ETV Bharat / state

Ram Navmi 2023:  રામનવમીએ રાજકોટના રામવનમાં આ લોકોને નિઃશુકલ એન્ટ્રી, રામાયણના પ્રસંગોનું થશે સ્મરણ

author img

By

Published : Mar 30, 2023, 10:39 AM IST

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામવન ધ અર્બન ફોરેસ્ટમાં 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનોને નિઃશુકલ પ્રવેશ આપવામાં આવશે. રામનવમી નિમિત્તે રાજકોટવાસી આનો લાભ લઈ શકે એ માટે આ એલાન કરવામાં આવ્યું છે. આજીડેમ વિસ્તાર ખાતે વિશાળ રામવન ઊભું કરાયું છે. જેમાં રામાયણના પાત્ર અને પ્રસંગ અંકિત કરાયા છે. 47 એકરમાં આ વન પથરાયેલું છે.

Ram Navmi 2023: રામવન ધ અર્બન ફોરેસ્ટ આજે ફ્રી એન્ટ્રી, રામાયણના પ્રસંગનું સ્મરણ થશે
Ram Navmi 2023: રામવન ધ અર્બન ફોરેસ્ટ આજે ફ્રી એન્ટ્રી, રામાયણના પ્રસંગનું સ્મરણ થશે

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનોમ નિમિત્તે 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનોને રામવન ધ અર્બન ફોરેસ્ટમાં મફત એન્ટ્રી માટે નિર્ણય કરાયો છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 13 કરોડ કરતા વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. રામના જીવન ચરિત્ર અને આદર્શોની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. 22 જેટલી શ્રીરામના જીવન ચરિત્રને સાંકળતી વિવિધ પ્રતિકૃતિઓ જોવા મળશે.

નિઃશુકલ એન્ટ્રી: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનવમીના દિવસે ખાસ 12 વર્ષથી નાની ઉંમરના અને સિનિયર સિટીઝનો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે આજે રામનવમી છે. ત્યારે રામવન ધ અર્બન ફોરેસ્ટમાં 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનોને નિઃશુકલ પ્રવેશ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના આજીડેમ વિસ્તાર ખાતે વિશાળ રામવન તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે રામવન તૈયાર કર્યા બાદ પ્રથમ વખત રામનવમી છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટવાસીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટ પુરવઠા વિભાગે આવડા મોટા ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો

47 એકરમાં રામવન: રાજકોટના આજીડેમ ખાતે 47 એકરમાં વિશાળ અર્બન ફોરેસ્ટમાં રામવન ઊભું કરવામાં આવ્યું છે. જે અંદાજીત 13 કરોડ કરતા વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ રામવનમાં ખાસ કરીને ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર અને આદર્શોની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે. આ સાથે જ વિશાળ રામ- લક્ષમણ અને હનુમાનજી સહિતની મૂર્તિઓ મૂકવામાં આવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે ભારતનું એકમાત્ર અર્બન ફોરેસ્ટ આ રામવન રાજકોટમાં નિર્માણ પામ્યું છે. જેને જે તે સમયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે અત્યાર સુધીમાં લાખો લોકોએ આ રામની મુલાકાત લીધી છે. આજ માટે રાજકોટ કોર્પોરેશન દ્વારા 12 વર્ષ કે તેથી નીચેના ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનો માટે ખાસ નિશુલ્ક પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો Rajkot News : વિરાણી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મૂઠી ઊંચો શાળા પ્રેમ, કોર્ટમાં લડીને શાળાની જમીન બચાવી

