ETV Bharat / state

ગોંડલમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિએ મુખ્યપ્રધાને આપી હાજરી - ગોંડલમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિ

રાજકોટ: ગોંડલના રામજી મંદિરે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિના દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી. નવનિર્માણ પામી રહેલા હોસ્પિટલના બિલ્ડિંગને અદ્યતન બનાવવા આહવાન કર્યું હતું. આ નવા બિલ્ડિંગ માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેતી કરવામાં આવી હતી.

શ્રીમદ્ ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિ નિમિત્તે મુખ્યપ્રધાન રહ્યા ઉપસ્થિત
author img

By

Published : Sep 11, 2019, 6:59 PM IST

ગોંડલના રામજી મંદિરે પૂજ્ય હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી.CMએ શ્રીમદ્ ભાગવતને નમન કરી જણાવ્યું હતું કે, ભાગવતના સ્મરણથી અનેક પાપ ધોવાય જાય છે. ભાગવત લોકોને સત્ય તરફ વાળે છે, પૂજ્ય હરિચરણદાસજી મહારાજ દ્વારા ગુરુ રણછોડદાસજી મહારાજના આશીર્વાદથી પ્રભુ સેવાની સાથે દરિદ્રનારાયણની સેવા કરવામાં આવી રહી છે. આવી સેવા થકી ગુજરાત ઉજળું છે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિ નિમિત્તે મુખ્યપ્રધાન રહ્યા ઉપસ્થિત
ગુજરાતના ગૌરવના મૂળમાં રણછોડદાસજી મહારાજ, જલારામ બાપા, નરસિંહ મહેતા, નાથાભાઈ, બાપાસીતારામ, મોરારીબાપુ તેમજ રમેશભાઈ ઓઝા જેવા સંતો મહંતોના પ્રતાપે ગુજરાત ગૌરવ યુક્ત બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગોંડલમાં શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. નવી હોસ્પિટલના બિલ્ડિંગ માટે દાન આપનાર દાતાઓને ધન્યવાદ છે. ગોંડલની હોસ્પિટલમાં દવાની સાથે સંતોની દુઆનો સમન્વય છે.

CMએ કહ્યું કે,100 બેડની હોસ્પિટલ 150 બેડની થઇ રહી છે, પરંતુ 100 નહીં 500 બેડની હોસ્પિટલ બનાવો જેથી કરીને મેડિકલ કોલેજ પણ થઈ જશે. રાજ્ય સરકાર મેડીકલ પોલીસીને ધ્યાનમાં રાખી જમીન પણ આપશે જેથી કરી વધુ સારા ડોક્ટરોની સગવડતા મળશે. મેડિકલ કોલેજ થાય તે માટે હિંમત કરો પૈસાની ચિંતા નથી, પૂર્તી સવલતો આપવામાં આવશે. વીસ વર્ષ પહેલાં ગુજરાતમાં 900 મેડિકલ સીટ હતી ત્રણ વર્ષમાં તેમાં જંપ લાગ્યો છે. મેડિકલને 5500 સીટ ગુજરાતમાં ઉપલબ્ધ થવા પામી છે. જો મેડિકલ કોલેજ ઉભી થઈ જાય તો વિદ્યાર્થીઓને શહેર છોડી બીજા પ્રદેશ કે, વિદેશ ભણવા જવાની જરૂર નહીં પડે અને છેવાડાના માનવીને પણ મેડિકલ સુવિધા મળતી થઈ જશે. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં નિ:શુલ્ક ઓપરેશન કરી આપવાનું કાર્ય થઈ રહ્યું છે. આવા કાર્યથી સિવિલ હોસ્પિટલમાં ભારણ ઘટી રહ્યું છે. રાજ્ય સરકાર હોસ્પિટલના રીપેરીંગ ખર્ચમાં ગ્રાન્ટ આપવા તૈયાર છે. તાજેતરમાં જ ચાપરડા ખાતે મુકતાનંદ બાપુ દ્વારા તૈયાર કરાયેલા હોસ્પિટલ તેમજ ધરમપુર ખાતે રાકેશભાઈ દ્વારા તૈયાર કરાયેલા હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી છે. ગોંડલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલને પણ એક્સપેન્સની ચિંતા હોય તો રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે અને નવી હોસ્પિટલને આધુનિક બનાવો રાજ્ય સરકાર તમામ સુવિધાઓ આપશે.

