ETV Bharat / state

એર લિફ્ટ કરીને 10,000 રેમડેસીવીર ઇન્જેક્શન સુરત પહોંચાડાશે

author img

By

Published : Apr 10, 2021, 3:25 PM IST

સુરત : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ છે, દર્દીઓના પરિવારજનો રેમડેસીવીર ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે. ગત 4 દિવસથી ઇન્જેક્શન નહીં મળતા દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાની કિરણ હોસ્પિટલને શનિવાર સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડેસીવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે. આ રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સામાં આસામના ગુવાહાટીથી એર લિફ્ટ કરીને સુરત પહોંચાડવામાં આવશે.

રેમડેસીવીર ઇન્જેક્શન
રેમડેસીવીર ઇન્જેક્શન

  • 10,000 રેમડેસીવીર ઇન્જેક્શન સુરત પહોંચાડાશે
  • રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેક્ટરને 2500 રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા
  • સુરત માટે કુલ 12,500 રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવ્યા

સુરત : સમગ્ર જિલ્લામાં રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, શુક્રવારે 1100થી વધુ દર્દીઓ સુરત શહેર અને જિલ્લામાં નોંધાયા હતા અને એક દર્દીઓની હાલત ગંભીર છે. અતિ ગંભીર દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન ડૉક્ટર્સ દ્વારા લખવામાં આવી રહ્યા છે, પરંતુ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન નહીં મળતા લાંબી લાઈન જોવા મળી હતી. આવી પરિસ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - રાજ્ય સરકારે 3 લાખ રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદીનો ઓર્ડર આપ્યોઃ મુખ્યપ્રધાન રૂપાણી 1235માં રેમડેસીવીર ઇન્જેક્શન ઉલ્પબ્ધ કરાવીશું.

સુરત જિલ્લા કલેક્ટરને 2500 રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડાયા

શનિવારે 10,000 ઇન્જેક્શન એલિફન્ટ કરી સુરતમાં પહોંચાડવામાં આવશે. સાંજ સુધી આ ઇન્જેક્શન કિરણ હોસ્પિટલ ખાતે પહોંચી જશે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેક્ટરને 2500 રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. આમ કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ 12,500 રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવ્યા છે.

આ પણ વાંચો - સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાંબી કતારો લાગી

રૂપિયા 1235માં આ ઇન્જેક્શન ઉલ્પબ્ધ કરાવીશું - કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી

કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી મથુર સવાણીએ જણાવ્યું કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ અને હોમ આઇસોલેશનમાં દાખલ દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશનની ભારે જરૂરિયાત છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સુરતને 10,000 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. જે સુરતમાં સાંજ સુધી પહોંચી જશે. અન્ય હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જૂઓ આ ઇન્જેક્શનની જરૂરિયાત રહેશે, તો તેમને અમે આ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીશું. ડૉક્ટર દ્વારા લખવામાં આવેલા ઇન્જેક્શનના પ્રિસ્ક્રિપ્શન સહિત તમામ વિગતો લઈ અમે દર્દીના પરિજનોને રૂપિયા

ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે સુરતમાં સિવિલ હોસ્પિટલ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો ઇન્જેક્શન લેવા માટે બે કલાકથી પણ વધારે સમયથી લાઈનમાં ઉભા રહે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શનના ભાવ બમણા વસૂલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરકારે પૂરતા ઇન્જેક્શન ફાળવવા અને ઇન્જેક્શનના ભાવ નક્કી કરવા પણ લોકોએ અપીલ કરી હતી.

જાણો કોરોનાના દર્દીને અપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપયોગીતા

જાણીતા ડૉક્ટર યોગેશ ગુપ્તા સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. ડોક્ટર યોગેશ ગુપ્તા MD મેડિસિન અને કન્સલ્ટ ફિઝિશિયન છે. ડૉક્ટર યોગેશ ગુપ્તાએ રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને જાણકારી આપતા જણાવ્યું હતુ કે, રેમડેસીવીર ઇન્જેક્શનની પરવાનગી ભારત સરકાર દ્વારા કોરોનાની પહેલી લહેર વખતે ઇમરજન્સી ઉપયોગ માટે આપવામાં આવી હતી ત્યારે ફક્ત એક કંપની દ્વારા જ ઇન્જેક્શન બનાવવામાં આવતું હતું. હાલ માર્કેટમાં સાતથી આઠ કંપનીઓ દ્વારા ઇન્જેક્શનો બનાવવામાં આવે છે. જેના ભાવ કંપની પ્રમાણે અલગ અલગ છે.

