ETV Bharat / state

સુરતમાં પોલીસ ટોર્ચરથી કંટાળી આરોપીએ જીવન ટુંકાવ્યું - Accused accused of police torture saved his life

સુરતઃ પોલીસ ટોર્ચરથી કંટાળી સુરતમાં કસ્ટોડિયલ ડેથનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ખટોદરા કસ્ટોડિયલ ડેથ બાદ હવે વરાછા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં લવાયેલા આરોપીએ પોલીસ મથકમાં પોલીસ ટોર્ચરથી કંટાળી જીવન ટુંકાવ્યું હતું.

surat
પોલીસ ટોર્ચરથી કંટાળી આરોપીએ જીવન ટુંકાવ્યું
author img

By

Published : Dec 29, 2019, 6:50 PM IST

મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી અને ગંભીર આરોપ લગાવ્યા છે કે, ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસે તેમના પુત્રને ગંભીર રીતે માર મારી કરંટ આપતા તેણે આ પગલું ભર્યું છે. મૃતક બેરોજગાર રત્નકલાકાર હતો.

પોલીસ ટોર્ચરથી કંટાળી આરોપીએ જીવન ટુંકાવ્યું

આરોપી બ્રિજેશ રત્ન કલાકાર હતો. દિવાળી પહેલા તેને નોકરી ગુમાવી હતી. તેવુ પરિવારના સભ્યોએ જણાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે 6 દિવસ પહેલા જ ત્રણ આરોપીઓની ઘરફોડ ચોરીના બનાવમાં ધરપકડ કરી હતી. જેમાંથી એક બ્રિજેશ હતો. ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો હતો કે, 2 કતારગામ, વરાછા અને એક ચોક બજાર વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીના બનાવમાં બ્રિજેશ સહિત અન્ય બે આરોપીઓ સામેલ હતા.

ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ પૂર્ણ થયા બાદ તેને વધુ તપાસ માટે વરાછા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. બ્રિજેશને જ્યારે વરાછા પોલીસ મથકમાં 26મી તારીખ સોપવામાં આવ્યો, ત્યારે તેના રિમાન્ડ મેળવ્યા બાદ 11:15 કલાકે પોલીસને આત્મહત્યા કરી હોવાની જાણ થઇ હતી .

અત્રે ઉલ્લેખનીય છે કે,પોલીસ ટોર્ચરના કારણે ખટોદરા પોલીસ મથકમાં એક આરોપીનું મોત થયું હતું, ત્યારે થોડા મહિના બાદ હવે વરાછા પોલીસ મથકમાં આત્મહત્યાના બનાવના કારણે ફરી એક વખત સુરત પોલીસ વિવાદમાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ ACP બેન્ચના અધિકારીઓ કરી રહ્યા છે. આ સાથે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી અને ગંભીર આરોપ લગાવ્યા છે કે, ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસે તેમના પુત્રને ગંભીર રીતે માર મારી કરંટ આપતા તેણે આ પગલું ભર્યું છે. મૃતક બેરોજગાર રત્નકલાકાર હતો.

પોલીસ ટોર્ચરથી કંટાળી આરોપીએ જીવન ટુંકાવ્યું

આરોપી બ્રિજેશ રત્ન કલાકાર હતો. દિવાળી પહેલા તેને નોકરી ગુમાવી હતી. તેવુ પરિવારના સભ્યોએ જણાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે 6 દિવસ પહેલા જ ત્રણ આરોપીઓની ઘરફોડ ચોરીના બનાવમાં ધરપકડ કરી હતી. જેમાંથી એક બ્રિજેશ હતો. ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો હતો કે, 2 કતારગામ, વરાછા અને એક ચોક બજાર વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીના બનાવમાં બ્રિજેશ સહિત અન્ય બે આરોપીઓ સામેલ હતા.

ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ પૂર્ણ થયા બાદ તેને વધુ તપાસ માટે વરાછા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. બ્રિજેશને જ્યારે વરાછા પોલીસ મથકમાં 26મી તારીખ સોપવામાં આવ્યો, ત્યારે તેના રિમાન્ડ મેળવ્યા બાદ 11:15 કલાકે પોલીસને આત્મહત્યા કરી હોવાની જાણ થઇ હતી .

