ETV Bharat / state

અક્ષય કુમારે સુરતીઓને કહ્યું " સાંજે 6:30 વાગ્યા પહેલા જમી લે " - કુડો એસોસિએશન

સુરત: બોલિવુડ એક્ટર અક્ષય કુમાર ગુરુવારના રોજ કુડો એસોસિએશન દ્વારા આયોજિત 11મી ઇન્ટરનેશનલ ઇન્વિટેશન ટુર્નામેન્ટમાં કુડો ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવ્યા હતાં. આવીને તેઓએ લોકોને કેમ છો બધા મજામા કહ્યું તો સુરતનુ ઇન્ડોર સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યુ હતું. તેઓએ સુરતીઓને ફિટ રહેવાનો મંત્ર પણ આપ્યો હતો. તેમજ કહ્યું કે, તેઓ સાંજે 6:30 વાગ્યા પહેલા જમી લે. તેમજ કુડો સ્પર્ધા વિશે માહિતી આપી હતી.

etv bharat
author img

By

Published : Oct 24, 2019, 11:37 PM IST

બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર પોતાના અભિનયની સાથે સાથે માર્શલ આર્ટ પ્રત્યેના તેમના પ્રેમને લઈ હંમેશાથી ચર્ચામાં રહ્યા છે, ત્યારે તેઓએ સુરતીઓને ફિટ રહેવા અપીલ કરી હતી. તેમજ ફિટનેસ મંત્ર આપતા કહ્યું કે, તે જાણે છે કે, સુરતીઓ વિવિધ વાનગીઓ ખાવાના શોખીન છે. તેમ છતાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે, સાંજે 6:30 વાગ્યા પહેલા જમી લેવાનુ હોય છે. તેઓએ લોકોને સ્વાસ્થ્યની ટીપ આપી અપીલ કરતા કહ્યું કે, લોકો 6:30 વાગ્યા પહેલા જમી લે. જેથી તેઓનું સ્વાસ્થ્ય સારું રહે.

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર કુડો ટુર્નામેન્ટમાં ઇન્ડોર સ્ટેડિયમની મુલાકાતે

દેશભરમાંથી આવેલા ટુર્નામેન્ટના ખેલાડીઓને સંબોધિત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે, વિશ્વમાં ભારત કુડો સ્પર્ધામાં નંબર વન બને. સાથે તેઓએ બાળકોના માતા-પિતાને પણ અપીલ કરી હતી કે, તેઓ પોતાના બાળકને તાલીમ આપે અને આ માટે બાળકોને પ્રોત્સાહન આપે.

તેમજ બાળકોની સાથે તે પણ માર્શલ આર્ટ અને કુડો શીખે. કારણકે કુડો શીખવાની કોઇ ઉંમર હોતી નથી. તેઓએ જણાવ્યું હતુ કે, તે પોતાના પુત્ર આર્યન સાથે જ્યારે પણ સમય મળે છે, ત્યારે આવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેના લીધે માતા-પિતા બાળકોની નજીક આવે છે. આરોગ્યના મામલે વિશ્વમાં આપણો દેશ ખૂબ જ પાછળ છે અને સ્વાસ્થ્ય પૈસાથી પણ કિંમતી હોય છે તે મારો અંગત અનુભવ છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કુડો શીખવાડવાના નામે લેભાગુ તત્વો છોકરાઓના મા બાપ પાસે પૈસા માગે છે. તો હું કહેવા માગુ છું કે, જ્યાં સુધી અક્ષય કુમાર છે ત્યાં સુધી કોઈપણ મા બાપે કુડો શીખવાના પૈસા આપવાના નથી. જો કોઈ તમારી પાસે પૈસા માગે તો મને જણાવો હું એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશ.

બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર પોતાના અભિનયની સાથે સાથે માર્શલ આર્ટ પ્રત્યેના તેમના પ્રેમને લઈ હંમેશાથી ચર્ચામાં રહ્યા છે, ત્યારે તેઓએ સુરતીઓને ફિટ રહેવા અપીલ કરી હતી. તેમજ ફિટનેસ મંત્ર આપતા કહ્યું કે, તે જાણે છે કે, સુરતીઓ વિવિધ વાનગીઓ ખાવાના શોખીન છે. તેમ છતાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે, સાંજે 6:30 વાગ્યા પહેલા જમી લેવાનુ હોય છે. તેઓએ લોકોને સ્વાસ્થ્યની ટીપ આપી અપીલ કરતા કહ્યું કે, લોકો 6:30 વાગ્યા પહેલા જમી લે. જેથી તેઓનું સ્વાસ્થ્ય સારું રહે.

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર કુડો ટુર્નામેન્ટમાં ઇન્ડોર સ્ટેડિયમની મુલાકાતે

દેશભરમાંથી આવેલા ટુર્નામેન્ટના ખેલાડીઓને સંબોધિત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે, વિશ્વમાં ભારત કુડો સ્પર્ધામાં નંબર વન બને. સાથે તેઓએ બાળકોના માતા-પિતાને પણ અપીલ કરી હતી કે, તેઓ પોતાના બાળકને તાલીમ આપે અને આ માટે બાળકોને પ્રોત્સાહન આપે.

તેમજ બાળકોની સાથે તે પણ માર્શલ આર્ટ અને કુડો શીખે. કારણકે કુડો શીખવાની કોઇ ઉંમર હોતી નથી. તેઓએ જણાવ્યું હતુ કે, તે પોતાના પુત્ર આર્યન સાથે જ્યારે પણ સમય મળે છે, ત્યારે આવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેના લીધે માતા-પિતા બાળકોની નજીક આવે છે. આરોગ્યના મામલે વિશ્વમાં આપણો દેશ ખૂબ જ પાછળ છે અને સ્વાસ્થ્ય પૈસાથી પણ કિંમતી હોય છે તે મારો અંગત અનુભવ છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કુડો શીખવાડવાના નામે લેભાગુ તત્વો છોકરાઓના મા બાપ પાસે પૈસા માગે છે. તો હું કહેવા માગુ છું કે, જ્યાં સુધી અક્ષય કુમાર છે ત્યાં સુધી કોઈપણ મા બાપે કુડો શીખવાના પૈસા આપવાના નથી. જો કોઈ તમારી પાસે પૈસા માગે તો મને જણાવો હું એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશ.

Intro:સુરત :બોલિવુડ એક્ટર અક્ષય કુમાર જ્યારે સુરત આવ્યા અને લોકોને કેમ છો બધા મજામા કહ્યું તો સુરતનુ ઇન્ડોર સ્ટેડિયમ તાળી ઓ થી ગુંજી ઉઠ્યુ હતુ.કુડો એસોસિએશન દ્વારા આયોજિત અક્ષય કુમાર ઇન્ટરનેશનલ ઇન્વિટેશન કુડો ટુર્નામેન્ટ ના અંતિમ દિવસે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર સુરત આવ્યા અને સ્ટેજ પર આવી સુરતીઓ કે જેઓ જમવા માટે વિશ્વ પ્રખ્યાત છે તેઓને ફિટનેસ મંત્ર આપતા કહ્યુ કે તેઓ સાંજે 6:30 વાગ્યા પહેલા જમી લે.

Body:અક્ષય કુમાર પોતાના અભિનયની સાથે સાથે માર્શલ આર્ટ પ્રત્યે તેમના પ્રેમને લઈ હંમેશાથી ચર્ચામાં રહ્યા છે. આજે અક્ષય કુમાર 11મી ઇન્ટરનેશનલ ઇન્વિટેશન ટુર્નામેન્ટમાં તેઓ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવ્યા હતા. તેઓએ સુરતીઓને ફિટ રહેવા અપીલ કરી હતી. અક્ષય કુમારે ફિટનેસ મંત્ર આપતા સુરતીઓને કહ્યુ હતુ કે તે જાણે છે કે સુરતીઓ વિવિધ વાનગીઓ ખાવાના શોખીન છે તેમ છતા અક્ષયે જણાવ્યુ હતુ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે સાંજે 6:30 વાગ્યા પહેલા જમી લેવાનુ હોય છે. તેઓએ લોકોને સ્વાસ્થ્ય ની ટીપ આપી અપીલ કરી હતી કે લોકો 6:30 વાગ્યા પહેલા જમી લે જેથી તેઓનું સ્વાસ્થ્ય સારું રહે.

દેશભર માંથી આવેલા ટુર્નામેન્ટના ખેલાડીઓને સંબોધિત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે તેઓ ઇચ્છે છે કે વિશ્વમાં ભારત કુડો સ્પર્ધામાં નંબર વન બને.સાથે તેઓએ માતા-પિતાને અપીલ પણ કરી હતી કે તેઓ પોતાના બાળકને તાલીમ આપે, અને આ માટે બાળકો ને પ્રોત્સાહન આપે.


અક્ષય કુમારે ખેલાડીઓના માતા-પિતાને પણ કહ્યું કે બાળકોની સાથે તે પણ માર્શલ આર્ટ અને કુડો શીખે કારણકે કુડો શીખવાની કોઇ ઉંમર હોતી નથી. તેઓએ જણાવ્યુ હતુ કે તે પોતાના પુત્ર આર્યન સાથે જ્યારે પણ સમય મળે છે ત્યારે આવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે જેના લીધે માતા-પિતા બાળકોની નજીક આવે છે.આરોગ્યના મામલે વિશ્વમાં આપણો દેશ ખૂબ જ પાછળ છે અને સ્વાસ્થ્ય પૈસાથી પણ કિમતી હોય છે મારું અંગત અનુભવ છે

Conclusion:તેમણે વધુમાં જણાવ્યું હતું કે કુડો શીખવાડવાના નામે લેભાગુ તત્વો છોકરાઓ ના માબાપ પાસે પૈસા માંગે છે તો હું કહેવા માગું છું કે જ્યાં સુધી અક્ષય કુમાર છે ત્યાં સુધી કોઈપણ માબાપે કુડો શીખવાના પૈસા આપવાના નથી. જો કોઈ તમારી પાસે પૈસા માંગે તો મને જણાવો હું એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશ.

બાઈટ : અક્ષય કુમાર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.