ભારત સરકાર સમક્ષ રજૂઆત મૂકવામાં આવી

ગિલયડ કંપની દ્વારા સરકાર સમક્ષ પ્રથમ દાવો કરવામાં આવ્યો હતો કે, રેમડેસીવીર હાલ અન્ય બીમારીઓની ઈલાજ માટે વાપરવામાં આવે છે. કોરોનાના દર્દીઓને પણ રેમડેસીવીર આપવામાં આવે તો તેની તબીયતમાં સુધારો થઇ શકે છે. આ બાબતે ભારત સરકાર સમક્ષ રજૂઆત મૂકવામાં આવી હતી. ત્યારબાદ રેમડેસીવીર ઇન્જેક્શન કોરોના દર્દીઓને આપવા માટેની પરવાનગી પણ આપવામાં આવી હતી. રેમડેસીવીર ઇન્જેક્શનની પરવાનગી આપતા સમયે સરકારે જણાવ્યું હતું કે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા જો દર્દીને રીફર કરવામાં આવે કે, આ દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે તો તેમની તબીયતમાં સુધારો થઇ શકે છે. તેવા સંજોગોમાં દર્દીને ઇન્જેકશન આપવું જોઈએ. આ દર્દીઓને ઇન્જેક્શન આપતા પહેલા તમામ રિપોર્ટ પણ કરાવવાના હોય છે. તે રિપોર્ટના આધારે ડૉક્ટર દ્વારા ઇન્જેક્શન આપવામાં આવે છે.

કોરોનાનું સંક્રમણ પ્રાથમિક સ્તરમાં હોય તેવા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવું ખતરા સમાન

જે દર્દીઓને બન્ને ફેફસામાં ન્યુમોનિયાનું સંક્રમણ ફેલાતું હોય, ICUમાં દાખલ કરવાની શક્યતા વધુ હોય, શ્વાસ લેવામાં વધારે પડતી તકલીફ પડતી હોય, તેવા દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઇન્જેકશન આપવાની સલાહ આપવામાં આવે છે. જે દર્દીઓને કોરોનાનું સંક્રમણ પ્રાથમિક સ્તરમાં હોય તેવા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવું ખતરા સમાન છે. આવા દર્દીઓને ઇન્જેકશન આપવાથી કિડની અને લિવર પણ મોટી અસર થાય છે. ઇન્જેક્શન આપતા પહેલા કિડનીના રિપોર્ટ પણ કરાવવા જરૂરી છે. ઇન્જેક્શન જો શરૂઆતના સાત દિવસમાં જ આપી દેવામાં આવે તો વાઇરસને ઓછો કરવાની જગ્યાએ વાઇરસને ફાયદો કરાવે છે અને કોરોનાનું સંક્રમણ વધારે થાય છે.

6થી 7 કંપનીઓ દ્વારા ઇન્જેક્શન બનાવવામાં આવે છે

હાલમાં 6થી 7 કંપનીઓ દ્વારા ઇન્જેક્શન બનાવવામાં આવી રહ્યું છે. જેમાં અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ-અલગ ભાવમાં ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કાળા બજારી પણ ઇન્જેક્શનમાં મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેને લઇને લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે, ડૉક્ટર દ્વારા જે ઇન્જેક્શન મંગાવવામાં આવ્યું હોય તે ઓથોરાઇઝ ડીલર પાસેથી જ ખરીદવું જોઈએ અને કાળા બજારી અટકાવવી જોઈએ.

  • 10,000 રેમડેસીવીર ઇન્જેક્શન સુરત પહોંચાડાશે
  • રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેક્ટરને 2500 રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા
  • સુરત માટે કુલ 12,500 રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવ્યા

સુરત : સમગ્ર જિલ્લામાં રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, શુક્રવારે 1100થી વધુ દર્દીઓ સુરત શહેર અને જિલ્લામાં નોંધાયા હતા અને એક દર્દીઓની હાલત ગંભીર છે. અતિ ગંભીર દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન ડૉક્ટર્સ દ્વારા લખવામાં આવી રહ્યા છે, પરંતુ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન નહીં મળતા લાંબી લાઈન જોવા મળી હતી. આવી પરિસ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - રાજ્ય સરકારે 3 લાખ રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદીનો ઓર્ડર આપ્યોઃ મુખ્યપ્રધાન રૂપાણી 1235માં રેમડેસીવીર ઇન્જેક્શન ઉલ્પબ્ધ કરાવીશું.

સુરત જિલ્લા કલેક્ટરને 2500 રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડાયા

શનિવારે 10,000 ઇન્જેક્શન એલિફન્ટ કરી સુરતમાં પહોંચાડવામાં આવશે. સાંજ સુધી આ ઇન્જેક્શન કિરણ હોસ્પિટલ ખાતે પહોંચી જશે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેક્ટરને 2500 રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. આમ કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ 12,500 રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવ્યા છે.

આ પણ વાંચો - સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાંબી કતારો લાગી

રૂપિયા 1235માં આ ઇન્જેક્શન ઉલ્પબ્ધ કરાવીશું - કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી

કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી મથુર સવાણીએ જણાવ્યું કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ અને હોમ આઇસોલેશનમાં દાખલ દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશનની ભારે જરૂરિયાત છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સુરતને 10,000 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. જે સુરતમાં સાંજ સુધી પહોંચી જશે. અન્ય હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જૂઓ આ ઇન્જેક્શનની જરૂરિયાત રહેશે, તો તેમને અમે આ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીશું. ડૉક્ટર દ્વારા લખવામાં આવેલા ઇન્જેક્શનના પ્રિસ્ક્રિપ્શન સહિત તમામ વિગતો લઈ અમે દર્દીના પરિજનોને રૂપિયા

ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે સુરતમાં સિવિલ હોસ્પિટલ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો ઇન્જેક્શન લેવા માટે બે કલાકથી પણ વધારે સમયથી લાઈનમાં ઉભા રહે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શનના ભાવ બમણા વસૂલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરકારે પૂરતા ઇન્જેક્શન ફાળવવા અને ઇન્જેક્શનના ભાવ નક્કી કરવા પણ લોકોએ અપીલ કરી હતી.

