ETV Bharat / state

બારડોલીમાં વહીવટી તંત્ર થયું સતર્ક, વિકેન્ડ લોકડાઉન કર્યૂ જાહેર

author img

By

Published : Apr 10, 2021, 2:48 PM IST

બારડોલીમાં શુક્રવારના રોજ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં શનિ રવિમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં બારડોલી નગરપાલિકા ઉપરાંત કડોદ, મઢી, સુરાલી, તેન, બાબેન અને ઇસરોલી ગામમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવા જણાવવામાં આવ્યું હતું.

બારડોલી
બારડોલી

  • બારડોલી ઉપરાંત પાંચ મોટા ગામોમાં પણ બે દિવસ લોકડાઉન
  • ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય
  • લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ

બારડોલી: બારડોલીના ઉચ્ચ અધિકારીઓને જ્યારે લાગ્યું કે સ્થિતિ હાથમાંથી સરકી રહી છે ત્યારે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પહેલા લોકડાઉનમાં જે ભારે ઉત્સાહ સાથે લોકોને કોરોના ગાઈડલાઈન અંગે જાગૃત કરતા હતા તે જ અધિકારીઓ બીજા તબક્કામાં કોરોનાના વધી રહેલા ચેપ છતાં નિંદ્રાધીન હતા. હવે જ્યારે સ્થિતિ વણસી રહી છે ત્યારે સપ્તાહના અંતિમ બે દિવસોમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંક્રમણ ન વધે તે માટે શનિવાર અને રવિવાર એમ બે દિવસ બારડોલી અને આજુબાજુના ગામડાઓમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે.

બારડોલીમાં વિકેન્ડ લોકડાઉન જાહેર

કોરોનાના કેસ વધવા છતાં વહીવટી તંત્ર નિંદ્રાધીન હતું

ચૂંટણી બાદ સમગ્ર જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. રોજના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હતો. શુક્રવારે સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણનો આંકડો બેવડી સદી વટાવી 237 સુધી પહોંચી ગયો હતો. કેસો સતત વધી રહ્યા હતા ત્યારે તંત્રનું માત્ર સુરત શહેર પર જ ધ્યાન હતું. બારડોલી સહિત જિલ્લાને નિરાધાર મૂકી દેવામાં આવ્યો હતો. અનેક કેસો છતાં સ્થાનિક વહીવટી તંત્ર ગાઢ નિંદ્રામાં જ હતું.

આ પણ વાંચો:કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સ્વૈચ્છિક લોકડાઉન તરફ, કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ

ઉચ્ચ અધિકારીએ તાત્કાલિક બેઠક બોલાવી લીધો નિર્ણય

આ દરમ્યાન શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન બાદ બારડોલીનું વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. વહીવટી, પોલીસ તેમજ પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ તાબડતોડ મિટિંગ બોલાવી વધતા સંક્રમણને રોકવા શનિ અને રવિવારનું લોકડાઉન જાહેર કર્યું હતું. વિકેન્ડ એટલે કે, શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી સોમવાર 12મી એપ્રિલ 2021 સવારે 6 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ જાહેર બજાર બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ માટે બારડોલી SDM વી.એન. રબારીએ લેખિતમાં જાહેર સૂચના પણ બહાર પાડી હતી.

ઘરની બહાર ન નીકળવા અપીલ

જાહેર સૂચનામાં લોકો ઘરની બહાર ન નીકળે તથા જ્યાં વધુ પડતા કોરોનાના કેસો છે એવા વિસ્તારમાં રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું છે. તેમજ કોઈ પણ જાહેરમાર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓ તથા જાહેર જગ્યાઓ પર ઉભા રહેવું નહિ અથવા પગપાળા કે વાહનો મારફતે બિનજરૂરી હરવા ફરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

બારડોલી SDM
બારડોલી SDM

આ પણ વાંચો: સુરતના કડોદ અને માંડવીમાં બપોર પછી સ્વૈચ્છીક લોકડાઉન

SDMએ વીડિયો મેસેજ દ્વારા લોકોને સૂચના આપી

આ સૂચના મુજબ સપ્તાહના અંતિમ બે દિવસો દરમ્યાન સંપૂર્ણ લોકડાઉન બારડોલી નગરપાલિકા વિસ્તાર, તેન ગામ, બાબેન, મઢી-સુરાલી, કડોદ અને ઇસરોલી ગામમાં જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે બારડોલી SDM રબારી દ્વારા વીડિયો મેસેજ ફરતો કરી લોકોને સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.

