ETV Bharat / state

રાજકોટમાં છેલ્લા 13 મહિનામાં 400થી વધુ પશુઓ કતલખાનામાં કપાયા

author img

By

Published : Nov 15, 2021, 2:29 PM IST

રાજકોટ સહિત રાજ્યની મહાનગર પાલિકાઓ(Municipal Corporation of the State) દ્વારા જાહેર રસ્તા ઉપર ઈંડા અને નોનવેજની લારી(Egg and nonveg lari)ઓને દૂર હટાવી રહી છે. જેને લઇને ETV BHARAT દ્વારા રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં કોર્પોરેશન દ્વારા મંજૂરી બાદ કેટલા પશુઓ કતલખાનામાં કપાયા છે. તેને લઈને એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે છેલ્લા 13 મહિનામાં રાજકોટમાં 400થી વધુ પશુઓને કતલખાનામાં (Animal slaughterhouse )કાપવામાં આવ્યા છે.કોર્પોરેશનની મંજૂરી બાદ જ આ પશુઓને કતલખાનામાં કાપવાની છૂટ આપવામાં આવતી હોય છે.

રાજકોટમાં છેલ્લા 13 મહિનામાં 400થી વધુ પશુઓ કતલખાનામાં કપાયા
રાજકોટમાં છેલ્લા 13 મહિનામાં 400થી વધુ પશુઓ કતલખાનામાં કપાયા
  • રાજ્યની મહાનગર પાલિકાઓ દ્વારા જાહેરમાં ઈંડા-નોનવેજની લારીઓને દૂર કરી
  • રાજકોટમાં 13 મહિનામાં 400 પશું કતલખાનામાં કાપાયા
  • રાકોટમાંમ પાડા અને ભેંસને પકાપવાની મંજૂરી

રાજકોટઃ રાજકોટ સહિત રાજ્યની મહાનગર પાલિકાઓ(Municipal Corporations of the State including Rajkot) દ્વારા જાહેર રસ્તા ઉપર ઈંડા અને નોનવેજની (Eggs and nonveg on public roads)લારીઓને દૂર હટાવી રહી છે. જેને લઇને ETV BHARAT દ્વારા રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં કોર્પોરેશન દ્વારા મંજૂરી (Approved by the corporation in one year)બાદ કેટલા પશુઓ કતલખાનામાં કપાયા છે. તેને લઈને એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે છેલ્લા 13 મહિનામાં રાજકોટમાં 400થી વધુ પશુઓને કતલખાનામાં (Animal slaughterhouse )કાપવામાં આવ્યા છે. જોકે આ માટેની એક અલગ જ પ્રક્રિયા હોય છે. તે મુજબ કાયદાકીય પ્રક્રિયા કરીને પશુઓને કતલખાનામાં કાપવાની મંજૂરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે એક અઠવાડિયામાં 40 જેટલા પશુઓને કાપવાની કતલખાનામાં કાપવાની મંજૂરી રાજકોટમાં છૂટ આપવામાં આવી છે.

રાજકોટમાં છેલ્લા 13 મહિનામાં 400થી વધુ પશુઓ કતલખાનામાં કપાયા

પાડા અને ભેંસને કતલખાનામાં કાપવાની મંજૂરી

કોર્પોરેશન દ્વારા ભેંસ અને પાડાને કતલખાનામાં કાપવા માટેની મંજૂરી આપવામાં (Animal slaughterhouse )આવતી હોય છે. આ અંગે કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેમાં સૌથી વધુ ભેંસ કપાતી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 13 મહિનામાં 400થી વધુ પાડા અને ભેંસને કતલખાનામાં કાપવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેશનની મંજૂરી બાદ જ આ પશુઓને કતલખાનામાં કાપવાની છૂટ આપવામાં આવતી હોય છે. જ્યારે જે પણ નોનવેજના વેપારીઓ છે. કોર્પોરેશનમાંથી આ અંગેની દુકાન ધરાવવાનું લાયસન્સ આપવામાં આવતું હોય છે. તે મજુબ જ પશુઓને કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. જ્યારે રાજકોટમાં વધુમાં વધુ એક અઠવાડિયામાં 40 જેટલા પશુઓને કાપવાની મંજૂરી હોય છે. સમગ્ર પ્રોસેસ રાજકોટ મહાનગરપાલિકા ની દેખરેખ હેઠળ થતી હોય છે અને ત્યારબાદ આ પશુને કતલખાનામાં કાપવાની મંજૂરી આપવામાં આવતી હોય છે.

