રાજકોટ: વિધિવત રીતે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું અનેરૂ મહત્વ છે અને આખો માસ શિવજીની પૂજા કરવામાં આવે છે. રાજકોટમાં અંદાજિત 500 વર્ષ કરતા પણ જુના રામનાથ મહાદેવ મંદિર ખાતે શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો શિવજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
![મંદિરોમાં ભક્તોની ભાડે ભીડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-08-2023/gj-rjt-14-ramnath-mahadev-pkg-7211518_17082023174242_1708f_1692274362_159.jpg)
" આજથી 100વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો અને લોકોના એકાએક મોત થવા લાગ્યા હતા. જ્યારે તે સમયમાં એક માજી દ્વારા રામનાથ મહાદેવને સોના ચાંદીની મૂર્તિ ધરવામાં આવી હતી. આ મૂર્તિ જામનગરના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ સમયે રાજકોટમાં લાખાજીરાજ રાજાનું શાસન હતું. જ્યારે રાજકોટમાં પ્લેગના રોગના કારણે લોકોના મોત વધી રહ્યા હતા. જેના કારણે લાખાજીરાજ રાજા દ્વારા બ્રાહ્મણો પાસે સલાહ લેવામાં આવી હતી જેમાં બ્રાહ્મણોએ એવું સૂચન કર્યું હતું કે રામનાથ મહાદેવની પાલખી યાત્રા સમગ્ર રાજકોટમાં ફેરવવામાં આવે તો આ પ્લેગનો રોગ સંપૂર્ણ નાશ પામશે." - શાંતિગિરિ ગોસ્વામી, મહંત, રામનાથ મહાદેવ
રામનાથ મહાદેવ મંદિર ખાતે આ વર્ષે 100મી પાલખી યાત્રા નીકળશે