રાજકોટ ઉપલેટા શહેરમાં ગર્ભ સંસ્કાર કેન્દ્ર (Upleta Garbh Sanskar Kendra) ગર્ભવતી મહિલાઓ તેમ જ તેમના પરિવારને મદદરૂપ થઈ રહ્યું છે. ખાસ કરીને નાના બાળકોના ઉછેર અને તેમને જ્ઞાન, સંસ્કાર અને સારા વાતાવરણમાં રાખી કેવી રીતે ઉછેર (Information on raising children) કરવો તે અંગેની માહિતી આપવામાં આવે છે. ઉપરાંત આ કેન્દ્રમાં ગર્ભમાં રહેલા બાળકને ગર્ભની અંદર જ કયા પ્રકારના સંસ્કારો અને તેમનો ઉછેર કરવો તેની પણ માહિતી આપવામાં આવી (Garbh Sanskar Kendra helpful for pregnant women) રહી છે.
ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારને ફાયદો સાથે જ ગર્ભવતી મહિલાઓને આ કેન્દ્રમાં (Garbh Sanskar Kendra helpful for pregnant women) આવવાથી અનેકો પ્રકારના ફાયદાઓ પણ થયેલા છે જેથી આ કેન્દ્રમાં આવતી ગર્ભવતી મહિલાઓ તેમ જ નાના બાળકોની માતાઓ સહિતનાઓના પરિવારની અંદર પણ આ કેન્દ્રમાં આવવાથી ઘણા ફાયદાઓ અને ઘણી બાળકમાં અને પરિવારમાં પણ સમજૂતી જોવા મળી છે.
સરકાર કરતી હતી સંચાલકોની નિમણૂક ઉપલેટા શહેરમાં રહેતા નીતાબેન જયેશકુમાર માંડલિયા છેલ્લા ઘણા વર્ષોથી આ ગર્ભ સંસ્કાર કેન્દ્ર સાથે (Upleta Garbh Sanskar Kendra) સંકળાયેલાં છે. ભૂતકાળમાં સરકાર દ્વારા આ પ્રકારના કેન્દ્રો (Upleta Garbh Sanskar Kendra) ચલાવવા માટે યોજનાઓ અને તેમના સંચાલકોની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 2020થી સરકાર દ્વારા આ યોજના બંધ કરી અને આ કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મીઓને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા હતા.
ઉપલેટાના મહિલા થયાં હતાં પ્રેરિત તેવા સમયે ઉપલેટાના નિતાબેન માંડલિયા આ કામથી પોતે અંગત રીતે પ્રભાવિત થયાં હતાં, જેને લઈને સરકારે બંધ કરેલી કામગીરી ઉપલેટાની કિલ્લોલ શાળાના માધ્યમથી કોઈ લાભ લેવા માટે અને આ કેન્દ્રમાં (Upleta Garbh Sanskar Kendra) જોડાવા અને સામેલ થવા માગતા હોય તેમને વિનામૂલ્ય તમામ જ્ઞાન, તાલીમ સમજ અને સેવાઓ 2020 તેમને આશ્રય ગર્ભ સંસ્કાર કેન્દ્રના માધ્યમથી શરૂ કરી કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે.
અસંખ્ય મહિલા આવી ચૂકી છે આ કેન્દ્રની (Upleta Garbh Sanskar Kendra) અંદર તેઓ જેઓ જોડાયાં છે. ત્યારથી તેમની પાસે અસંખ્ય ગર્ભવતી મહિલાઓ આવી ચૂકી છે. તેમાં પતિપત્નીઓ, બાળક એટલે કે ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચારતા હોય તેવો તેમ જ નાના બાળકોની માતા અને તેમના પરિવારો સહિતના સૌ કોઈ લોકો આ કેન્દ્ર ખાતે આવે છે અને કેન્દ્રમાં ચાલતી કામગીરી અને આપવામાં આવતી જ્ઞાન તેમજ સમજને પોતાના જીવનમાં અને પોતાના પરિવાર, બાળકો સહિતના સૌ કોઈમાં ઉતારે છે અને સારું પરિણામ પણ મેળવે છે, જેમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે વધુ પ્રાધાન્ય આપી અને ગર્ભમાં રહેલા બાળક સંસ્કારી, સમજૂ અને હોશિયારની સાથે સાથે તંદુરસ્ત જન્મે તે માટેના પણ તમામ તાલીમ અને જ્ઞાન સહિતની માહિતીઓ પૂરી પાડવામાં આવી રહી છે.
