ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લામાં 132 કોરોનાથી સંક્રમિત, 111 થયા સ્વસ્થ - Corona virus update

સાબરકાંઠા જિલ્લામાં 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમિત કેસની કુલ સંખ્યા 130 ને પાર થઈ છે. ઉપરાંત જિલ્લામાં વધુ ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થતા કુલ 111 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

સાબરકાંઠા જિલ્લામાં 132 કોરોનાથી સંક્રમિત તો 111 થયા સ્વસ્થ
સાબરકાંઠા જિલ્લામાં 132 કોરોનાથી સંક્રમિત તો 111 થયા સ્વસ્થ
author img

By

Published : Jun 26, 2020, 7:25 PM IST

સાબરકાંઠા: આરોગ્ય વિભાગના જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવાના અથાગ પ્રયત્નોને પરિણામે અત્યાર સુધીમાં બે મહિનાની બાળકીથી લઈને 80 વર્ષિય વૃધ્ધાને તબીબી ટીમ દ્વારા સારવાર આપી કોરોના મુક્ત કરવામાં આવ્યા છે.

શુક્રવારે વધુ ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપી હતી જેમાં હિંમતનગરના હરસિધ્ધ સોસાયટીના રહિશ 57 વર્ષિય અરવિંદભાઇ ભટ્ટ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદથી, પૃથ્વીનગર સોસાયટી મોતીપુરાના 57 વર્ષિય પુરૂષ લાલજીભાઇ ડાભી અસ્કા હોસ્પિટલ ગાંધીનગરથી , કંપા ખેડબ્રહ્માના 54 વર્ષિય મોહનભાઇ પટેલે મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર ખાતેથી કોરોનાને માત આપતા તેમને ઘરે જવા રજા અપાઇ હતી.

આ ઉપરાંત શુક્રવારે આવેલા રીપોર્ટમાં પ્રાંતિજ તાલુકાના વ્હોરવાડ વિસ્તારના 56 વર્ષિય પુરૂષ, હિંમતનગરના ગોકુલનગર વિસ્તારના 56 વર્ષિય પુરૂષ અને પોલો ગ્રાઉન્ડ વિસ્તારના 45 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આમ સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કુલ 132 કેસ નોંધાયા છે. જેમાંથી 111 દર્દી કોરોના મુક્ત થયા છે. જયારે 6 કોરોના દર્દીઓના મૃત્યુ થયા હતા. હાલમાં 15 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

સાબરકાંઠા: આરોગ્ય વિભાગના જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવાના અથાગ પ્રયત્નોને પરિણામે અત્યાર સુધીમાં બે મહિનાની બાળકીથી લઈને 80 વર્ષિય વૃધ્ધાને તબીબી ટીમ દ્વારા સારવાર આપી કોરોના મુક્ત કરવામાં આવ્યા છે.

શુક્રવારે વધુ ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપી હતી જેમાં હિંમતનગરના હરસિધ્ધ સોસાયટીના રહિશ 57 વર્ષિય અરવિંદભાઇ ભટ્ટ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદથી, પૃથ્વીનગર સોસાયટી મોતીપુરાના 57 વર્ષિય પુરૂષ લાલજીભાઇ ડાભી અસ્કા હોસ્પિટલ ગાંધીનગરથી , કંપા ખેડબ્રહ્માના 54 વર્ષિય મોહનભાઇ પટેલે મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર ખાતેથી કોરોનાને માત આપતા તેમને ઘરે જવા રજા અપાઇ હતી.

આ ઉપરાંત શુક્રવારે આવેલા રીપોર્ટમાં પ્રાંતિજ તાલુકાના વ્હોરવાડ વિસ્તારના 56 વર્ષિય પુરૂષ, હિંમતનગરના ગોકુલનગર વિસ્તારના 56 વર્ષિય પુરૂષ અને પોલો ગ્રાઉન્ડ વિસ્તારના 45 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આમ સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કુલ 132 કેસ નોંધાયા છે. જેમાંથી 111 દર્દી કોરોના મુક્ત થયા છે. જયારે 6 કોરોના દર્દીઓના મૃત્યુ થયા હતા. હાલમાં 15 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.