જાળવી રાખવાનો મુખ્ય હેતુ : આજીડેમ નજીક નિર્માણ પામેલા આ રામવનમાં મુખ્યત્વે ગેટ ઉપર ધનુષ મૂકવામાં આવ્યું છે. આ સાથે 22 જેટલી શ્રીરામના જીવન ચરિત્રને સાંકળતી વિવિધ પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે. જ્યારે આ રામવનમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું પણ રોપણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરોમાં પ્રદૂષણ સિમેન્ટ કોન્ક્રેટ જંગલો વધી રહ્યા છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેને રામાયણની થીમ ઉપર બનાવવામાં આવ્યું છે એટલે કે જે પણ સહેલાઈઓ આ રામની મુલાકાત લે છે તેમને ભગવાન રામની જીવન ચરિત્ર અંગેનો પણ ખ્યાલ આવી શકે છે. ત્યારે આ રામવન ભારતમાં એકમાત્ર અર્બન ફોરેસ્ટમાં તૈયાર થયું છે

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનોમ નિમિત્તે 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનોને રામવન ધ અર્બન ફોરેસ્ટમાં મફત એન્ટ્રી માટે નિર્ણય કરાયો છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 13 કરોડ કરતા વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. રામના જીવન ચરિત્ર અને આદર્શોની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. 22 જેટલી શ્રીરામના જીવન ચરિત્રને સાંકળતી વિવિધ પ્રતિકૃતિઓ જોવા મળશે.

નિઃશુકલ એન્ટ્રી: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનવમીના દિવસે ખાસ 12 વર્ષથી નાની ઉંમરના અને સિનિયર સિટીઝનો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે આજે રામનવમી છે. ત્યારે રામવન ધ અર્બન ફોરેસ્ટમાં 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનોને નિઃશુકલ પ્રવેશ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના આજીડેમ વિસ્તાર ખાતે વિશાળ રામવન તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે રામવન તૈયાર કર્યા બાદ પ્રથમ વખત રામનવમી છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટવાસીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટ પુરવઠા વિભાગે આવડા મોટા ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો

47 એકરમાં રામવન: રાજકોટના આજીડેમ ખાતે 47 એકરમાં વિશાળ અર્બન ફોરેસ્ટમાં રામવન ઊભું કરવામાં આવ્યું છે. જે અંદાજીત 13 કરોડ કરતા વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ રામવનમાં ખાસ કરીને ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર અને આદર્શોની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે. આ સાથે જ વિશાળ રામ- લક્ષમણ અને હનુમાનજી સહિતની મૂર્તિઓ મૂકવામાં આવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે ભારતનું એકમાત્ર અર્બન ફોરેસ્ટ આ રામવન રાજકોટમાં નિર્માણ પામ્યું છે. જેને જે તે સમયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે અત્યાર સુધીમાં લાખો લોકોએ આ રામની મુલાકાત લીધી છે. આજ માટે રાજકોટ કોર્પોરેશન દ્વારા 12 વર્ષ કે તેથી નીચેના ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનો માટે ખાસ નિશુલ્ક પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો Rajkot News : વિરાણી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મૂઠી ઊંચો શાળા પ્રેમ, કોર્ટમાં લડીને શાળાની જમીન બચાવી

જાળવી રાખવાનો મુખ્ય હેતુ : આજીડેમ નજીક નિર્માણ પામેલા આ રામવનમાં મુખ્યત્વે ગેટ ઉપર ધનુષ મૂકવામાં આવ્યું છે. આ સાથે 22 જેટલી શ્રીરામના જીવન ચરિત્રને સાંકળતી વિવિધ પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે. જ્યારે આ રામવનમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું પણ રોપણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરોમાં પ્રદૂષણ સિમેન્ટ કોન્ક્રેટ જંગલો વધી રહ્યા છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેને રામાયણની થીમ ઉપર બનાવવામાં આવ્યું છે એટલે કે જે પણ સહેલાઈઓ આ રામની મુલાકાત લે છે તેમને ભગવાન રામની જીવન ચરિત્ર અંગેનો પણ ખ્યાલ આવી શકે છે. ત્યારે આ રામવન ભારતમાં એકમાત્ર અર્બન ફોરેસ્ટમાં તૈયાર થયું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.