ETV Bharat / state

સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા પાણીની અછત

author img

By

Published : Jul 8, 2021, 11:54 AM IST

સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કરી હતી. હાલ વરસાદ ખેચાતા ખેડૂતો(Farmers)ને હાલાકી પડી રહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જુદા-જુદા જિલ્લાનાં ડેમો હાલ ખાલી થવાના આરે પહોંચી ગયા છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા પાણીની અછત
સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા પાણીની અછત
  • સમગ્ર સૌરાષ્ટ્ર વરસાદ ખેંચતા પાણીની અછત
  • સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ
  • આથી હવે સિંચાઇ તંત્ર પણ મુંઝવણમાં

રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ ઘેરાયું વરસાદ ખેંચાશે તો આવતા દિવસોમાં રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુદા-જુદા જિલ્લાનાં ડેમો પણ હાલ ખાલી થવાના આરે પહોંચી ગયા છે. ત્યારે હવે સિંચાઇ તંત્ર પણ મુંઝવણમાં મુકાઇ ગયું છે કે, ખેડૂતોને સિંચાઇનું પાણી કેવી રીતે આપવું શહેરીજનોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હાલ સેવાઇ રહી છે. શહેરમાં અનેક વિસ્તારોને પાણી પુરૂ પાડતો આજી ડેમમાં માત્ર 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. તો સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ આજ સ્થિતિ જોવા મળી રહી છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા પાણીની અછત

હાલ આજી ડેમમાં 15.5 ફૂટ પાણીનો જથ્થો

રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનાં મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ડેમોની સ્થિતિ પણ હાલ દયાજનક દેખાઇ રહી છે. રાજકોટ જિલ્લાનાં ડેમોમાં આજની સ્થિતિમાં માંડ 20 ટકા જેટલું જ પાણી બચ્યુ છે. આ ઉપરાંત મોરબી જિલ્લાની સ્થિતિ પણ સારી નથી મોરબીનાં 10 ડેમોમાં હાલ માત્ર 26.35 ટકા જ પાણી બચ્યું છે. જેમાં મચ્છુ-1માં 15.03 ટકા, મચ્છુ-2માં 26.15, ડેમી-1માં 14.9, ડેમી-2માં 22.46, ઘોડાધ્રોઇમાં 62.69 ટકા, બંગાવડી સંપૂર્ણ ખાલી, બ્રાહ્મણીમાં 33.40 ટકા, બ્રાહ્મણી-2માં 56.39 ટકા, મચ્છુ-3માં 92.29 ટકા અને ડેમી-3માં 4.69 ટકા જળનો જથ્થો બચ્યો છે.

આ પણ વાંચોઃ ઉનાળાની શરૂઆત થતા જ જેશોરના જંગલોમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ

વરસાદ લંબાતા ખેડૂતોને નુકશાની

રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે. ગત જૂન માસ દરમિયાન ઠેર-ઠેર થોડો વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કરી છે. બાદમાં વરસાદ લંબાયો છે અને ખેડૂતોને પાકમા મોટી નુકશાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ જામનગર જિલ્લાના 21 ડેમોમાં પણ હાલની સ્થિતિએ માત્ર 10.49 ટકા જ પાણી વધ્યુ છે. જોકે બીજી તરફ રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુદા-જુદા જિલ્લાનાં ડેમો પણ હાલ ખાલી થવાના આરે પહોંચી ગયા છે. આથી હવે સિંચાઇ તંત્ર પણ મુંઝવણમાં મુકાઇ ગયું છે.

જામનગરમાં પણ 21 ડેમોમાં હાલની સ્થિતિએ માત્ર 10.49 ટકા જ પાણી

જામનગરનાં સસોઇમાં 13.55 ટકા પન્નામાં 20.22, ફુલઝર-1માં 43.22, સપડામાં 30.94, ફુલઝર-2માં 2.79 ટકા, વિજરખીમાં 37.88 ટકા પાણીનો સંગ્રહ છે. આ ઉપરાંત ડાઇ મીણસરમાં 22.54, ફોફળ-2માં 6.40, ઉંડ-3માં 18.98, આજી-4માં 10.19, રંગમતીમાં પ.પ, ઉંડ-1માં 14.79, કંકાવટીમાં 3.57, ઉંડ-2માં 0.01, વાડી સંગમાં 28.80, ફુલઝર (કોબા)માં 8.48, રૂપાવટી સંપૂર્ણ ખાલી, રૂપારેલમાં 14 અને સસોઇ-2માં 11.89 ટકા પાણી સંગ્રહ છે.