કેન્દ્રનો હેતુ આ પ્રકારના ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચલાવવાના હેતુ બાબતે કેન્દ્ર (Upleta Garbh Sanskar Kendra) સંચાલક નીતાબેન માંડલીયાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયના બાળકો કે જેવો ખૂબ જિદ્દી હોય છે, ચીડિયા સ્વભાવના હોય છે અને સહનશીલતા વગરના હોય છે. ત્યારે આવા પ્રકારના બાળકો ઘણી વખત પોતાની જીદ અને ઓછી સહનશીલતાને કારણે ઘણી વખત કોઈ ખોટા પગલા ભરી લે છે, જેમાં આપઘાત, મારામારી, હત્યા જેવી ક્રાઈમની બાબતોમાં નાની ઉંમરે આવી જાય છે.
બાળક સુંદર, સમજૂ, સંસ્કારી જન્મે તેવા પ્રયાસ કરાય છે તેમણે ઉંમેર્યું હતું કે, આવા જ બાળકોને સંપૂર્ણ પારિવારિક અને ગર્ભની અંદર જ જ્યારે બાળક હોય ત્યારે સમજ અને તેમની માતાને જ્ઞાન આપી ગર્ભમાં રહેલા બાળકને ગર્ભમાં જ સંસ્કાર આપી ભવિષ્યમાં જ્યારે તેમનો જન્મ થાય ત્યારે સુંદર, સમજૂ અને સંસ્કારી બાળક જન્મે તેવા પ્રયત્ન કરવામાં આવે છે અને અહીંયા આવતી મહિલાઓમાં પરિણામો પણ (Upleta Garbh Sanskar Kendra)જોવા મળે છે.
આ પણ વાંચો ચા પીવા ગયેલા યુવકે અકસ્માતના કારણે ગુમાવ્યો જીવ, પરિવારે અંગદાન કરી 3 લોકોને આપ્યું નવજીવન
બાળકો સંસ્કારી સ્વભાવના આવે છે આ ગર્ભ સંસ્કાર કેન્દ્રની અંદર (Upleta Garbh Sanskar Kendra) આવતી ગર્ભવતી મહિલાઓ પાસેથી અલગઅલગ પ્રકારની કામગીરીઓ અને કારીગીરીઓ કરાવવામાં આવે છે. ત્યારે આ કામગીરી અને તેમની કળા જોવા તેમની માતા, સાસુ, પતિ સહિત સૌ કોઈ લોકો પણ મુલાકાત કરે છે. આ કેન્દ્રની અંદર કરવામાં આવતી પ્રવૃત્તિઓ પણ સુંદર રીતે માણે પણ છે અને નિહાળે છે અને ગર્ભમાં રહેલા બાળકનો ભવિષ્યની અંદર જ્યારે જન્મ થાય છે ત્યારે અહીંયા આપવામાં આવતી તાલીમ જ્ઞાન સંસ્કાર અને સમજને લઈને આ સંચાલિકા જણાવે છે કે, અમારા ગર્ભ કેન્દ્ર પર આવતી મહિલાઓમાં વધુ પડતા નોર્મલ ડિલિવરીના કેસ જોવા મળે છે અને બાળક પણ જ્ઞાની, સમજુ અને સંસ્કારી જોવા મળે છે અને જે વર્તમાન સમયની અંદર ચિડિયા, જિદ્દી સ્વભાવના બાળકો હોય છે. તેમના કરતાં ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આવેલી માતાના બાળકો ખૂબ સુંદર, સુશીલ અને સંસ્કારી સ્વભાવના જોવા મળે છે.
આ પણ વાંચો બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવનની ભેટ મળી
વિનામૂલ્યે સેવાઓ અપાય છે આ કેન્દ્ર પર આપવામાં (Upleta Garbh Sanskar Kendra) આવતી તાલીમ, સમજ અને જ્ઞાનને લઈને જન્મેલા બાળકોમાં પણ સારૂ પરિણામ જોવા મળે છે. ત્યારે અહીંયા વિનામૂલ્યે આપવામાં આવતી સેવાઓ અને સુવિધાઓ માટે આ કેન્દ્ર સંચાલિકા કે જેઓ હાલ આ આશ્રય ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચલાવે છે. આનાથી અનેક પરિવારો અને એમના બાળકો ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે. ત્યારે સરકાર આ પ્રકારની કામગીરી અને સેવાની નોંધ લઈને સહકાર આપે તેવી પણ બાબત જણાઈ આવે છે.