પશુ ડોકટર પાસેથી સર્ટિફિકેટ લેવું ફરજિયાત

શહેરમાં અંદાજીત 11 જેટલા આ પ્રકારની કતલખાનાની દુકાનો આવેલી છે. જે તમામને કોર્પોરેશનમાં લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતું હોય છે. જ્યારે આ કતલખાના વેપારીઓ દ્વારા પાડા અથવા ભેંસની ખરીદી કરવામાં આવે છે. ત્યારબાદ બાદ કતલખાનામાં કાપતા પહેલા કોર્પોરેશનમાંથી મંજૂરી લેવામાં આવે છે. તેમજ આ પાડો અને ભેંસ કતલખાનામાં કાપવા યોગ્ય છે કે નહીં તેને લઈને પશુ ડોક્ટર દ્વારા સર્ટીફિકેટ લેવું ફરજીયાત છે. આ તમામ પ્રક્રિયા બાદ ભેંસ અને પાડાની કતલખાનામાં કાપવાની મંજૂરી આવતી હોય છે. હાલ રાજકોટ નોનવેજની દુકાન ધરાવતા વેપારીઓએ આ પ્રક્રિયામાંથી ફરજીયાત પસાર થવું પડતું હોય છે.

ગાય, બળદ કે ખુટિયાને કાપવાની મંજૂરી નહિ

રાજકોટ કોર્પોરેશનમાં હાલ માત્ર પાડા અને ભેંસને પકાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય જો ગાય કે બળદ અથવા ખુટિયાંને કાપવાની મંજૂરી આપવામાં આવતી નથી અને જો કોઈ પણ વેપારી દ્વારા ગાય, બળદ કે ખુટિયાં કાપવામાં આવતા હોય તો તેની સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવે છે અને આવા વેપારીઓને છ મહિનાની જેલની પણ સજા થઈ શકે છે. જે અંગે કોર્પોરેશન દ્વારા નોનવેજની દુકાનોમાં સમયાંતરે સતત ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે.

આ પણ વાંચોઃ 2 વર્ષ બાદ સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

આ પણ વાંચોઃ Library Week 2021: ગુજરાત યુનિવર્સિટી 1 રૂપિયાથી લઈ 5,000 રૂપિયાની કિંમતના પુસ્તકો આપશે વિનામૂલ્યે

  • રાજ્યની મહાનગર પાલિકાઓ દ્વારા જાહેરમાં ઈંડા-નોનવેજની લારીઓને દૂર કરી
  • રાજકોટમાં 13 મહિનામાં 400 પશું કતલખાનામાં કાપાયા
  • રાકોટમાંમ પાડા અને ભેંસને પકાપવાની મંજૂરી

રાજકોટઃ રાજકોટ સહિત રાજ્યની મહાનગર પાલિકાઓ(Municipal Corporations of the State including Rajkot) દ્વારા જાહેર રસ્તા ઉપર ઈંડા અને નોનવેજની (Eggs and nonveg on public roads)લારીઓને દૂર હટાવી રહી છે. જેને લઇને ETV BHARAT દ્વારા રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં કોર્પોરેશન દ્વારા મંજૂરી (Approved by the corporation in one year)બાદ કેટલા પશુઓ કતલખાનામાં કપાયા છે. તેને લઈને એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે છેલ્લા 13 મહિનામાં રાજકોટમાં 400થી વધુ પશુઓને કતલખાનામાં (Animal slaughterhouse )કાપવામાં આવ્યા છે. જોકે આ માટેની એક અલગ જ પ્રક્રિયા હોય છે. તે મુજબ કાયદાકીય પ્રક્રિયા કરીને પશુઓને કતલખાનામાં કાપવાની મંજૂરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે એક અઠવાડિયામાં 40 જેટલા પશુઓને કાપવાની કતલખાનામાં કાપવાની મંજૂરી રાજકોટમાં છૂટ આપવામાં આવી છે.

