ETV Bharat / state

બારડોલી નગરપાલિકા દ્વારા દિવાલની સાથે દશામાંની મૂર્તિને પણ કરી ખંડિત

સુરત: જિલ્લામાં આવેલા બારડોલીના અલંકાર રોડ પર નગરપાલિકા દ્વારા દીવાલનું ડીમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પાલિકાએ દીવાલની સાથે સાથે માતાની મૂર્તિ પણ ખંડિત થઈ હતી. જેને લઈને લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ બાબતે હિન્દુ સંગઠન દ્વારા પાલિકાને આવેદન આપીને યોગ્ય ઉકેલ લાવવા માંગ કરાઇ હતી.

author img

By

Published : Jul 18, 2019, 5:30 AM IST

સુરતમાં બારડોલી પાલિકાએ દીવાલની સાથે માતાની મૂર્તિ કરી ખંડિત

સુરત જિલ્લામાં આવેલા બારડોલી નગરપાલિકા વિવાદમાં સપડાઈ છે. બારડોલી નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ અલંકાર રોડ પર આવેલા દશામાના મંદિરની દીવાલ તોડવા ગઈ હતી. જો કે આ ડીમોલિશનમાં જેમ તેમ કામ કરતા દીવાલની સાથે માતાની મૂર્તિ પણ ખંડિત કરી હતી. જે બાબતે સ્થાનિકો તેમજ હિન્દુ સંગઠનોએ બબાલ કરી હતી.

સુરતમાં બારડોલી પાલિકાએ દીવાલની સાથે માતાની મૂર્તિ કરી ખંડિત

આ બાબતે મોટી સંખ્યામાં લોકોએ નગરપાલિકા ખાતે ધસી આવીને પ્રમુખ અને અન્ય નગરસેવકોનો ઉધડો લીધો હતો. તો સાથે જ પાલિકાની કામગીરી સામે રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને મધ્યસ્થી કરીને મામલાને થાળે પાડ્યો હતો. હિન્દુ સંગઠન દ્વારા દિવાલ તેમજ મુર્તિ બાબતે યોગ્ય ઉકેલ લાવવા લેખિતમાં આવેદન પાલિકા પ્રમુખને આપવામાં આવ્યું હતું.

આ બનાવમાં મોટાભાગે બારડોલી નગર પાલિકાના સત્તાધીશો નાના-નાના બાંધકામોને દૂર કરીને બહાદુરી બતાવવા નિકળી પડે છે. જ્યારે નગરમાં સત્તાધીશો સહિત અનેક મોટા બાંધકામો નગરમાં ફૂલીફાલી રહ્યાં છે. જેની સામે કાર્યવાહી કરવામાં પાલિકા આજદિન સુધી વામણી પુરવાર થઇ છે. ત્યારે આ વખતે દિવાલના સ્થાને માતાજીની મૂર્તિની પણ દરકાર રાખી ન હતી. જો આ બાબતે યોગ્ય ઉકેલ નહી આવે તો આગામી દિવસોમાં મામલો વધુ ઉગ્ર બની શકે તેમ છે.

સુરત જિલ્લામાં આવેલા બારડોલી નગરપાલિકા વિવાદમાં સપડાઈ છે. બારડોલી નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ અલંકાર રોડ પર આવેલા દશામાના મંદિરની દીવાલ તોડવા ગઈ હતી. જો કે આ ડીમોલિશનમાં જેમ તેમ કામ કરતા દીવાલની સાથે માતાની મૂર્તિ પણ ખંડિત કરી હતી. જે બાબતે સ્થાનિકો તેમજ હિન્દુ સંગઠનોએ બબાલ કરી હતી.

સુરતમાં બારડોલી પાલિકાએ દીવાલની સાથે માતાની મૂર્તિ કરી ખંડિત

આ બાબતે મોટી સંખ્યામાં લોકોએ નગરપાલિકા ખાતે ધસી આવીને પ્રમુખ અને અન્ય નગરસેવકોનો ઉધડો લીધો હતો. તો સાથે જ પાલિકાની કામગીરી સામે રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને મધ્યસ્થી કરીને મામલાને થાળે પાડ્યો હતો. હિન્દુ સંગઠન દ્વારા દિવાલ તેમજ મુર્તિ બાબતે યોગ્ય ઉકેલ લાવવા લેખિતમાં આવેદન પાલિકા પ્રમુખને આપવામાં આવ્યું હતું.

