ETV Bharat / bharat

સંસદનું બજેટ સત્ર : લોકસભામાં વિપક્ષનો હંગામો, કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત - PARLIAMENT BUDGET SESSION 2025

File Photo
સંસદ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2025, 11:30 AM IST

Updated : Feb 6, 2025, 12:36 PM IST

આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-2026 પર સામાન્ય ચર્ચા શરૂ થવા જઈ રહી છે. ગત સંસદ સત્રમાં સપાના સાંસદ અખિલેશ યાદવે મહાકુંભની નાસભાગને લઈને કેન્દ્ર સરકારને સવાલો પૂછ્યા હતા. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકાર 3.0 નું પ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું, જે લોકસભામાં તેમનું સતત આઠમું બજેટ છે. બજેટ 'ગરીબો, યુવા, અન્નદાતા અને નારી' પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે છ મુખ્ય ક્ષેત્રો-કરવેરા, શહેરી વિકાસ, ખાણકામ, નાણાકીય ક્ષેત્ર, વિજળી અને નિયમનકારી નીતિઓમાં સુધારાની શરૂઆત કરવામાં આવી છે.

LIVE FEED

12:30 PM, 6 Feb 2025 (IST)

લોકસભા ગૃહ સતત બીજીવાર ખોરવાયું, કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

અમેરિકાથી 'ગેરકાયદેસર' ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના મુદ્દા પર લોકસભામાં વિરોધ પક્ષોના સભ્યોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહી પ્રથમ બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જોકે, કાર્યવાહી ફરી શરૂ થયા બાદ પણ વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર અને હોબાળો યથાવત રાખ્યો હતો. આથી થોડી જ મિનિટોમાં ગૃહની કાર્યવાહીને ફરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ સાથે જ અમેરિકાથી ભારતીય નાગરિકોના દેશનિકાલ અંગે ચર્ચા કરવા વિપક્ષી સભ્યોએ કરેલા સ્થગિત પ્રસ્તાવોને પણ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નામંજૂર કર્યા હતા.

12:10 PM, 6 Feb 2025 (IST)

અમેરિકાથી ભારતીય ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ મુદ્દે લોકસભામાં હોબાળો, કાર્યવાહી ખોરવાઈ

અમેરિકાથી 'ગેરકાયદેસર' ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવા મુદ્દે ગુરુવારે લોકસભામાં વિરોધ પક્ષોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે ગૃહ શરૂ થયાના માત્ર 10 મિનિટ બાદ જ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષી સભ્યોએ આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, 12 વાગ્યે વિપક્ષી સભ્યોની સ્થગિત નોટિસ પર વિચાર કરાશે. ઘણા વિપક્ષી સભ્યોએ આ વિષય પર ચર્ચાની માંગ સાથે સ્થગિત નોટિસ આપી હતી.

વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો હતો. જોકે, વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને અપીલ કરી કે સૂત્રોચ્ચાર બંધ કરે અને ગૃહને કામ કરવા દે. હોબાળો બંધ ન થતા સવારે 11.10 વાગ્યે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

ઓમ બિરલાએ કહ્યું કે, ગૃહમાં આયોજનબદ્ધ રીતે વિક્ષેપ ઉભો કરવો સંસદીય પરંપરાઓ અનુસાર નથી. સરકારે તમારા તમામ મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે, આ વિદેશ નીતિનો મામલો છે. તેમની પોતાની નીતિઓ છે. સરકાર આ બાબતે ગંભીર છે. તમને ગૃહને કામ કરવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવે છે. તમે લોકો દરરોજ પ્રશ્નકાળમાં વિક્ષેપ ઊભા કરીને ભારતીય મતદારોનું અપમાન કરી રહ્યા છો.

11:59 AM, 6 Feb 2025 (IST)

કોંગ્રેસના મણિકમ ટાગોરે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો

કોંગ્રેસના મણિકમ ટાગોરે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો, જેેમાં અમેરિકાથી ભારતીય નાગરિકોને દેશ નિકાલ કરવા મુદ્દે ચર્ચા કરવાની માંગ હતી. પોતાના પ્રસ્તાવમાં તેમણે લખ્યું કે, અમેરિકાએ ભારતીય નાગરિકોને અમાનવીય અને અપમાનજનક રીતે દેશનિકાલ કરવાનું શરૂ કર્યું છે. અહેવાલો જણાવે છે કે દેશનિકાલ કરાયેલ વ્યક્તિઓને સાંકળ બાંધવામાં આવે છે, હાથકડી પહેરવામાં આવે છે અને લશ્કરી વિમાનમાં લાવવામાં આવે છે, જે તેમની ગરિમાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તાજેતરમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે ઓળખાતા લગભગ 200 ભારતીય નાગરિકોના દેશનિકાલે સમગ્ર દેશને આંચકો આપ્યો છે.

કોંગ્રેસના મણિકમ ટાગોરે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો
કોંગ્રેસના મણિકમ ટાગોરે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો (ETV Bharat)

11:40 AM, 6 Feb 2025 (IST)

અમેરિકાથી ડિપોર્ટેડ ભારતીયો અંગે ચર્ચા કરવા કોંગ્રેસે સ્થગિત દરખાસ્ત રજૂ કરી

કોંગ્રેસે ગુરુવારે સ્થગિત દરખાસ્ત લાવવાની નોટિસ આપી હતી, જેમાં અમેરિકામાંથી ભારતીયોને દેશનિકાલ કરવાની 'અમાનવીય' પદ્ધતિ પર ચર્ચાની માંગ કરવામાં આવી. આ દરમિયાન સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ પર પ્રતિક્રિયા આપતા, વિપક્ષી નેતાઓએ મંગળવારે કહ્યું કે તે સામાન્ય લોકો સાથે સંબંધિત મુદ્દાઓને સંબોધિત કરતું નથી. કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ અમેરિકા દ્વારા 104 ભારતીયોને દેશનિકાલ કરવાના મુદ્દે ચર્ચા કરવા લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તમાં કહેવામાં આવ્યું કે આ ગૃહે આપણા લોકો સાથે વધુ અમાનવીય વર્તન અટકાવવા અને દેશ-વિદેશમાં દરેક ભારતીયની ગરિમા જાળવી રાખવા માટે આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.

આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-2026 પર સામાન્ય ચર્ચા શરૂ થવા જઈ રહી છે. ગત સંસદ સત્રમાં સપાના સાંસદ અખિલેશ યાદવે મહાકુંભની નાસભાગને લઈને કેન્દ્ર સરકારને સવાલો પૂછ્યા હતા. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકાર 3.0 નું પ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું, જે લોકસભામાં તેમનું સતત આઠમું બજેટ છે. બજેટ 'ગરીબો, યુવા, અન્નદાતા અને નારી' પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે છ મુખ્ય ક્ષેત્રો-કરવેરા, શહેરી વિકાસ, ખાણકામ, નાણાકીય ક્ષેત્ર, વિજળી અને નિયમનકારી નીતિઓમાં સુધારાની શરૂઆત કરવામાં આવી છે.

LIVE FEED

12:30 PM, 6 Feb 2025 (IST)

લોકસભા ગૃહ સતત બીજીવાર ખોરવાયું, કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

અમેરિકાથી 'ગેરકાયદેસર' ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના મુદ્દા પર લોકસભામાં વિરોધ પક્ષોના સભ્યોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહી પ્રથમ બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જોકે, કાર્યવાહી ફરી શરૂ થયા બાદ પણ વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર અને હોબાળો યથાવત રાખ્યો હતો. આથી થોડી જ મિનિટોમાં ગૃહની કાર્યવાહીને ફરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ સાથે જ અમેરિકાથી ભારતીય નાગરિકોના દેશનિકાલ અંગે ચર્ચા કરવા વિપક્ષી સભ્યોએ કરેલા સ્થગિત પ્રસ્તાવોને પણ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નામંજૂર કર્યા હતા.

