ETV Bharat / state

સાબરકાંઠાની ઘટનાઃ માત્ર દલિત હોવાના કારણે પોતાનો વરઘોડો કાઢવા પોલીસ સંરક્ષણ મેળવ્યુ ! - Prantij

સાબરકાંઠાઃ ગુજરાતમાં જાતિવાદના મૂળિયા એટલા ઊંડા જઇ રહ્યા છે કે માત્ર દલિત હોવાના કારણે પોલીસ જવાને પોતાના જ લગ્ન પોલીસ બંદોબસ્ત માંગીને કરવા પડયા. સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ તાલુકાના બોરિયા સીતવાડા ગામમાં દલિત યુવાનના લગ્ન હતા. વરરાજો દલિત હોવાથી વરઘોડો નહીં કાઢવા બોલાચાલી થઈ હતી. પરિસ્થિતી વધુ તંગ ન બને એ માટે તેનો વરઘોડો પોસીસ કાફલાની સુરક્ષા વચ્ચે નિકળ્યો હતો.

દલિત યુવાન
author img

By

Published : May 11, 2019, 1:57 PM IST

કહેવા માટે તો આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે. પણ જાતિવાદની જડ માનસિકતા માથી બહાર આવી રહ્યા નથી. તેના ઉદાહરણ વાઈબ્રન્ટ ગુજરાતમાંથી મળતા આવ્યા છે. આભડછટને ઉજાગર કરતી ઘટના સાબરકાંઠા જીલ્લામાં બની છે. પ્રાંતિજ તાલુકાના બોરિયા શીતવાડા ગામે દલિત સમાજ યુવાનના લગ્ન હતાં. લગ્નના ઉમંગ અને ઉત્સાહમાં ગામના કેટલા જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોએ વિઘ્ન ઉભો કર્યો. દલિત હોવાના કારણે ગામમાંથી વરઘોડો નહીં કાઢવા માટે દલિત સમાજ અને અને અન્ય સમાજના લોકોમાં ઉગ્ર બોલાચાલી બાદ ગામમાં તંગદીલીનું વાતાવરણ સર્જાયુ હતું. પરિસ્થિતી બગડે નહીં તે માટે પોલીસ ગામમાં ધસી આવી મામલો શાંત પાડયો હતો. પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી.

વરઘોડો

આ બેઠકમાં કોઈ ફળદાયી નિરાકરણ મળ્યુ ન હતું કારણ કે.આજે સવારે વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે અન્ય સમાજે વરયાત્રાને અટકાવવાના પ્રયાસો કર્યા હતાં. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. જિલ્લાની મોટાભાગની પોલીસ બોરિયા શીતવાડા ગામમાં ખડકી દેવામાં આવી હતી. જેથી આખુ ગામ પોલીસ છાવણીમાં ફેરવાય ગયુ હતુ. પોલીસ અને અન્ય અધિકારીઓનાં હસ્તક્ષેપ પછી પણ વરઘોડો તો પોલીસ બંદોબસ્ત વચ્ચે જ નિકળ્યો હતો. નવાઈની વાત એ છે કે, ગુજરાતના ગામડાઓમાં જાતિવાદી ઝેર એટલી હદે પ્રસરી રહ્યુ છે કે, એક પોલીસ જવાને માત્ર દલિત હોવાના કારણે પોતાના જ લગ્નમાં પોલીસ સુરક્ષા મેળવવી પડી હતી. જાન કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મળ્યો હોવા છતાં તેને માત્ર દલિત વિસ્તારમાંથી જ કાઢવામાં આવી હતી. બીજા વિસ્તારમાંથી તો ગામના અન્ય સમાજે વરઘોડાને પ્રવેશવા દીધો નહોતો. જે શરમજનક બાબત છે. હાલમાં તો આ ગામમાં શાંતિ છે પરંતુ ગમે ત્યારે અણબનાવ બને તેવી અંજપાભરી સ્થિતી ઉભી થઈ છે. સવાલ એ પણ ઉભો થયો છે કે, ગુજરાતમાં દલિતોએ લગ્ન કરવા માટે શું પોલીસ સંરક્ષણ મેળવવું પડશે !

કહેવા માટે તો આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે. પણ જાતિવાદની જડ માનસિકતા માથી બહાર આવી રહ્યા નથી. તેના ઉદાહરણ વાઈબ્રન્ટ ગુજરાતમાંથી મળતા આવ્યા છે. આભડછટને ઉજાગર કરતી ઘટના સાબરકાંઠા જીલ્લામાં બની છે. પ્રાંતિજ તાલુકાના બોરિયા શીતવાડા ગામે દલિત સમાજ યુવાનના લગ્ન હતાં. લગ્નના ઉમંગ અને ઉત્સાહમાં ગામના કેટલા જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોએ વિઘ્ન ઉભો કર્યો. દલિત હોવાના કારણે ગામમાંથી વરઘોડો નહીં કાઢવા માટે દલિત સમાજ અને અને અન્ય સમાજના લોકોમાં ઉગ્ર બોલાચાલી બાદ ગામમાં તંગદીલીનું વાતાવરણ સર્જાયુ હતું. પરિસ્થિતી બગડે નહીં તે માટે પોલીસ ગામમાં ધસી આવી મામલો શાંત પાડયો હતો. પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી.