આ બનાવમાં મોટાભાગે બારડોલી નગર પાલિકાના સત્તાધીશો નાના-નાના બાંધકામોને દૂર કરીને બહાદુરી બતાવવા નિકળી પડે છે. જ્યારે નગરમાં સત્તાધીશો સહિત અનેક મોટા બાંધકામો નગરમાં ફૂલીફાલી રહ્યાં છે. જેની સામે કાર્યવાહી કરવામાં પાલિકા આજદિન સુધી વામણી પુરવાર થઇ છે. ત્યારે આ વખતે દિવાલના સ્થાને માતાજીની મૂર્તિની પણ દરકાર રાખી ન હતી. જો આ બાબતે યોગ્ય ઉકેલ નહી આવે તો આગામી દિવસોમાં મામલો વધુ ઉગ્ર બની શકે તેમ છે.

Intro: બારડોલી ના અલંકાર રોડ પર દશા માં ના મંદિર પાસે આવેલ દીવાલ નું પાલિકા ડિમોલિશન કરવા ગઈ હતી . દીવાલ સાથે માતાજી ની મૂર્તિ પણ ખંડિત થતા બબાલ થઇ હતી . અને સાથે જ હિન્દૂ સંગઠન દ્વારા પાલિકા ને આવેદન આપી યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી હતી .

 Body:વિવાદ નો પર્યાય બનેલ સુરત જિલ્લા ની બારડોલી નગર પાલિકા ફરી એક વાર વિવાદિત કામ માં સપડાઈ હતી . ઘટના એ બની હતી કે બારડોલી પાલિકા ના સત્તાધીશો અને કર્મચારીઓ અલંકાર રોડ ટેમ્પા સ્ટેન્ડ નજીક દશા માં ના મંદિર ની દીવાલ તોડવા ગઈ હતી . જોકે ડિમોલિશન માં દેખરેખ વગર આડેધડ  કામ કરતા દીવાલ સાથે દશા માં ની મૂર્તિ પણ ખંડિત કરી હતી . અને વાત સ્થાનિકો અને હિન્દૂ સંગઠનો ને ધ્યાને આવતા બબાલ થવા પામી હતી . મોટી સંખ્યા માં લોકો એ પાલિકા ખાતે ધસી આવી પ્રમુખ , અને અન્ય નગરસેવકો   નો ઉધડો લીધો હતો .  પાલિકા ની કામગીરી સામે રોષે ભરાયેલા લોકો એ પાલિકા ખાતે જઈ નારા બાજી પણ કરી હતી . તેમજ  પ્રમુખ ની કેબીન માં સ્થાનિકો રજુઆત કરતા શાસક પક્ષના નેતા ભીખુ આટકોલ દ્વારા ઉદ્ધત ભર્યું વર્તન કરાતા મામલો ગરમાયો હતો જોકે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો . હિન્દૂ સંગઠન દ્વારા દીવાલ તેમજ મૂર્તિ બાબતે યોગ્ય ઉકેલ લાવવા લેખિત માં આવેદન પણ પાલિકા પ્રમુખ ને આપવામાં આવ્યું હતું . પ્રમુખે પણ ટીપી માં દીવાલ આવતી હોવાનું જણાવી લૂલો બચાવ કર્યો હતો .


Conclusion: મૉટે ભાગ ના બનાવ માં બારડોલી નગર પાલિકા ના  સત્તાધીશો  નાના નાના બાંધકામો ને દૂર કરી બહાદુરી બતાવવા નીકળી પડે છે . જયારે નગર માં સત્તાધીશો સહીત અનેક મોટા બાંધકામો નગર માં ફૂલી ફાલી રહ્યા છે . તેની સામે કાર્યવાહી કરવામાં પાલિકા આજદિન સુધી વામણી પુરવાર થઇ છે . ત્યારે આ વખતે દીવાલ બદલે માતાજી ની મૂર્તિ ની પણ દરકાર નહિ રાખતા યોગ્ય ઉકેલ નહિ આવે તો આવનાર દિવસો માં મામલો વધુ ઉગ્ર બની શકે એમ છે .

બાઈટ 1 ..... વિપુલ પારેખ ..... હિન્દૂ આગેવાન

બાઈટ 2 ..... ગણેશ ચૌધરી ..... બારડોલી પાલિકા પ્રમુખ

બાઈટ 3 ..... રાજુ વાઘ..... હિન્દૂ આગેવાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.