રાજકોટઃ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાછરા ગામના સરપંચને મંદિરમાં જવાની મનાઈ કરવા જેવી બાબતે બાબતે ઝઘડો થતા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
ગોંડલ તાલુકાના વાછરા ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ મહેશભાઈ ચનાભાઈ ખુંટને કમલેશ કાનાભાઈ ગમારા તેમજ પ્રફુલભાઈ સોલંકીએ મંદિરમાં આવવાનીના પાડી તે બાબતે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ એટ્રોસીટીની ખોટી ફરિયાદ કરી દઈશુ તેવું જણાવી ધમકાવ્યા હતા. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત બંને શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ 506 (2) તેમજ 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.