અત્રે ઉલ્લેખનીય છે કે,પોલીસ ટોર્ચરના કારણે ખટોદરા પોલીસ મથકમાં એક આરોપીનું મોત થયું હતું, ત્યારે થોડા મહિના બાદ હવે વરાછા પોલીસ મથકમાં આત્મહત્યાના બનાવના કારણે ફરી એક વખત સુરત પોલીસ વિવાદમાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ ACP બેન્ચના અધિકારીઓ કરી રહ્યા છે. આ સાથે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

Intro:સુરત : પોલીસ ટોર્ચરથી કંટાળી ફરી એક વખત સુરતમાં કસ્ટોડિયલ ડેથ નો બનાવ પ્રકાશમાં આવ્યો છે.ખટોદરા કસ્ટોડિયલ ડેથ બાદ હવે વરાછા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં લવાયેલ આરોપીએ પોતાની વડે લોકઅપની ની બાજુમાં આવેલા શૌચાલય માં જઈ ગળેફાંસો ખાઇ લીધો હતો.. ત્યારે બીજી બાજુ મૃતકના પરિવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડી દીધી હતી અને ગંભીર આરોપ લગાવ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસે તેમના પુત્રને ગંભીર રીતે મારી કરંટ આપતા તેણે આ પગલું ભર્યું છે.મૃતક બેરોજગાર રત્નકલાકાર હતો.

Body:20 વર્ષીય બ્રિજેશ ઉર્ફ લાલુ મહેશ સાવલિયા એ સુરતના વરાછા પોલીસ મથકમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે ..બ્રિજેશ ને એક અઠવાડિયા પહેલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં ધરપકડ કરી અનેક ચોરીના બનાવોનો ખુલાસા કર્યા હોવાનું જણાવ્યું હતું. બ્રિજેશ ના પિતા મહેશ સાવલિયા અને તેમની માતાનું રડી રડીને હાલત કફોડી થઈ ગઈ છે. પરિવારમાં એક માત્ર પુત્ર એ આજે આત્મા હત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. બ્રિજેશ ના પિતા મહેશ સાવલિયાએ આરોપ લગાવ્યા છે કે છેલ્લા છ દિવસથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તેને ઢોર માર મારતી હતી અને સાથે કરંટ પણ આપવામાં આવતો હતો. આ અંગે પોતે બ્રિજેશ છે તેમણે જણાવ્યું હતું... મહેશભાઈએ આ અંગે જણાવ્યું છે કે તેના પુત્રે પોલીસના જણાવ્યા મુજબ તમામ ગુનાઓ કબૂલી પણ લીધા હતા. તેમ છતાં વારંવાર થનાર ટોર્ચર ના કારણે તેને આત્મહત્યા કરી લીધી છે.જેના માટે પોલીસ જવાબદાર છે. જેથી તેઓ હવે બ્રિજેશની લાશ નહીં સ્વીકારશે.

આરોપી બ્રિજેશ રત્ન કલાકાર હતો. દિવાળી પહેલા તેની નોકરી ચાલી ગઈ હતી એમ પરિવારના સભ્યોએ જણાવ્યું છે..ક્રાઈમ બ્રાન્ચે 6 દિવસ પહેલા જ ત્રણ આરોપીઓની ઘરફોડ ચોરીના બનાવમાં ધરપકડ કરી હતી.જેમાંથી એક બ્રિજેશ હતો .ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો હતો કે 2 કતારગામ ,વરાછા અને એક ચોક બજાર વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીના બનાવમાં બ્રિજેશ સહિત અન્ય બે આરોપીઓ શામેલ છે.. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ પૂર્ણ થયા બાદ તેને વધુ તપાસ માટે વરાછા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા.બ્રિજેશ ને જ્યારે વરાછા પોલીસ મથકમાં ૨૬મી તારીખ સોપવામાં આવ્યા ત્યારે તેના રિમાન્ડ મેળવ્યા બાદ આજે સવારે આશરે સવારે સંવા અગિયાર કલાકે પોલીસને જાણ થઈ હતી કે તેને લોકઅપ ના સૌચાલય માં જઈ પોતાના શોલ વડે આત્મહત્યા કરી લીધી છે..


Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ટોર્ચર ના કારણે ખટોદરા પોલીસ મથકમાં એક આરોપીનું મોત થયું હતું ..ત્યારે થોડાક મહિના બાદ હવે વરાછા પોલીસ મથકમાં આત્મહત્યાના બનાવના કારણે ફરી એક વખત સુરત પોલીસ વિવાદમાં આવી છે.આ સમગ્ર ઘટનાની તપાસ એસીપી બેન્ચના અધિકારીઓ કરી રહ્યા છે. સાથે લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઇ છે..

બાઈટ :મહેશભાઈ સાવલિયા(પિતા)
બાઈટ મૃતકની માતા
બાઈટ : રાકેશ બારોટ (DCP સુરત )


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.