રાજકોટમાં છેલ્લા 13 મહિનામાં 400થી વધુ પશુઓ કતલખાનામાં કપાયા

પાડા અને ભેંસને કતલખાનામાં કાપવાની મંજૂરી

કોર્પોરેશન દ્વારા ભેંસ અને પાડાને કતલખાનામાં કાપવા માટેની મંજૂરી આપવામાં (Animal slaughterhouse )આવતી હોય છે. આ અંગે કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેમાં સૌથી વધુ ભેંસ કપાતી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 13 મહિનામાં 400થી વધુ પાડા અને ભેંસને કતલખાનામાં કાપવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેશનની મંજૂરી બાદ જ આ પશુઓને કતલખાનામાં કાપવાની છૂટ આપવામાં આવતી હોય છે. જ્યારે જે પણ નોનવેજના વેપારીઓ છે. કોર્પોરેશનમાંથી આ અંગેની દુકાન ધરાવવાનું લાયસન્સ આપવામાં આવતું હોય છે. તે મજુબ જ પશુઓને કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. જ્યારે રાજકોટમાં વધુમાં વધુ એક અઠવાડિયામાં 40 જેટલા પશુઓને કાપવાની મંજૂરી હોય છે. સમગ્ર પ્રોસેસ રાજકોટ મહાનગરપાલિકા ની દેખરેખ હેઠળ થતી હોય છે અને ત્યારબાદ આ પશુને કતલખાનામાં કાપવાની મંજૂરી આપવામાં આવતી હોય છે.

પશુ ડોકટર પાસેથી સર્ટિફિકેટ લેવું ફરજિયાત

શહેરમાં અંદાજીત 11 જેટલા આ પ્રકારની કતલખાનાની દુકાનો આવેલી છે. જે તમામને કોર્પોરેશનમાં લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતું હોય છે. જ્યારે આ કતલખાના વેપારીઓ દ્વારા પાડા અથવા ભેંસની ખરીદી કરવામાં આવે છે. ત્યારબાદ બાદ કતલખાનામાં કાપતા પહેલા કોર્પોરેશનમાંથી મંજૂરી લેવામાં આવે છે. તેમજ આ પાડો અને ભેંસ કતલખાનામાં કાપવા યોગ્ય છે કે નહીં તેને લઈને પશુ ડોક્ટર દ્વારા સર્ટીફિકેટ લેવું ફરજીયાત છે. આ તમામ પ્રક્રિયા બાદ ભેંસ અને પાડાની કતલખાનામાં કાપવાની મંજૂરી આવતી હોય છે. હાલ રાજકોટ નોનવેજની દુકાન ધરાવતા વેપારીઓએ આ પ્રક્રિયામાંથી ફરજીયાત પસાર થવું પડતું હોય છે.

ગાય, બળદ કે ખુટિયાને કાપવાની મંજૂરી નહિ

રાજકોટ કોર્પોરેશનમાં હાલ માત્ર પાડા અને ભેંસને પકાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય જો ગાય કે બળદ અથવા ખુટિયાંને કાપવાની મંજૂરી આપવામાં આવતી નથી અને જો કોઈ પણ વેપારી દ્વારા ગાય, બળદ કે ખુટિયાં કાપવામાં આવતા હોય તો તેની સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવે છે અને આવા વેપારીઓને છ મહિનાની જેલની પણ સજા થઈ શકે છે. જે અંગે કોર્પોરેશન દ્વારા નોનવેજની દુકાનોમાં સમયાંતરે સતત ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે.

આ પણ વાંચોઃ 2 વર્ષ બાદ સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

આ પણ વાંચોઃ Library Week 2021: ગુજરાત યુનિવર્સિટી 1 રૂપિયાથી લઈ 5,000 રૂપિયાની કિંમતના પુસ્તકો આપશે વિનામૂલ્યે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.