દરિયાકાંઠે સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યાનુસાર 'મહા' વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે થઇને બુધવારની રાત્રે પસાર થશે. વાવાઝોડાની ગતિ 100થી 120 કિલોમીટરની રહે તેવી સંભાવના છે. શનિવાર કરતા રવિવારે ચક્રવાતનું લોકેશન સ્પષ્ટ થયું છે, ત્યારે 'મહા' વાવાઝોડાની ઝડપ પણ વધી છે.

સુરત દરિયાકાંઠે સુરક્ષાનો અભાવ

કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રાજ્યને મોકલાવેલી એડવાઇઝરી મુજબ છઠ્ઠી નવેમ્બરની મધ્યરાત્રિથી 7મી નવેમ્બરની પરોઢ વચ્ચે મહા વાવાઝોડું ગંભીર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં પરિવર્તિત થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઇ દીવ અને દ્વારકા વચ્ચેથી પસાર થશે. જે દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકે 100 થી 110 કિલોમીટરથી વધી 120 કિલોમીટરની રહેવાની શક્યતા છે. આ વાવાઝોડાને કારણે છઠ્ઠી નવેમ્બરની સવારથી સાંજ સુધી ગુજરાત કાંઠાના દરિયો ભારે તોફાની રહે તેવી સંભાવના છે. સોમવારે વાવાઝોડું ધીમે-ધીમે પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને પૂર્વ ઉત્તર પૂર્વ દિશા તરફ ફરી વળાંક લેશે. જે વેળાએ વાવાઝોડાની ગતિ 150 થી 185 કિલો મીટરની હશે, પરંતુ વળાંકના કારણે તેની ગતિ ઘટશે અને 100 થી 110 તેમજ 120 કિલોમીટરની ઝડપે મહા વાવાઝોડું છઠ્ઠી નવેમ્બર મધરાતથી 7મી નવેમ્બરની પરોઢ વચ્ચેના સમયગાળામાં દીવ-દ્વારકા વચ્ચેથી પસાર થશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છઠ્ઠી અને 7મી નવેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં એકંદરે બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વધશે અને કેટલાક ભાગોમાં તેનું સ્વરૂપ ભારેથી અતિભારે રહેવાની શક્યતા છે.

એક તરફ દિવાળીની રજા ચાલી રહી છે, ત્યારે લોકો દરિયા કિનારે જઇને ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો 'મહા' ચક્રવાતની આગાહી હોવા છતાં પણ વેકેશનની મોજ માણવા સહેલાણીઓ સુવાલી દરિયામાં જીવના જોખમે આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. દરિયાના પાણીમાં સુરક્ષા અથવા સલામતીના પગલા ભરવામાં આવ્યા હતા અને અનિચ્છનીય ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી રાખવાની ફરજ પણ તંત્રની જ છે. પરંતુ હાલ તંત્ર દ્વારા કોઇ જ પગલા લેેવામાં આવ્યા નથી અને સુરત દરિયાકાંઠે સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યાનુસાર 'મહા' વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે થઇને બુધવારની રાત્રે પસાર થશે. વાવાઝોડાની ગતિ 100થી 120 કિલોમીટરની રહે તેવી સંભાવના છે. શનિવાર કરતા રવિવારે ચક્રવાતનું લોકેશન સ્પષ્ટ થયું છે, ત્યારે 'મહા' વાવાઝોડાની ઝડપ પણ વધી છે.

સુરત દરિયાકાંઠે સુરક્ષાનો અભાવ

કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રાજ્યને મોકલાવેલી એડવાઇઝરી મુજબ છઠ્ઠી નવેમ્બરની મધ્યરાત્રિથી 7મી નવેમ્બરની પરોઢ વચ્ચે મહા વાવાઝોડું ગંભીર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં પરિવર્તિત થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઇ દીવ અને દ્વારકા વચ્ચેથી પસાર થશે. જે દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકે 100 થી 110 કિલોમીટરથી વધી 120 કિલોમીટરની રહેવાની શક્યતા છે. આ વાવાઝોડાને કારણે છઠ્ઠી નવેમ્બરની સવારથી સાંજ સુધી ગુજરાત કાંઠાના દરિયો ભારે તોફાની રહે તેવી સંભાવના છે. સોમવારે વાવાઝોડું ધીમે-ધીમે પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને પૂર્વ ઉત્તર પૂર્વ દિશા તરફ ફરી વળાંક લેશે. જે વેળાએ વાવાઝોડાની ગતિ 150 થી 185 કિલો મીટરની હશે, પરંતુ વળાંકના કારણે તેની ગતિ ઘટશે અને 100 થી 110 તેમજ 120 કિલોમીટરની ઝડપે મહા વાવાઝોડું છઠ્ઠી નવેમ્બર મધરાતથી 7મી નવેમ્બરની પરોઢ વચ્ચેના સમયગાળામાં દીવ-દ્વારકા વચ્ચેથી પસાર થશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છઠ્ઠી અને 7મી નવેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં એકંદરે બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વધશે અને કેટલાક ભાગોમાં તેનું સ્વરૂપ ભારેથી અતિભારે રહેવાની શક્યતા છે.