ગોંડલ શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલના નવા બિલ્ડિંગ માટે કવેસ્ટ ફાઉન્ડેશન મુંબઈના અજયભાઈ શેઠ દ્વારા રૂપિયા એક કરોડનો ચેક તેમજ આફ્રિકાના ચેતનભાઇ જગ દ્વારા રૂપિયા એક કરોડનો ચેક મુખ્યપ્રધાન અને ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાની હાજરીમાં હરિચરણદાસજી મહારાજના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બીનાબેન અજયભાઈ શેઠ દ્વારા મહાસ્વામી વિકલાંગ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિમિત્તે સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ યુવરાજ હિમાંશુસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

ગોંડલના રામજી મંદિરે પૂજ્ય હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી.CMએ શ્રીમદ્ ભાગવતને નમન કરી જણાવ્યું હતું કે, ભાગવતના સ્મરણથી અનેક પાપ ધોવાય જાય છે. ભાગવત લોકોને સત્ય તરફ વાળે છે, પૂજ્ય હરિચરણદાસજી મહારાજ દ્વારા ગુરુ રણછોડદાસજી મહારાજના આશીર્વાદથી પ્રભુ સેવાની સાથે દરિદ્રનારાયણની સેવા કરવામાં આવી રહી છે. આવી સેવા થકી ગુજરાત ઉજળું છે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિ નિમિત્તે મુખ્યપ્રધાન રહ્યા ઉપસ્થિત
ગુજરાતના ગૌરવના મૂળમાં રણછોડદાસજી મહારાજ, જલારામ બાપા, નરસિંહ મહેતા, નાથાભાઈ, બાપાસીતારામ, મોરારીબાપુ તેમજ રમેશભાઈ ઓઝા જેવા સંતો મહંતોના પ્રતાપે ગુજરાત ગૌરવ યુક્ત બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગોંડલમાં શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. નવી હોસ્પિટલના બિલ્ડિંગ માટે દાન આપનાર દાતાઓને ધન્યવાદ છે. ગોંડલની હોસ્પિટલમાં દવાની સાથે સંતોની દુઆનો સમન્વય છે.

CMએ કહ્યું કે,100 બેડની હોસ્પિટલ 150 બેડની થઇ રહી છે, પરંતુ 100 નહીં 500 બેડની હોસ્પિટલ બનાવો જેથી કરીને મેડિકલ કોલેજ પણ થઈ જશે. રાજ્ય સરકાર મેડીકલ પોલીસીને ધ્યાનમાં રાખી જમીન પણ આપશે જેથી કરી વધુ સારા ડોક્ટરોની સગવડતા મળશે. મેડિકલ કોલેજ થાય તે માટે હિંમત કરો પૈસાની ચિંતા નથી, પૂર્તી સવલતો આપવામાં આવશે. વીસ વર્ષ પહેલાં ગુજરાતમાં 900 મેડિકલ સીટ હતી ત્રણ વર્ષમાં તેમાં જંપ લાગ્યો છે. મેડિકલને 5500 સીટ ગુજરાતમાં ઉપલબ્ધ થવા પામી છે. જો મેડિકલ કોલેજ ઉભી થઈ જાય તો વિદ્યાર્થીઓને શહેર છોડી બીજા પ્રદેશ કે, વિદેશ ભણવા જવાની જરૂર નહીં પડે અને છેવાડાના માનવીને પણ મેડિકલ સુવિધા મળતી થઈ જશે. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં નિ:શુલ્ક ઓપરેશન કરી આપવાનું કાર્ય થઈ રહ્યું છે. આવા કાર્યથી સિવિલ હોસ્પિટલમાં ભારણ ઘટી રહ્યું છે. રાજ્ય સરકાર હોસ્પિટલના રીપેરીંગ ખર્ચમાં ગ્રાન્ટ આપવા તૈયાર છે. તાજેતરમાં જ ચાપરડા ખાતે મુકતાનંદ બાપુ દ્વારા તૈયાર કરાયેલા હોસ્પિટલ તેમજ ધરમપુર ખાતે રાકેશભાઈ દ્વારા તૈયાર કરાયેલા હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી છે. ગોંડલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલને પણ એક્સપેન્સની ચિંતા હોય તો રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે અને નવી હોસ્પિટલને આધુનિક બનાવો રાજ્ય સરકાર તમામ સુવિધાઓ આપશે.

ગોંડલ શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલના નવા બિલ્ડિંગ માટે કવેસ્ટ ફાઉન્ડેશન મુંબઈના અજયભાઈ શેઠ દ્વારા રૂપિયા એક કરોડનો ચેક તેમજ આફ્રિકાના ચેતનભાઇ જગ દ્વારા રૂપિયા એક કરોડનો ચેક મુખ્યપ્રધાન અને ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાની હાજરીમાં હરિચરણદાસજી મહારાજના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બીનાબેન અજયભાઈ શેઠ દ્વારા મહાસ્વામી વિકલાંગ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિમિત્તે સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ યુવરાજ હિમાંશુસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

Intro:એન્કર :- ગોંડલના રામજી મંદિરે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ ના પૂર્ણાહુતિ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી આપી હતી અને નવ નિર્માણ પામી રહેલ હોસ્પિટલના બિલ્ડિંગને અદ્યતન બનાવવા આહવાન કરાયું હતું નવા બિલ્ડિંગ માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેતી કરવામાં આવી હતી.

