ETV Bharat / state

સુરતમાં દહેજની લાલચ રાખી છૂટાછેડાની ધમકી આપતા સાસરિયાં પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

author img

By

Published : Feb 1, 2021, 8:52 AM IST

સુરતમાં બારડોલીની યુવતીને વારંવાર છૂટાછેડા આપવા માટે ધમકી આપતા સાસરિયા સામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બારડોલીની યુવતીના લગ્ન ડાંગ જિલ્લાના પટેલપાડા ખાતે થયા હતા, જેને સાસરિયાઓ દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો અને રૂ. 5 લાખ દહેજમાં નહીં લાવે તો છૂટાછેડા દેવાની ધમકી આપતા હતા. પરિણીતાએ આ અંગે સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

સુરતમાં દહેજ નહીં લાવે તો છૂટાછેડાની ધમકી આપતા સાસરિયાં સામે ફરિયાદ નોંધાઈ
સુરતમાં દહેજ નહીં લાવે તો છૂટાછેડાની ધમકી આપતા સાસરિયાં સામે ફરિયાદ નોંધાઈ
  • સુરતની પરિણીતાએ પતિ સહિત સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી
  • પતિ નશો કરીને વારંવાર ઝઘડો કરતો અને પરિણીતાને ત્રાસ આપતો
  • રૂ. 5 લાખ લઈ આવ નહીં તો છૂટાછેડા આપી દઈશ
  • પરિણીતાએ પતિ, જેઠ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

બારડોલી: આ અંગે મળતી વિગત અનુસાર, સુરત જિલ્લાના બારડોલી ખાતે રહેતી યુવતીના લગ્ન ડાંગ જિલ્લાના પટેલ પાડા ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન થોડા સમય બાદ પતિ નશો કરી નાની બાબતોમાં પત્ની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. આથી પરિણીતાએ સાસુ તેમ જ જેઠને જાણ કરતા તેમણે પણ પરિણીતા સાથે બોલાચાલી કરી હતી. સાસરિયાંએ કહ્યું, તું પાંચ લાખ રૂપિયા લઈ આવ જો તું નહીં લાવે તો છૂટાછેડા આપી મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઈશ એવું જણાવી પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, જેઠ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

લગ્નના ત્રણ મહિના બાદથી જ ઝઘડો શરૂ કર્યો હતો

સુરત જિલ્લાના બારડોલીના ગાંધી રોડ ઉપર આવેલા આશિયાના નગર ગોલ્ડન પાર્કમાં રહેતા દરેસઅલ્લી ઐયુબઅલ્લી બેલદારની 26 વર્ષીય પુત્રી ફરહાનાના લગ્ન ડાંગ જિલ્લાના પટેલપાડા ખાતે રહેતા અસરફ સલીમ ઠેકેદાર સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં એક ત્રણ વર્ષીય દીકરી ફલકનાઝ છે. લગ્નના ત્રણ મહિના બાદ પતિ અસરફ ઘરે નશો કરી આવી ફરહાના સાથે નાની બાબતોને લઈ લડાઈ ઝઘડો કરતો હતો.

તું મને ગમતી નથી, મરી જાય તો સારું એમ કહી મારતો હતો

તું મને ગમતી નથી તું મરી જાય તો સારું તેમ જણાવી મારઝૂડ કરતો હતો. આથી પરિણીતાએ આ અંગે સાસુ ચાંદબી ઉર્ફે સકિલાબી તથા જેઠ અલ્તાફને જાણ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તું તારી માતા પાસે પાંચ લાખ રૂપિયા લઈ આવ અને જો તું ન લાવશે તો મારો દીકરો તને છૂટાછેડા આપી દેશે અને મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઇશ મુજબનું જણાવી ફરહાના સાથે અવાર નવાર ઝગડો કરતા હતા.


પતિનો અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધનો આક્ષેપ

પતિના કોઈ અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાથી તે મોડી રાત સુધી ઘરે આવતા ન હતા. સમાજના તેમ જ વડીલો મારફતે ત્રણ વાર સમાધાન કરવામાં આવ્યું હતું. તેમ છતાં તે અવારનવાર ઝગડો કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતા તેની પુત્રી સાથે બારડોલી ખાતે આવી ગઈ હતી અને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  • સુરતની પરિણીતાએ પતિ સહિત સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી
  • પતિ નશો કરીને વારંવાર ઝઘડો કરતો અને પરિણીતાને ત્રાસ આપતો
  • રૂ. 5 લાખ લઈ આવ નહીં તો છૂટાછેડા આપી દઈશ
  • પરિણીતાએ પતિ, જેઠ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

બારડોલી: આ અંગે મળતી વિગત અનુસાર, સુરત જિલ્લાના બારડોલી ખાતે રહેતી યુવતીના લગ્ન ડાંગ જિલ્લાના પટેલ પાડા ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન થોડા સમય બાદ પતિ નશો કરી નાની બાબતોમાં પત્ની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. આથી પરિણીતાએ સાસુ તેમ જ જેઠને જાણ કરતા તેમણે પણ પરિણીતા સાથે બોલાચાલી કરી હતી. સાસરિયાંએ કહ્યું, તું પાંચ લાખ રૂપિયા લઈ આવ જો તું નહીં લાવે તો છૂટાછેડા આપી મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઈશ એવું જણાવી પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, જેઠ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

લગ્નના ત્રણ મહિના બાદથી જ ઝઘડો શરૂ કર્યો હતો

સુરત જિલ્લાના બારડોલીના ગાંધી રોડ ઉપર આવેલા આશિયાના નગર ગોલ્ડન પાર્કમાં રહેતા દરેસઅલ્લી ઐયુબઅલ્લી બેલદારની 26 વર્ષીય પુત્રી ફરહાનાના લગ્ન ડાંગ જિલ્લાના પટેલપાડા ખાતે રહેતા અસરફ સલીમ ઠેકેદાર સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં એક ત્રણ વર્ષીય દીકરી ફલકનાઝ છે. લગ્નના ત્રણ મહિના બાદ પતિ અસરફ ઘરે નશો કરી આવી ફરહાના સાથે નાની બાબતોને લઈ લડાઈ ઝઘડો કરતો હતો.

તું મને ગમતી નથી, મરી જાય તો સારું એમ કહી મારતો હતો

તું મને ગમતી નથી તું મરી જાય તો સારું તેમ જણાવી મારઝૂડ કરતો હતો. આથી પરિણીતાએ આ અંગે સાસુ ચાંદબી ઉર્ફે સકિલાબી તથા જેઠ અલ્તાફને જાણ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તું તારી માતા પાસે પાંચ લાખ રૂપિયા લઈ આવ અને જો તું ન લાવશે તો મારો દીકરો તને છૂટાછેડા આપી દેશે અને મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઇશ મુજબનું જણાવી ફરહાના સાથે અવાર નવાર ઝગડો કરતા હતા.


પતિનો અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધનો આક્ષેપ

પતિના કોઈ અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાથી તે મોડી રાત સુધી ઘરે આવતા ન હતા. સમાજના તેમ જ વડીલો મારફતે ત્રણ વાર સમાધાન કરવામાં આવ્યું હતું. તેમ છતાં તે અવારનવાર ઝગડો કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતા તેની પુત્રી સાથે બારડોલી ખાતે આવી ગઈ હતી અને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.