ETV Bharat / state

બારડોલીમાં ગરનાળું તોડી નાખતા સોસાયટીના રહીશોની મુશ્કેલી વધી - બારડોલી

બારડોલીના શાસ્ત્રી રોડ વિસ્તારમાં આવેલી અવધૂતનગર સોસાયટી નજીક ખાડી પર બનાવવામાં આવેલું ગરનાળું નવીનીકરણ માટે તોડી નાખવામાં આવ્યાં બાદ તેનું કામ અધૂરું છોડી દેવાયું છે. જૂનું ગરનાળું તોડ્યાને 6 મહિનાથી વધુનો સમય થયો છતાં નવા ગરનાળાનું માત્ર પાયાનું કામ કરી ત્યાર પછીનું કામ અધૂરું છોડી દેવામાં આવતાં રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બારડોલીમાં ગરનાળું તોડી નાખતા સોસાયટીના રહીશોની મુશ્કેલી વધી
બારડોલીમાં ગરનાળું તોડી નાખતા સોસાયટીના રહીશોની મુશ્કેલી વધી
author img

By

Published : Oct 12, 2020, 7:51 PM IST

બારડોલી : બારડોલીના અવધૂતનગર નજીક આવેલું ગરનાળું નવું બનાવવાનું હોવાથી પાલિકા દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. ખાડી પર બોક્સ ડ્રેનેજની કામગીરી શરૂ કર્યા બાદ ગરનાળા માટેની કોઈ કામગીરી હાથ ન ધરાતાં સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગરનાળું તોડી નાંખવામાં આવતાં આજુબાજુની સોસાયટીના રહીશોએ સ્ટેશન રોડ પર જવા માટે 2થી 3 કી.મીનો ચકરાવો લગાવવો પડી રહ્યો છે. જેથી બારડોલી નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આ ગરનાળું બનાવી સોસાયટીના રહીશોની મુશ્કેલી દૂર કરે એ જરૂરી બન્યું છે.

તંત્ર વહેલી તકે આ ગરનાળું બનાવી સોસાયટીના રહીશોની મુશ્કેલી દૂર કરે
તંત્ર વહેલી તકે આ ગરનાળું બનાવી સોસાયટીના રહીશોની મુશ્કેલી દૂર કરે

મળતી માહિતી અનુસાર બારડોલીના અવધૂતનગર સોસાયટી નજીક આવેલા વર્ષો જૂનું ગરનાળું કોન્ટ્રાકટર દ્વારા તોડી નાંખવામાં આવ્યું છે. આ ગરનાળું છેલ્લાં 6 મહિના અગાઉ તોડી નાંખવામાં આવ્યું છે. જેથી આજુબાજુની 7થી 8 સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. આજુબાજુની સોસાયટીના રહીશો સ્ટેશન રોડ ઉપર જવા માટે અવધૂત નગરથી જે.પી.નગર થઈ સ્ટેશનરોડ જવા માટે ઉપયોગ કરતાં હતા. અને આ ગરનાળાને લઈ લોકોને 2થી 3 કી.મી. નો ફેરાવો ઓછો થતો હતો. ઘણા વર્ષો અગાઉ સોસાયટીના રહીશોને અવરજવરમાં મુશ્કેલી હતી એટલે પાલિકા દ્વારા જ ગરનાળું બનાવવામાં આવ્યું હતું.

પરંતુ નવું ગરનાળું બનાવવા માટે પાલિકા દ્વારા આ ગરનાળું તોડી નાંખવામાં આવ્યા બાદ કોઈ કામગીરી હાથ ન ધરાતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી બારડોલી નગરપાલિકા તંત્ર જરૂરી રસ દાખવી યોગ્ય કામગીરી કરે એ જરૂરી બન્યું છે.

બારડોલી : બારડોલીના અવધૂતનગર નજીક આવેલું ગરનાળું નવું બનાવવાનું હોવાથી પાલિકા દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. ખાડી પર બોક્સ ડ્રેનેજની કામગીરી શરૂ કર્યા બાદ ગરનાળા માટેની કોઈ કામગીરી હાથ ન ધરાતાં સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગરનાળું તોડી નાંખવામાં આવતાં આજુબાજુની સોસાયટીના રહીશોએ સ્ટેશન રોડ પર જવા માટે 2થી 3 કી.મીનો ચકરાવો લગાવવો પડી રહ્યો છે. જેથી બારડોલી નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આ ગરનાળું બનાવી સોસાયટીના રહીશોની મુશ્કેલી દૂર કરે એ જરૂરી બન્યું છે.

તંત્ર વહેલી તકે આ ગરનાળું બનાવી સોસાયટીના રહીશોની મુશ્કેલી દૂર કરે
તંત્ર વહેલી તકે આ ગરનાળું બનાવી સોસાયટીના રહીશોની મુશ્કેલી દૂર કરે

મળતી માહિતી અનુસાર બારડોલીના અવધૂતનગર સોસાયટી નજીક આવેલા વર્ષો જૂનું ગરનાળું કોન્ટ્રાકટર દ્વારા તોડી નાંખવામાં આવ્યું છે. આ ગરનાળું છેલ્લાં 6 મહિના અગાઉ તોડી નાંખવામાં આવ્યું છે. જેથી આજુબાજુની 7થી 8 સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. આજુબાજુની સોસાયટીના રહીશો સ્ટેશન રોડ ઉપર જવા માટે અવધૂત નગરથી જે.પી.નગર થઈ સ્ટેશનરોડ જવા માટે ઉપયોગ કરતાં હતા. અને આ ગરનાળાને લઈ લોકોને 2થી 3 કી.મી. નો ફેરાવો ઓછો થતો હતો. ઘણા વર્ષો અગાઉ સોસાયટીના રહીશોને અવરજવરમાં મુશ્કેલી હતી એટલે પાલિકા દ્વારા જ ગરનાળું બનાવવામાં આવ્યું હતું.

પરંતુ નવું ગરનાળું બનાવવા માટે પાલિકા દ્વારા આ ગરનાળું તોડી નાંખવામાં આવ્યા બાદ કોઈ કામગીરી હાથ ન ધરાતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી બારડોલી નગરપાલિકા તંત્ર જરૂરી રસ દાખવી યોગ્ય કામગીરી કરે એ જરૂરી બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.