ETV Bharat / state

રાજકોટમાં સેલ્સમેન યુવાનની 25 લાખ રૂપિયાની લેતી-દેતી મામલે કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

author img

By

Published : Jun 5, 2019, 5:56 AM IST

રાજકોટઃ ના સેલ્સમેન યુવાનની 25 લાખ રૂપિયાની લેતીદેતી મામલે તેના જ કારખાનાના માલિક સહિતના મળતીયાઓ દ્વારા હત્યા નિપજવામાં આવી હતી. જો કે મૃતક યુવાનના પરિજનો આ બાબતથી અજાણ હતા અને તેઓ પોતાના પુત્ર વ્રજેશ જોશી ઘર છોડીને ક્યાંક જતો રહ્યો છે તેવું માનતા હતા. પરંતુ અચાનક કારખાના માલિકનો બે વર્ષ બાદ વ્રજેશના પરીજનોને ફોન આવ્યો હતો કે, વ્રજેશ પાછો નહિ આવે અને તેનું પિતૃકાર્ય કરી નાખો ત્યારે પરિજનોને કારખાના મલિક પર શંકા જતા તેમના દ્વારા આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે સામે આવ્યું હતું કે વ્રજેશની 2 વર્ષ પહેલા જ હત્યા કરવામાં આવી હતી.

rajkot

રાજકોટના કુવાડવા રોડ પર પ્રવિણભાઇ પિતળિયાનું શિવમ ટેક્નોકાસ્ટ નામનું કારખાનું આવેલ છે. જ્યાં વ્રજેશ જોશી નામનો યુવાન સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. આ દરમિયાન વ્રજેશને રૂપિયા 25 લાખની ઉઘરાણીની રકમ બાબતે કારખાના માલિક અને તેના સાગરીતો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના કારણે વ્રજેશનું મોત નીપજ્યું હતું.

મોત બાદ કારખાનાના માલિક અને તેના મળતીયાઓ દ્વારા મૃતદેહને ચોટીલા પાસે આવેલ સિમ વિસ્તારમાં સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મૃતદેહ સળગાવતા સમયે કોઈ અજાણ્યા ઈસમો આવી જતા કારખાનેદાર અને તેના સાગરિતો મૃતદેહને જંગલમાં જ મૂકીને નાસી છૂટ્યા હતાં. બીજી તરફ ચોટીલા પંથકમાં મૃતદેહ મળી આવવા અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ સમગ્ર મામલે મૃતક યુવકના પરિજનોને યુવાન ઘર મૂકીને કયાંક જતો રહ્યો હોવાનું માનતા હતા, પરંતુ અચાનક બે વર્ષ બાદ મૃતકના પરિજનોને હવે વ્રજેશ નહિ આવે તેમજ તેનું પિતૃકાર્ય કરી નાખો અને વર્જેશના માતા પિતાને જે કાંઈ સહાયની જરૂર હોય તે અંગે અમને જણાવો આમ વાત કરતા પરિજનોને કારખાનેદાર પર શંકા ગઈ હતી અને આ મામલે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ મોત અંગે સઘન તપાસ કરાતા સામે આવ્યું હતું કે, તેના જ કારખાનાના માલિકે પોતાના સાગરીતો સાથે મળીને હત્યા નિપજાવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, હત્યા બાદ કારખાનેદારની આર્થિક પરિસ્થિતિ કથળી હતી

રાજકોટના કુવાડવા રોડ પર પ્રવિણભાઇ પિતળિયાનું શિવમ ટેક્નોકાસ્ટ નામનું કારખાનું આવેલ છે. જ્યાં વ્રજેશ જોશી નામનો યુવાન સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. આ દરમિયાન વ્રજેશને રૂપિયા 25 લાખની ઉઘરાણીની રકમ બાબતે કારખાના માલિક અને તેના સાગરીતો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના કારણે વ્રજેશનું મોત નીપજ્યું હતું.

મોત બાદ કારખાનાના માલિક અને તેના મળતીયાઓ દ્વારા મૃતદેહને ચોટીલા પાસે આવેલ સિમ વિસ્તારમાં સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મૃતદેહ સળગાવતા સમયે કોઈ અજાણ્યા ઈસમો આવી જતા કારખાનેદાર અને તેના સાગરિતો મૃતદેહને જંગલમાં જ મૂકીને નાસી છૂટ્યા હતાં. બીજી તરફ ચોટીલા પંથકમાં મૃતદેહ મળી આવવા અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ સમગ્ર મામલે મૃતક યુવકના પરિજનોને યુવાન ઘર મૂકીને કયાંક જતો રહ્યો હોવાનું માનતા હતા, પરંતુ અચાનક બે વર્ષ બાદ મૃતકના પરિજનોને હવે વ્રજેશ નહિ આવે તેમજ તેનું પિતૃકાર્ય કરી નાખો અને વર્જેશના માતા પિતાને જે કાંઈ સહાયની જરૂર હોય તે અંગે અમને જણાવો આમ વાત કરતા પરિજનોને કારખાનેદાર પર શંકા ગઈ હતી અને આ મામલે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ મોત અંગે સઘન તપાસ કરાતા સામે આવ્યું હતું કે, તેના જ કારખાનાના માલિકે પોતાના સાગરીતો સાથે મળીને હત્યા નિપજાવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, હત્યા બાદ કારખાનેદારની આર્થિક પરિસ્થિતિ કથળી હતી