જાણો કોરોનાના દર્દીને અપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપયોગીતા

જાણીતા ડૉક્ટર યોગેશ ગુપ્તા સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. ડોક્ટર યોગેશ ગુપ્તા MD મેડિસિન અને કન્સલ્ટ ફિઝિશિયન છે. ડૉક્ટર યોગેશ ગુપ્તાએ રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને જાણકારી આપતા જણાવ્યું હતુ કે, રેમડેસીવીર ઇન્જેક્શનની પરવાનગી ભારત સરકાર દ્વારા કોરોનાની પહેલી લહેર વખતે ઇમરજન્સી ઉપયોગ માટે આપવામાં આવી હતી ત્યારે ફક્ત એક કંપની દ્વારા જ ઇન્જેક્શન બનાવવામાં આવતું હતું. હાલ માર્કેટમાં સાતથી આઠ કંપનીઓ દ્વારા ઇન્જેક્શનો બનાવવામાં આવે છે. જેના ભાવ કંપની પ્રમાણે અલગ અલગ છે.

ભારત સરકાર સમક્ષ રજૂઆત મૂકવામાં આવી

ગિલયડ કંપની દ્વારા સરકાર સમક્ષ પ્રથમ દાવો કરવામાં આવ્યો હતો કે, રેમડેસીવીર હાલ અન્ય બીમારીઓની ઈલાજ માટે વાપરવામાં આવે છે. કોરોનાના દર્દીઓને પણ રેમડેસીવીર આપવામાં આવે તો તેની તબીયતમાં સુધારો થઇ શકે છે. આ બાબતે ભારત સરકાર સમક્ષ રજૂઆત મૂકવામાં આવી હતી. ત્યારબાદ રેમડેસીવીર ઇન્જેક્શન કોરોના દર્દીઓને આપવા માટેની પરવાનગી પણ આપવામાં આવી હતી. રેમડેસીવીર ઇન્જેક્શનની પરવાનગી આપતા સમયે સરકારે જણાવ્યું હતું કે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા જો દર્દીને રીફર કરવામાં આવે કે, આ દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે તો તેમની તબીયતમાં સુધારો થઇ શકે છે. તેવા સંજોગોમાં દર્દીને ઇન્જેકશન આપવું જોઈએ. આ દર્દીઓને ઇન્જેક્શન આપતા પહેલા તમામ રિપોર્ટ પણ કરાવવાના હોય છે. તે રિપોર્ટના આધારે ડૉક્ટર દ્વારા ઇન્જેક્શન આપવામાં આવે છે.

કોરોનાનું સંક્રમણ પ્રાથમિક સ્તરમાં હોય તેવા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવું ખતરા સમાન

જે દર્દીઓને બન્ને ફેફસામાં ન્યુમોનિયાનું સંક્રમણ ફેલાતું હોય, ICUમાં દાખલ કરવાની શક્યતા વધુ હોય, શ્વાસ લેવામાં વધારે પડતી તકલીફ પડતી હોય, તેવા દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઇન્જેકશન આપવાની સલાહ આપવામાં આવે છે. જે દર્દીઓને કોરોનાનું સંક્રમણ પ્રાથમિક સ્તરમાં હોય તેવા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવું ખતરા સમાન છે. આવા દર્દીઓને ઇન્જેકશન આપવાથી કિડની અને લિવર પણ મોટી અસર થાય છે. ઇન્જેક્શન આપતા પહેલા કિડનીના રિપોર્ટ પણ કરાવવા જરૂરી છે. ઇન્જેક્શન જો શરૂઆતના સાત દિવસમાં જ આપી દેવામાં આવે તો વાઇરસને ઓછો કરવાની જગ્યાએ વાઇરસને ફાયદો કરાવે છે અને કોરોનાનું સંક્રમણ વધારે થાય છે.

6થી 7 કંપનીઓ દ્વારા ઇન્જેક્શન બનાવવામાં આવે છે

હાલમાં 6થી 7 કંપનીઓ દ્વારા ઇન્જેક્શન બનાવવામાં આવી રહ્યું છે. જેમાં અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ-અલગ ભાવમાં ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કાળા બજારી પણ ઇન્જેક્શનમાં મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેને લઇને લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે, ડૉક્ટર દ્વારા જે ઇન્જેક્શન મંગાવવામાં આવ્યું હોય તે ઓથોરાઇઝ ડીલર પાસેથી જ ખરીદવું જોઈએ અને કાળા બજારી અટકાવવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.