વિઓ :- ગોંડલના રામજી મંદિરે પૂજ્ય હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ હાજરી આપી હતી શ્રીમદ ભાગવત ને નમન કરી જણાવ્યું હતું કે ભાગવતના સ્મરણથી અનેક પાપ ધોવાય જાય છે ભાગવત લોકોને સત્ય તરફ વાળે છે પૂજ્ય હરિચરણદાસજી મહારાજ દ્વારા ગુરુ રણછોડદાસજી મહારાજના આશીર્વાદ થી પ્રભુ સેવા ની સાથે દરિદ્રનારાયણની સેવા કરવામાં આવી રહી છે આવી સેવા થકી ગુજરાત ઉજળું છે ગુજરાતના ગૌરવના મૂળમાં પૂજ્ય રણછોડદાસજી મહારાજ, પૂજ્ય જલારામ બાપા, નરસિંહ મહેતા, પૂજ્ય નાથાભાઈ, બાપાસીતારામ, મોરારીબાપુ તેમજ રમેશભાઈ ઓઝા જેવા સંતો મહંતો ના પ્રતાપે ગુજરાત ગૌરવ યુક્ત બન્યું છે ગોંડલમાં શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે પણ તેઓની સૂચક હાજરી હતી બાદમાં પણ અવારનવાર કાર્યક્રમોમાં આમંત્રણ આપી સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું છે નવી હોસ્પિટલના બિલ્ડિંગ માટે દાન આપનાર દાતા ઓ ને ધન્યવાદ છે ગોંડલની હોસ્પિટલમાં દવાની સાથે સંતોની દુઆ નો સમન્વય છે

વિઓ :- સો બેડની હોસ્પિટલ 150 બેડ ની થઇ રહી છે પરંતુ 100 નહી 500 બેડની હોસ્પિટલ બનાવો જેથી કરીને મેડિકલ કોલેજ પણ થઈ જશે રાજ્ય સરકાર મેડીકલ પોલીસી ને ધ્યાનમાં રાખી જમીન પણ આપશે જેથી કરી વધુ સારા ડોક્ટરોની સગવડતા મળશે મેડિકલ કોલેજ થાય તે માટે હિંમત કરો પૈસાની ચિંતા નથી પૂરતી સવલતો આપવામાં આવશે વીસ વર્ષ પહેલાં ગુજરાતમાં 900 મેડિકલ સીટ હતી ત્રણ વર્ષમાં તેમાં જંપ લાગ્યો છે મેડિકલ ને 5500 સીટ ગુજરાતમાં ઉપલબ્ધ થવા પામી છે જો મેડિકલ કોલેજ ઊભી થઈ જાય તો વિદ્યાર્થીઓને શહેર છોડી બીજા પ્રદેશ કે વિદેશ ભણવા જવાની જરૂર નહીં પડે અને છેવાડાના માનવીને પણ મેડિકલ સુવિધા મળતી થઈ જશે શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન કરી દેવાનું કાર્ય થઈ રહ્યું છે આવા કાર્યથી સિવિલ હોસ્પિટલમાં ભારણ ઘટી રહ્યું છે હોસ્પિટલના ટ્રસ્ટીઓને ધન્યવાદ છે રાજ્ય સરકાર હોસ્પિટલના રીકરીંગ ખર્ચમાં ગ્રાન્ટ આપવા તૈયાર છે તાજેતરમાં જ ચાપરડા ખાતે મુકતાનંદ બાપુ દ્વારા તૈયાર કરાયેલ હોસ્પિટલ તેમજ ધરમપુર ખાતે રાકેશભાઈ દ્વારા તૈયાર કરાયેલ હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી છે ગોંડલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ને પણ એક્સપેન્સ ની ચિંતા હોય તો રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે અને નવી હોસ્પિટલને આધુનિક બનાવો રાજ્ય સરકાર તમામ સુવિધાઓ આપશે.

ગોંડલ શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ના નવા બિલ્ડિંગ માટે કવેસ્ટ ફાઉન્ડેશન મુંબઈના અજયભાઈ શેઠ દ્વારા રૂપિયા એક કરોડનો ચેક તેમજ આફ્રિકાના ચેતનભાઇ જગ દ્વારા રૂપિયા એક કરોડનો ચેક મુખ્યમંત્રી અને ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા ની હાજરીમાં પૂજ્ય હરિચરણદાસજી મહારાજના ચરણોમાં અર્પણ કરાયો હતો આ સાથે જ બીનાબેન અજયભાઈ શેઠ દ્વારા મહાસ્વામિ વિકલાંગ સહાય યોજના ની જાહેરાત કરવામાં આવી હતી આ તકે સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ યુવરાજ હિમાંશુસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકા ના પ્રમુખ અશોકભાઇ પીપળીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.


Body:બાઈટ - ૦૧ - વિજયભાઈ રૂપાણી (મુખ્યમંત્રી)

બાઈટ - ૦૨ - નીતિનભાઈ રાયચુરા (ટ્રસ્ટી)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.