રાજકોટ: રાજ્યમાં કોરોના કહેર યથાવત છે. રાજ્યમાં કોરોના કારણે હજારો લોકોના મોત થયા છે.રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જસદણ એસટી બસ ડેપોમાં 25 જેટલા કર્મચારીઓના કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

રાજકોટના જસદણ S.T ડેપોમાં 25 જેટલા કર્મચારીઓના કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જસદણ ડેપો મેનેજર ભાવના ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે.