ETV Bharat / state

રાજકોટ: ચા-પાનની દુકાનો બંધ કરવા અંગે કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી

author img

By

Published : Jul 6, 2020, 6:27 PM IST

રાજકોટમાં કોરોના વાઇરસના સતત વધતા જતા કેસને કારણે ચા અને પાનની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સોમવારે બપોર કલેકટર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ચા-પાનની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે પરંતુ દુકાનોની બહાર ટોળાઓને એકઠા ન થવા દેવાની સૂચના આપવામાં આવી છે.

etv bharat
રાજકોટ: ચા-પાનની દુકાનો બંધ કરવા અંગે કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી

રાજકોટઃ ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા કોરોનાના કેસ કારણે સામવારે વહેલી સવારથી ચર્ચાનો વિષય બનેલા ચા અને પાનની દુકાનો બંધ રાખવામાં આવશે પરંતુ બપોર બાદ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આ મામલે સ્પષ્ટ કરવામાં આવી હતી. કે આ અંગેની એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે ચા અને પાનની દુકાન હાલ પૂરતી ચાલુ રાખવામાં આવશે તેમજ ચા અને પાનની દુકાનો બહાર જોવા મળતા ટોળાઓને એકઠા ન થવા જોઇએ.સાથેજ પાનની દુકાન પર સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્તપણે અમલ કરવાનો પણ જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા રાજકોટ જિલ્લાના ધોરાજી ગામની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં હાલ સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ એવી ચર્ચા ચાલી હતી કે રાજકોટ જિલ્લામાં ચા અને પાનની દુકાને એક અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે પરંતુ આ અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટતા કરવામાં આવી હતી.

રાજકોટઃ ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા કોરોનાના કેસ કારણે સામવારે વહેલી સવારથી ચર્ચાનો વિષય બનેલા ચા અને પાનની દુકાનો બંધ રાખવામાં આવશે પરંતુ બપોર બાદ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આ મામલે સ્પષ્ટ કરવામાં આવી હતી. કે આ અંગેની એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે ચા અને પાનની દુકાન હાલ પૂરતી ચાલુ રાખવામાં આવશે તેમજ ચા અને પાનની દુકાનો બહાર જોવા મળતા ટોળાઓને એકઠા ન થવા જોઇએ.સાથેજ પાનની દુકાન પર સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્તપણે અમલ કરવાનો પણ જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા રાજકોટ જિલ્લાના ધોરાજી ગામની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં હાલ સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ એવી ચર્ચા ચાલી હતી કે રાજકોટ જિલ્લામાં ચા અને પાનની દુકાને એક અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે પરંતુ આ અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટતા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.