આ પણ વાંચોઃ સુરતના ઉધના ઝોનમાં પાણીની અછતથી લોકો ત્રાહિમામ, હવે પાણી નહિ તો મત નહિ

દ્વારકામાં ડેમોની સ્થિતિ દયનિય

દ્વારકાની વાત કારીએ તો દ્વારકા જિલ્લાનાં એક ડઝન ડેમોની સ્થિતિ તો અત્યંત દયજનક છે. દ્વારકાનાં 12 ડેમોમાં આજની સ્થિતિએ માત્ર 2.21 ટકા જ પાણી સંગ્રહ છે. જેમાં સાની ખાલી, ધીમાં 14.07, વર્તુ-1માં 1.68, ગઢકીમાં 0.05, વર્તુ-2માં 4.08 ટકા, સોનમતીમાં 0.01, શેઢાભાડથરીમાં 0.02 ટકા, વેરાડી-1માં 1.40 ટકા, સિંધણી સંપૂર્ણ ખાલી, કાબરકામાં 11.08 ટકા, વેરાડી-2માં 0.12 ટકા અને મીણસાર(વાનાવડ)માં 2.35 ટકા, જળ બચ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં 11 ડેમોમાં આજની સ્થિતિએ 18.46 ટકા પાણીનો સંગ્રહ

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમોમાં આજની સ્થિતિએ 18.46 ટકા પાણીનો સંગ્રહ છે. જેમાં વઢવાણ ભોગાવો-1માં 19.34, વઢવાણ ભોગાવો-2માં 78.86 ટકા, લિંબડી ભોગાવો-1માં 8.79 ટકા, ફલકુમાં 8.48 ટકા, વાંસલમાં 27.42 ટકા અને મોરસલ તથા સબુરી સંપૂર્ણ ખાલી, ત્રિવેણી ડાંગામાં 15.14 ટકા, લીંબડી ભોગાવો-2(વડોદ)માં 16.92 ટકા નિંભણી સંપૂર્ણ ખાલી અને ધારીમાં 4.79 ટકા પાણી બચ્યું છે. આ ઉપરાંત પોરબંદરનાં સોરઠીમાં 2.20 ટકા અને અમરેલીનાં સાંકરોલીમાં 0.32 ટકા જળ જથ્થો સંગ્રહ છે, ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂત અને શહેરી જનોને હાંલાકીનો શામનો કરવો પડશે.

  • સમગ્ર સૌરાષ્ટ્ર વરસાદ ખેંચતા પાણીની અછત
  • સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ
  • આથી હવે સિંચાઇ તંત્ર પણ મુંઝવણમાં

રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ ઘેરાયું વરસાદ ખેંચાશે તો આવતા દિવસોમાં રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુદા-જુદા જિલ્લાનાં ડેમો પણ હાલ ખાલી થવાના આરે પહોંચી ગયા છે. ત્યારે હવે સિંચાઇ તંત્ર પણ મુંઝવણમાં મુકાઇ ગયું છે કે, ખેડૂતોને સિંચાઇનું પાણી કેવી રીતે આપવું શહેરીજનોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હાલ સેવાઇ રહી છે. શહેરમાં અનેક વિસ્તારોને પાણી પુરૂ પાડતો આજી ડેમમાં માત્ર 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. તો સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ આજ સ્થિતિ જોવા મળી રહી છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા પાણીની અછત

હાલ આજી ડેમમાં 15.5 ફૂટ પાણીનો જથ્થો

રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનાં મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ડેમોની સ્થિતિ પણ હાલ દયાજનક દેખાઇ રહી છે. રાજકોટ જિલ્લાનાં ડેમોમાં આજની સ્થિતિમાં માંડ 20 ટકા જેટલું જ પાણી બચ્યુ છે. આ ઉપરાંત મોરબી જિલ્લાની સ્થિતિ પણ સારી નથી મોરબીનાં 10 ડેમોમાં હાલ માત્ર 26.35 ટકા જ પાણી બચ્યું છે. જેમાં મચ્છુ-1માં 15.03 ટકા, મચ્છુ-2માં 26.15, ડેમી-1માં 14.9, ડેમી-2માં 22.46, ઘોડાધ્રોઇમાં 62.69 ટકા, બંગાવડી સંપૂર્ણ ખાલી, બ્રાહ્મણીમાં 33.40 ટકા, બ્રાહ્મણી-2માં 56.39 ટકા, મચ્છુ-3માં 92.29 ટકા અને ડેમી-3માં 4.69 ટકા જળનો જથ્થો બચ્યો છે.