Intro:સુરત:ગુજરાત પર ફરી એક વખત " મહા " વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ગુજરાત ના તમામ જિલ્લા કલેકટરો ને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે મહા વાવાઝોડાની આગાહી ના પગલે સુરતનું તંત્ર પણ એલર્ટ પર છે.આગામી 24 કલાકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મહા વાવાઝોડાની અસરના પગલે સામાન્યથી ભારે વરસાદી ઝાપટા નોંધાય શકે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે ત્યાં બીજી તરફ સુરતના સુંવાલી દરિયામાં હાલ ભરતીના કારણે સામાન્ય કરંટ જોવા મળી રહ્યા છે...

Body:એક તરફ દિવાળીના દિવસોની રજા ચાલી રહી છે અને તેનો ભરપૂર આનંદ લોકો ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો " મહા " વાવાઝોડા ની આગાહી હોવા છતાં  વેકેશનની મજા માણવા આવેલા સહેલાણીઓ સુવાલી દરિયાના પાણીમાં જીવન જોખમે આનંદ ઉઠાવતા જોવા મળી રહ્યા છે.તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી  હોવા છતાં સુવાલી દરિયા કાંઠે સુરક્ષા નામે છીંડા જોવા મળી રહ્યા છે.ગુજરાત પર ફરી " મહા "વાવાઝોડા નું સંકટ તોળાઈ રહ્યું છે.જેને લાઇ તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા પણ મહેસુલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે .જો કે સુચના હોવા છતાં સુવાલી દરિયા કાંઠે કોઈ પણ પ્રકારની સુરક્ષા અથવા સલામતીના પગલાં ભરવામાં આવ્યા હોય તેવું જણાતું નથી.અહીં આવતા સહેલાણીઓ જીવન જોખમે દરિયાના ભરતીના પાણીમાં.મજા માનતા જોવા મળી રહ્યા છે .પોતાની સુરક્ષાની જવાબદારી આમ તો લોકોએ  જાતે કરવાની હોય છે પરંતુ તેની સાથે કોઈ અનીચ્છીય ઘટના ના બને તેની સંપૂર્ણ જવાબદારી રાખવાની ફરજ પણ તંત્ર ની કગે જો કે સુવાલી દરિયા કાંઠે કોઈ પણ પ્રકારની સુરક્ષા અથવા સલામતીના પગલાં ભરવામાં આવ્યા હોય તે દેખાતું નથી.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર મહા વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે થઈને બુધવારની મધરાતે પસાર થશે..વાવાઝોડાની ગતિ 100 થી 120 કિલોમીટરની રહે તેવી સંભાવના છે.શનિવાર કરતાં રવિવારે ચક્રવાત નું લોકેશન સ્પષ્ટ થયું છે ત્યારે" મહા વાવાઝોડા ની  ઝડપ પણ વધી છે.કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રાજ્યને મોકલાવેલી એડવાઇઝરી મુજબ છઠ્ઠી નવેમ્બરની મધ્યરાત્રિથી 7મી નવેમ્બર ની પરોઢ વચ્ચે મહા વાવાઝોડું ગંભીર ચક્રવાતી વાવાઝોડા ના રૂપમાં પરિવર્તિત થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..જે વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઇ દીવ અને દ્વારકા વચ્ચેથી પસાર થશે..જે દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકે 100 થી  110 કિલોમીટર થી વધી 120 કિલોમીટરની રહેવાની શક્યતા છે..વાવાઝોડાના કારણે ૬ઠ્ઠી નવેમ્બર ની સવારથી સાંજ સુધી ગુજરાત કાંઠાના દરિયો ભારે તોફાની રહે તેવી સંભાવના છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એડવાઇઝરી મુજબ મહા વાવાઝોડું અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઇ ચૂક્યું છે.આજે વાવાઝોડું ધીમે ધીમે પશ્ચિમ ઊત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને પૂર્વ ઉત્તર પૂર્વ દિશા તરફ ફરી વળાંક લેશે...જે વેળાએ વાવાઝોડાની ગતિ 150 થી 185 કિલો મીટરની હશે, પરંતુ વળાંકના કારણે તેની ગતિ ઘટશે અને 100 થી 110 તેમજ 120 કિલોમીટરની ઝડપે મહા વાવાઝોડું ૬ઠ્ઠી નવેમ્બર મધરાતથી 7મી નવેમ્બર ની પરોઢ વચ્ચેના સમયગાળામાં દિવ - દ્વારકા વચ્ચેથી પસાર થશે..હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છઠ્ઠી 7મી નવેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં એકંદરે બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વધશે અને કેટલાક ભાગોમાં તેનું સ્વરૂપ ભારેથી અતિભારે રહેવાની શક્યતા છે...


Conclusion:મહા વાવાઝોડાની આગાહીના પગલે 5મી નવેમ્બર સુધી પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર તરફ અને ૬ઠ્ઠી નવેમ્બર સુધી પૂર્વ મધ્ય થી ઊત્તર પૂર્વ અરબી સમુદ્ર તરફ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે...

બાઈટ :હેમાંગીબેન ( સહેલાણી)
બાઈટ :પાયલ બેન( સહેલાણી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.