Intro:Body:

Gj_Rjt_ Hatya No Bhed ukelayo_Av_047202740

Inbox

x



bhavesh.sondarva

Attachments

Tue, Jun 4, 7:09 PM (9 hours ago)

to Gujaratidesk



રાજકોટમાં જ્યોતિષે મૃતકનું પિતૃકાર્ય કરાવવાની સલાહ આપતા યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો



રાજકોટઃ રાજકોટના સેલ્સમેન યુવાનની 25 લાખ રૂપિયાની લેતીદેતી મામલે તેનાજ કારખાનાના માલિક સહિતના મળતીયાઓ દ્વારા હત્યા નિપજવામાં આવી હતી. જો કે મૃતક યુવાનના પરિજનો આ બાબતથી અજાણ હતા, અને તેઓ પોતાના પુત્ર વ્રજેશ જોશી ઘર છોડીને ક્યાંક જતો રહ્યો છે તેવું માનતા હતા. પરંતુ અચાનક કારખાના માલિકનો બે વર્ષ પછી વ્રજેશના પરીજનોને ફોન આવ્યો હતો કે હવે વ્રજેશ પાછો નહિ આવે અને તેનું પિતૃકાર્ય કરી નાખો ત્યારે પરિજનોને કારખાના મલિક પર શંકા જતા તેમના દ્વારા આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે સામે આવ્યું હતું કે વ્રજેશની 2 વર્ષ પહેલા જ હત્યા કરવામાં આવી છે.



રાજકોટના કુવાડવા રોડ પર પ્રવિણભાઇ પિતળિયાનું શિવમ ટેક્નોકાસ્ટ નામનું કારખાનું આવેલ છે. જ્યાં વ્રજેશ જોશી નામનો યુવાન સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. આ દરમિયાન વ્રજેશને રૂપિયા 25 લાખની ઉઘરાણીની રકમ બાબતે કારખાના માલિક અને તેના સાગરીતો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના કારણે વ્રજેશનું મોત નીપજ્યું હતું. મોત બાદ કારખાનાના માલિક અને તેના મળતીયાઓ દ્વારા લાશને ચોટીલા પાસે આવેલ સિમ વિસ્તારમાં સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ લાશ સળગાવતા સમયે કોઈ અજાણ્યા ઈસમો આવી જતા કારખાનેદાર અને તેના સાગરિતો લાશને જંગલમાંજ મૂકીને નાસી છૂટ્યા હતાં. બીજી તરફ ચોટીલા પંથકમાં લાશ મળી આવવા અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર મામલે મૃતક યુવનના પરિજનોને યુવાન ઘર મૂકીને કયાંક જતો રહ્યો હોવાનું માનતા હતા, પરંતુ અચાનક બે વર્ષ બાદ કારખાનેદારે વર્જેશના પરિજનોને હવે વ્રજેશ નહિ આવે તેમજ તેનું પિતૃકાર્ય કરી નાખો અને વર્જેશના માતા પિતાને જે કાંઈ સહાયની જરૂર હોય તે અંગે અમને જણાવો આમ વાત કરતા પરિજનોને કારખાનેદાર પર શંકા ગઈ હતી અને આ મામલે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ મોત અંગે સઘન તપાસ કરાતા સામે આવ્યું હતું કે તેના જ કારખાનાના માલિકે પોતાના સાગરીતો સાથે મળીને હત્યા નિપજાવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે હત્યા બાદ કારખાનેદારની આર્થિક પરિસ્થિતિ કથળી હતી અને જેને લઈને તેને આ સમગ્ર ઘટના અંગે જ્યોતિષને જણાવ્યું હતું. જો કે જ્યોતિષ દ્વારા પણ કારખાનાના માલિકને વ્રજેશનું પિતૃકાર્ય કરાવવાની સલાહ આપવામાં આવી હોય તેને વ્રજેશના પરિજનોને આ અંગે જણાવ્યું હતું.



નોંધઃ મૃતક યુવાનની ફાઇલ ઇમેજ છે સાથે આરોપીઓની પણ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.