આ પણ વાંચોઃ ઉનાળાની શરૂઆત થતા જ જેશોરના જંગલોમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ

વરસાદ લંબાતા ખેડૂતોને નુકશાની

રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે. ગત જૂન માસ દરમિયાન ઠેર-ઠેર થોડો વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કરી છે. બાદમાં વરસાદ લંબાયો છે અને ખેડૂતોને પાકમા મોટી નુકશાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ જામનગર જિલ્લાના 21 ડેમોમાં પણ હાલની સ્થિતિએ માત્ર 10.49 ટકા જ પાણી વધ્યુ છે. જોકે બીજી તરફ રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુદા-જુદા જિલ્લાનાં ડેમો પણ હાલ ખાલી થવાના આરે પહોંચી ગયા છે. આથી હવે સિંચાઇ તંત્ર પણ મુંઝવણમાં મુકાઇ ગયું છે.

જામનગરમાં પણ 21 ડેમોમાં હાલની સ્થિતિએ માત્ર 10.49 ટકા જ પાણી

જામનગરનાં સસોઇમાં 13.55 ટકા પન્નામાં 20.22, ફુલઝર-1માં 43.22, સપડામાં 30.94, ફુલઝર-2માં 2.79 ટકા, વિજરખીમાં 37.88 ટકા પાણીનો સંગ્રહ છે. આ ઉપરાંત ડાઇ મીણસરમાં 22.54, ફોફળ-2માં 6.40, ઉંડ-3માં 18.98, આજી-4માં 10.19, રંગમતીમાં પ.પ, ઉંડ-1માં 14.79, કંકાવટીમાં 3.57, ઉંડ-2માં 0.01, વાડી સંગમાં 28.80, ફુલઝર (કોબા)માં 8.48, રૂપાવટી સંપૂર્ણ ખાલી, રૂપારેલમાં 14 અને સસોઇ-2માં 11.89 ટકા પાણી સંગ્રહ છે.

આ પણ વાંચોઃ સુરતના ઉધના ઝોનમાં પાણીની અછતથી લોકો ત્રાહિમામ, હવે પાણી નહિ તો મત નહિ

દ્વારકામાં ડેમોની સ્થિતિ દયનિય

દ્વારકાની વાત કારીએ તો દ્વારકા જિલ્લાનાં એક ડઝન ડેમોની સ્થિતિ તો અત્યંત દયજનક છે. દ્વારકાનાં 12 ડેમોમાં આજની સ્થિતિએ માત્ર 2.21 ટકા જ પાણી સંગ્રહ છે. જેમાં સાની ખાલી, ધીમાં 14.07, વર્તુ-1માં 1.68, ગઢકીમાં 0.05, વર્તુ-2માં 4.08 ટકા, સોનમતીમાં 0.01, શેઢાભાડથરીમાં 0.02 ટકા, વેરાડી-1માં 1.40 ટકા, સિંધણી સંપૂર્ણ ખાલી, કાબરકામાં 11.08 ટકા, વેરાડી-2માં 0.12 ટકા અને મીણસાર(વાનાવડ)માં 2.35 ટકા, જળ બચ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં 11 ડેમોમાં આજની સ્થિતિએ 18.46 ટકા પાણીનો સંગ્રહ

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમોમાં આજની સ્થિતિએ 18.46 ટકા પાણીનો સંગ્રહ છે. જેમાં વઢવાણ ભોગાવો-1માં 19.34, વઢવાણ ભોગાવો-2માં 78.86 ટકા, લિંબડી ભોગાવો-1માં 8.79 ટકા, ફલકુમાં 8.48 ટકા, વાંસલમાં 27.42 ટકા અને મોરસલ તથા સબુરી સંપૂર્ણ ખાલી, ત્રિવેણી ડાંગામાં 15.14 ટકા, લીંબડી ભોગાવો-2(વડોદ)માં 16.92 ટકા નિંભણી સંપૂર્ણ ખાલી અને ધારીમાં 4.79 ટકા પાણી બચ્યું છે. આ ઉપરાંત પોરબંદરનાં સોરઠીમાં 2.20 ટકા અને અમરેલીનાં સાંકરોલીમાં 0.32 ટકા જળ જથ્થો સંગ્રહ છે, ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂત અને શહેરી જનોને હાંલાકીનો શામનો કરવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.