12:10 PM, 6 Feb 2025 (IST)

અમેરિકાથી ભારતીય ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ મુદ્દે લોકસભામાં હોબાળો, કાર્યવાહી ખોરવાઈ

અમેરિકાથી 'ગેરકાયદેસર' ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવા મુદ્દે ગુરુવારે લોકસભામાં વિરોધ પક્ષોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે ગૃહ શરૂ થયાના માત્ર 10 મિનિટ બાદ જ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષી સભ્યોએ આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, 12 વાગ્યે વિપક્ષી સભ્યોની સ્થગિત નોટિસ પર વિચાર કરાશે. ઘણા વિપક્ષી સભ્યોએ આ વિષય પર ચર્ચાની માંગ સાથે સ્થગિત નોટિસ આપી હતી.

વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો હતો. જોકે, વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને અપીલ કરી કે સૂત્રોચ્ચાર બંધ કરે અને ગૃહને કામ કરવા દે. હોબાળો બંધ ન થતા સવારે 11.10 વાગ્યે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

ઓમ બિરલાએ કહ્યું કે, ગૃહમાં આયોજનબદ્ધ રીતે વિક્ષેપ ઉભો કરવો સંસદીય પરંપરાઓ અનુસાર નથી. સરકારે તમારા તમામ મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે, આ વિદેશ નીતિનો મામલો છે. તેમની પોતાની નીતિઓ છે. સરકાર આ બાબતે ગંભીર છે. તમને ગૃહને કામ કરવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવે છે. તમે લોકો દરરોજ પ્રશ્નકાળમાં વિક્ષેપ ઊભા કરીને ભારતીય મતદારોનું અપમાન કરી રહ્યા છો.

11:59 AM, 6 Feb 2025 (IST)

કોંગ્રેસના મણિકમ ટાગોરે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો

કોંગ્રેસના મણિકમ ટાગોરે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો, જેેમાં અમેરિકાથી ભારતીય નાગરિકોને દેશ નિકાલ કરવા મુદ્દે ચર્ચા કરવાની માંગ હતી. પોતાના પ્રસ્તાવમાં તેમણે લખ્યું કે, અમેરિકાએ ભારતીય નાગરિકોને અમાનવીય અને અપમાનજનક રીતે દેશનિકાલ કરવાનું શરૂ કર્યું છે. અહેવાલો જણાવે છે કે દેશનિકાલ કરાયેલ વ્યક્તિઓને સાંકળ બાંધવામાં આવે છે, હાથકડી પહેરવામાં આવે છે અને લશ્કરી વિમાનમાં લાવવામાં આવે છે, જે તેમની ગરિમાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તાજેતરમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે ઓળખાતા લગભગ 200 ભારતીય નાગરિકોના દેશનિકાલે સમગ્ર દેશને આંચકો આપ્યો છે.

કોંગ્રેસના મણિકમ ટાગોરે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો
કોંગ્રેસના મણિકમ ટાગોરે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો (ETV Bharat)

11:40 AM, 6 Feb 2025 (IST)

અમેરિકાથી ડિપોર્ટેડ ભારતીયો અંગે ચર્ચા કરવા કોંગ્રેસે સ્થગિત દરખાસ્ત રજૂ કરી

કોંગ્રેસે ગુરુવારે સ્થગિત દરખાસ્ત લાવવાની નોટિસ આપી હતી, જેમાં અમેરિકામાંથી ભારતીયોને દેશનિકાલ કરવાની 'અમાનવીય' પદ્ધતિ પર ચર્ચાની માંગ કરવામાં આવી. આ દરમિયાન સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ પર પ્રતિક્રિયા આપતા, વિપક્ષી નેતાઓએ મંગળવારે કહ્યું કે તે સામાન્ય લોકો સાથે સંબંધિત મુદ્દાઓને સંબોધિત કરતું નથી. કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ અમેરિકા દ્વારા 104 ભારતીયોને દેશનિકાલ કરવાના મુદ્દે ચર્ચા કરવા લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તમાં કહેવામાં આવ્યું કે આ ગૃહે આપણા લોકો સાથે વધુ અમાનવીય વર્તન અટકાવવા અને દેશ-વિદેશમાં દરેક ભારતીયની ગરિમા જાળવી રાખવા માટે આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.

Last Updated : Feb 6, 2025, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.