ETV Bharat / state

સાબરકાંઠાના 15 વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સમાં ફસાયા, વતન પરત આવવા સરકારને કરી રજૂઆત

author img

By

Published : Mar 20, 2020, 7:52 PM IST

સમગ્ર ભારતમાં કોરોના વાઇરસનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ફિલિપાઈન્સમાં MBBSનો અભ્યાસ કરનારા સાબરકાંઠાના 15 વિદ્યાર્થીઓના પરિવારજનોએ સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના સંતાનોને પરત લાવવા રજૂઆત કરી છે. તેમજ ફિલિપાઇન્સના વિદ્યાર્થીઓએ પણ વીડિયો મારફતે સ્વદેશ આવવા રજૂઆત કરી છે.

sabrkatha
સાબરકાંઠાના 15 વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સમાં ફસાયા વતન આવવા સરકારને કરી રજૂઆત

સાબરકાંઠાઃ ફિલિપાઇન્સના મનિલા નજીક આવેલા લાસપીલાસ શહેરમાં સાબરકાંઠાના 15 વિદ્યાર્થીઓ સ્વદેશ પરત આવવા માટે છેલ્લા કેટલાક સમયથી રાહ જોઈને બેઠા છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા ફિલિપાઇન્સના પ્લેનને ભારતમાં ઉતરાણની મંજૂરી નહીં અપાતા તમામ વિદ્યાર્થીઓને ટિકિટ કેન્સલ કરવી પડી છે. સાથો-સાથ વિદ્યાર્થીઓની હાલના તબક્કે ભોજનની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે. હાલમાં ફિલિપાઇન્સમાં ભોજનના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય વસ્તુઓના ભાવ 4થી 5 ગણા થઈ ગયા છે.

સાબરકાંઠાના 15 વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સમાં ફસાયા
એક તરફ ફિલિપાઈન્સમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના પગલે ઘરની બહાર પગ મૂકવો જોખમ બરાબર છે. બીજી તરફ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખૂટી પડવાના પગલે વિદ્યાર્થીઓને ના છૂટકે બહાર જવાની પરિસ્થિતિ પેદા થઇ છે.

જેના પગલે હવે વિદ્યાર્થીઓ કોઈ પણ ભોગે વતન આવવા ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને રજૂઆત કરી છે. જો કે, ભારત સરકાર વતી ફિલિપાઇન્સ એમ્બેસીના અધિકારીઓ આગામી સમયમાં આ મુદ્દે પગલાં ભરે તે જરૂરી છે. હાલના તબક્કે પરિવારજનો પોતાના સંતાનોની ચિંતા કરતા નજરે પડે છે. તો બીજી તરફ સંતાનોને હવે સ્વદેશ આવું છે પરંતુ આવવા માટેની કોઇ વ્યવસ્થા ન થવાના પગલે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સામે વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ છે.

સાબરકાંઠાઃ ફિલિપાઇન્સના મનિલા નજીક આવેલા લાસપીલાસ શહેરમાં સાબરકાંઠાના 15 વિદ્યાર્થીઓ સ્વદેશ પરત આવવા માટે છેલ્લા કેટલાક સમયથી રાહ જોઈને બેઠા છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા ફિલિપાઇન્સના પ્લેનને ભારતમાં ઉતરાણની મંજૂરી નહીં અપાતા તમામ વિદ્યાર્થીઓને ટિકિટ કેન્સલ કરવી પડી છે. સાથો-સાથ વિદ્યાર્થીઓની હાલના તબક્કે ભોજનની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે. હાલમાં ફિલિપાઇન્સમાં ભોજનના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય વસ્તુઓના ભાવ 4થી 5 ગણા થઈ ગયા છે.

સાબરકાંઠાના 15 વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સમાં ફસાયા
એક તરફ ફિલિપાઈન્સમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના પગલે ઘરની બહાર પગ મૂકવો જોખમ બરાબર છે. બીજી તરફ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખૂટી પડવાના પગલે વિદ્યાર્થીઓને ના છૂટકે બહાર જવાની પરિસ્થિતિ પેદા થઇ છે.

જેના પગલે હવે વિદ્યાર્થીઓ કોઈ પણ ભોગે વતન આવવા ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને રજૂઆત કરી છે. જો કે, ભારત સરકાર વતી ફિલિપાઇન્સ એમ્બેસીના અધિકારીઓ આગામી સમયમાં આ મુદ્દે પગલાં ભરે તે જરૂરી છે. હાલના તબક્કે પરિવારજનો પોતાના સંતાનોની ચિંતા કરતા નજરે પડે છે. તો બીજી તરફ સંતાનોને હવે સ્વદેશ આવું છે પરંતુ આવવા માટેની કોઇ વ્યવસ્થા ન થવાના પગલે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સામે વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.