લોકડાઉન દરમ્યાન સંગ્રહખોરી કરનાર સામે કડક કાર્યાવહી થશે

આ ઉપરાંત લોકડાઉન દરમ્યાન કોઈ વેપારી સંગ્રહખોરી કરતા માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે લોક ડાઉન દરમ્યાન આવશ્યક સેવાઓને છુટ આપવામાં આવી છે. પરંતુ આ છૂટછાટ સોશ્યલ ડિસ્ટન્સિંગની જાળવણી, માસ્ક, હેન્ડ સેનેટાઇઝર સહિત કોવિડ 19ના માર્ગદર્શક સૂચનોનું પાલન કરવાની શરતે આપવામાં આવી છે. બેઠકમાં બારડોલી SDM રબારી, મામલતદાર જિજ્ઞા પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • બારડોલી ઉપરાંત પાંચ મોટા ગામોમાં પણ બે દિવસ લોકડાઉન
  • ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય
  • લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ

બારડોલી: બારડોલીના ઉચ્ચ અધિકારીઓને જ્યારે લાગ્યું કે સ્થિતિ હાથમાંથી સરકી રહી છે ત્યારે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પહેલા લોકડાઉનમાં જે ભારે ઉત્સાહ સાથે લોકોને કોરોના ગાઈડલાઈન અંગે જાગૃત કરતા હતા તે જ અધિકારીઓ બીજા તબક્કામાં કોરોનાના વધી રહેલા ચેપ છતાં નિંદ્રાધીન હતા. હવે જ્યારે સ્થિતિ વણસી રહી છે ત્યારે સપ્તાહના અંતિમ બે દિવસોમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંક્રમણ ન વધે તે માટે શનિવાર અને રવિવાર એમ બે દિવસ બારડોલી અને આજુબાજુના ગામડાઓમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે.

બારડોલીમાં વિકેન્ડ લોકડાઉન જાહેર

કોરોનાના કેસ વધવા છતાં વહીવટી તંત્ર નિંદ્રાધીન હતું

ચૂંટણી બાદ સમગ્ર જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. રોજના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હતો. શુક્રવારે સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણનો આંકડો બેવડી સદી વટાવી 237 સુધી પહોંચી ગયો હતો. કેસો સતત વધી રહ્યા હતા ત્યારે તંત્રનું માત્ર સુરત શહેર પર જ ધ્યાન હતું. બારડોલી સહિત જિલ્લાને નિરાધાર મૂકી દેવામાં આવ્યો હતો. અનેક કેસો છતાં સ્થાનિક વહીવટી તંત્ર ગાઢ નિંદ્રામાં જ હતું.

આ પણ વાંચો:કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સ્વૈચ્છિક લોકડાઉન તરફ, કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ

ઉચ્ચ અધિકારીએ તાત્કાલિક બેઠક બોલાવી લીધો નિર્ણય

આ દરમ્યાન શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન બાદ બારડોલીનું વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. વહીવટી, પોલીસ તેમજ પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ તાબડતોડ મિટિંગ બોલાવી વધતા સંક્રમણને રોકવા શનિ અને રવિવારનું લોકડાઉન જાહેર કર્યું હતું. વિકેન્ડ એટલે કે, શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી સોમવાર 12મી એપ્રિલ 2021 સવારે 6 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ જાહેર બજાર બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ માટે બારડોલી SDM વી.એન. રબારીએ લેખિતમાં જાહેર સૂચના પણ બહાર પાડી હતી.

ઘરની બહાર ન નીકળવા અપીલ

જાહેર સૂચનામાં લોકો ઘરની બહાર ન નીકળે તથા જ્યાં વધુ પડતા કોરોનાના કેસો છે એવા વિસ્તારમાં રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું છે. તેમજ કોઈ પણ જાહેરમાર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓ તથા જાહેર જગ્યાઓ પર ઉભા રહેવું નહિ અથવા પગપાળા કે વાહનો મારફતે બિનજરૂરી હરવા ફરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

બારડોલી SDM
બારડોલી SDM

આ પણ વાંચો: સુરતના કડોદ અને માંડવીમાં બપોર પછી સ્વૈચ્છીક લોકડાઉન

SDMએ વીડિયો મેસેજ દ્વારા લોકોને સૂચના આપી

આ સૂચના મુજબ સપ્તાહના અંતિમ બે દિવસો દરમ્યાન સંપૂર્ણ લોકડાઉન બારડોલી નગરપાલિકા વિસ્તાર, તેન ગામ, બાબેન, મઢી-સુરાલી, કડોદ અને ઇસરોલી ગામમાં જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે બારડોલી SDM રબારી દ્વારા વીડિયો મેસેજ ફરતો કરી લોકોને સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.

લોકડાઉન દરમ્યાન સંગ્રહખોરી કરનાર સામે કડક કાર્યાવહી થશે

આ ઉપરાંત લોકડાઉન દરમ્યાન કોઈ વેપારી સંગ્રહખોરી કરતા માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે લોક ડાઉન દરમ્યાન આવશ્યક સેવાઓને છુટ આપવામાં આવી છે. પરંતુ આ છૂટછાટ સોશ્યલ ડિસ્ટન્સિંગની જાળવણી, માસ્ક, હેન્ડ સેનેટાઇઝર સહિત કોવિડ 19ના માર્ગદર્શક સૂચનોનું પાલન કરવાની શરતે આપવામાં આવી છે. બેઠકમાં બારડોલી SDM રબારી, મામલતદાર જિજ્ઞા પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.