વરઘોડો

આ બેઠકમાં કોઈ ફળદાયી નિરાકરણ મળ્યુ ન હતું કારણ કે.આજે સવારે વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે અન્ય સમાજે વરયાત્રાને અટકાવવાના પ્રયાસો કર્યા હતાં. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. જિલ્લાની મોટાભાગની પોલીસ બોરિયા શીતવાડા ગામમાં ખડકી દેવામાં આવી હતી. જેથી આખુ ગામ પોલીસ છાવણીમાં ફેરવાય ગયુ હતુ. પોલીસ અને અન્ય અધિકારીઓનાં હસ્તક્ષેપ પછી પણ વરઘોડો તો પોલીસ બંદોબસ્ત વચ્ચે જ નિકળ્યો હતો. નવાઈની વાત એ છે કે, ગુજરાતના ગામડાઓમાં જાતિવાદી ઝેર એટલી હદે પ્રસરી રહ્યુ છે કે, એક પોલીસ જવાને માત્ર દલિત હોવાના કારણે પોતાના જ લગ્નમાં પોલીસ સુરક્ષા મેળવવી પડી હતી. જાન કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મળ્યો હોવા છતાં તેને માત્ર દલિત વિસ્તારમાંથી જ કાઢવામાં આવી હતી. બીજા વિસ્તારમાંથી તો ગામના અન્ય સમાજે વરઘોડાને પ્રવેશવા દીધો નહોતો. જે શરમજનક બાબત છે. હાલમાં તો આ ગામમાં શાંતિ છે પરંતુ ગમે ત્યારે અણબનાવ બને તેવી અંજપાભરી સ્થિતી ઉભી થઈ છે. સવાલ એ પણ ઉભો થયો છે કે, ગુજરાતમાં દલિતોએ લગ્ન કરવા માટે શું પોલીસ સંરક્ષણ મેળવવું પડશે !

R_GJ_SBR_02_10 MAy_Dulha_Avbb_Hasmukh
Ftp_Foldar
2 Vziaul_2 Byte 

એંકર:
પ્રાંતિજ ના બોરિયા સીતવાડા  ગામેં દલિત સમાજ ના લગ્ન પ્રસંગે અગાઉ વરઘોડા ના યોજવા ના મુદ્દે બોલાચાલી થઇ હતી બાદ આજે વરઘોડા દરમિયાન  દલિત સમાજે પોલીસ પ્રોટેક્શન માગ્યું હતુ પોલીસ ત્યાં પહોંચી હતી આને શાંતિ પૂર્ણ માહોલ માં સમગ્ર પ્રસંગ પૂર્ણ થયો હતો

વીઓ:01

સાબરકાંઠા ના બોરિયા શીતવાડા ગમે દલિત સમાજ માં લગ્ન નો પ્રસંગ હતો જેમાં ગામના બીજા સમાજે અગાઉ વિરોધ દર્શવયો હતો બાદ માં પ્રાંતિજ પોલીસ ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી બાદ માં આજે જયારે સવારે વરઘોડા ના સમયે અન્ય સમાજે દ્વારા અટકાવવા ના પ્રયાસો થયા હતા ત્યાર બાદ પોલીસ ને જાણ કરાઈ હતી બાદ જિલ્લાની મોટાભાગ ની પોલીસ ઘટના સંથારે પહોંચી પ્રોટેક્શન પૂરું પડ્યો હતું અને પ્રોટેક્શન સાથે વરઘોડો યોજાયો હતો ત્યારે જે નું લગ્ન હતું એ પણ પોલીસ ખાતા માં ફરજ બજાવે છે ત્યારે કાયદાનું રક્ષણ કનાર પોલીસ જવાને આજે અશ્પ્રુષ્યતા નો સામનો કરવો પડ્યો  હતો પરંતુ  વાત જાણે એમ  છે કે પોલીસ જવાન નું લગ્ન એ પણ પોલીસ પ્રોટેક્શન સાથે હોવા છતાં છતાં પુરા ગામ માં ફેરવાવમાં નહોતો આવ્યો માત્ર એક શેરીમાં માં વરઘોડો યોહાજયો હતો એ પણ દલિત સમાજ ની જ શેરી માં વરઘોડો યોજાયો હતો વરઘોડા બાદ જાણ પ્રસ્થાન થઇ હતી અને પોલીસ પણ ત્યાંથી વિખેરાઈ ગઈ હતી માત્ર કહેવા પૂરતી પોલીસ હાલ ત્યાં રાખવામાં આવી છે ત્યારે જાણ જયારે પરત આવ્યા બાદ પણ કોઈ બનાવ બને તો નવાઈ નહિ.

બાઈટ:ચૈતન્ય મંડલીક ,જિલ્લા પોલીસ વડા ,સાબરકાંઠા  
બાઈટ _લક્ષ્મણ ભાઈ રાઠોડ_પીડિત ના પરિવારજન 

એક તરફ પોલીસ કાયદાનું પાલન કરાવતી હોય છે ત્યારે બીજી તરફ પોલીસ જવાને જ અશ્પ્રુષ્યતા નો સામનો કરવો પડ્યો ત્યારે અત્યારે હાલ તો ગામ માં શાંતિ પૂર્ણ માહોલ છે પરંતુ હવે જાણ ગામ માં પરત ફરે ત્યારે ગામ માં કોઈ અણબનાવ બને છે કે કેમ એતો હવે જોવું રહ્યું 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.