ETV Bharat / state

'વાયુ'ના પ્રકોપથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં 1001 વીજ ફીડરો બંધ

રાજકોટ: અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા વાયુ વાવાઝોડાના પરિણામે તીવ્ર ગતિથી ફૂંકાયેલા પવનને પરિણામે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ ખોરવાયેલા વીજ પુરવઠાને તાબડતોબ પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો હોવાનું ઊર્જાપ્રધાન સૌરભ પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. વાયુ વાવાઝોડાના પ્રકોપને કારણે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં કૂલ 1001 વીજ ફીડરો બંધ પડી ગયા હતા અને જે પૈકી 870 વીજ ફીડરો તાકીદના ધોરણે દુરસ્ત કરી ચાલુ કરી દેવામાં આવ્યા છે.

author img

By

Published : Jun 14, 2019, 9:50 AM IST

Updated : Jun 14, 2019, 1:10 PM IST

PGVCL

'વાયુ' નામના સમુદ્રી તોફાનની રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર સાગર તટીય વિસ્તારોમાં થનારી સંભવિત અસરને નિવારવા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાનો તાગ મેળવવા ઊર્જાપ્રધાને પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, વીજ પુરવઠાની દ્રષ્ટિએ વેરાવળ, સુત્રાપાડા, માંગરોળ, ચોરવાડ, કેશોદ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, કોડીનાર, રાજુલા, મહુવા, મુન્દ્રા અને માંડવીને ખાસ અસર પહોંચી હતી. વીજ કંપનીની કુલ 632 ટીમો યુદ્ધના ધોરણે વીજળી પુનઃવત કરવા કામે લાગી હતી. તારીખ 13 સાંજના 8 કાલાકની સ્થિતિએ 131 ફીડરો દુરસ્ત કરવાના બાકી હતા. ઉત્તર ગુજરાત વીજ કંપનીના બંધ પડેલા 15 ફીડર પણ ગુરૂવાર રાત સુધીમાં ચાલુ થઇ હતી.

ઊર્જાપ્રધાન સૌરભ પટેલની બાઈટ

જેમાં પોરબંદરમાં 53, જૂનાગઢમાં 28, જામનગરમાં 17, ભાવનગરમાં 9, બોટાદના 1, અમરેલીના 20 અને સુરેન્દ્રનગરના 3 બંધ ફીડરો ગુરૂવારે મોડી રાત સુધીમાં ચાલું કરી દેવામાં આવશે. જ્યારે 61 ટ્રાન્સફોર્મર અને 416 પોલ ક્ષતિગ્રસ્ત થયા અને 59.8 કિલોમિટરની હાયપર ટેન્શન લાઇન, 29.31 કિમિ એમટી લાઇનને નુકસાન પહોંચ્યું છે.

આ લાઇનો અને પોલને પવનની વધુ ગતિ, વૃક્ષો પડવાને કારણે નુકસાન થયું છે. 4.5 કિમિની એચટી લાઇન અને 0.70ની એમટી લાઇન તત્કાલ રિપેર કરવામાં આવી છે. જેટકો અંગે માહિતી આપતા કહ્યું કે, જામનગર તાલુકાના ચંદ્રગઢ તથા પીપળી 66 KV સબ સ્ટેશન બપોરના સમયે બંધ થતા તેને ચાર કલાકમાં તેને રિપેર કરવામાં આવ્યા હતા.

કોડીનાર તાલુકામાં બંધ પડેલા ઘાટવડ અને આલીદર સબ સ્ટેશન બંધ થયા છે. તેને ફરી ચાલુ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ છે. તેને વૈકલ્પિક લાઇનથી વીજ પુરવઠો આપવાનું કામ પ્રગતિમાં છે. તેમણે વીજ કંપનીના કર્મચારીઓના સામુહિક પ્રયત્નોથી થયેલી કામગીરીને બિરદાવી હતી. બહારની ટીમોને તારીખ 14 બપોર સુધી રોકવામાં આવશે.

'વાયુ' નામના સમુદ્રી તોફાનની રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર સાગર તટીય વિસ્તારોમાં થનારી સંભવિત અસરને નિવારવા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાનો તાગ મેળવવા ઊર્જાપ્રધાને પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, વીજ પુરવઠાની દ્રષ્ટિએ વેરાવળ, સુત્રાપાડા, માંગરોળ, ચોરવાડ, કેશોદ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, કોડીનાર, રાજુલા, મહુવા, મુન્દ્રા અને માંડવીને ખાસ અસર પહોંચી હતી. વીજ કંપનીની કુલ 632 ટીમો યુદ્ધના ધોરણે વીજળી પુનઃવત કરવા કામે લાગી હતી. તારીખ 13 સાંજના 8 કાલાકની સ્થિતિએ 131 ફીડરો દુરસ્ત કરવાના બાકી હતા. ઉત્તર ગુજરાત વીજ કંપનીના બંધ પડેલા 15 ફીડર પણ ગુરૂવાર રાત સુધીમાં ચાલુ થઇ હતી.

ઊર્જાપ્રધાન સૌરભ પટેલની બાઈટ

જેમાં પોરબંદરમાં 53, જૂનાગઢમાં 28, જામનગરમાં 17, ભાવનગરમાં 9, બોટાદના 1, અમરેલીના 20 અને સુરેન્દ્રનગરના 3 બંધ ફીડરો ગુરૂવારે મોડી રાત સુધીમાં ચાલું કરી દેવામાં આવશે. જ્યારે 61 ટ્રાન્સફોર્મર અને 416 પોલ ક્ષતિગ્રસ્ત થયા અને 59.8 કિલોમિટરની હાયપર ટેન્શન લાઇન, 29.31 કિમિ એમટી લાઇનને નુકસાન પહોંચ્યું છે.

આ લાઇનો અને પોલને પવનની વધુ ગતિ, વૃક્ષો પડવાને કારણે નુકસાન થયું છે. 4.5 કિમિની એચટી લાઇન અને 0.70ની એમટી લાઇન તત્કાલ રિપેર કરવામાં આવી છે. જેટકો અંગે માહિતી આપતા કહ્યું કે, જામનગર તાલુકાના ચંદ્રગઢ તથા પીપળી 66 KV સબ સ્ટેશન બપોરના સમયે બંધ થતા તેને ચાર કલાકમાં તેને રિપેર કરવામાં આવ્યા હતા.

કોડીનાર તાલુકામાં બંધ પડેલા ઘાટવડ અને આલીદર સબ સ્ટેશન બંધ થયા છે. તેને ફરી ચાલુ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ છે. તેને વૈકલ્પિક લાઇનથી વીજ પુરવઠો આપવાનું કામ પ્રગતિમાં છે. તેમણે વીજ કંપનીના કર્મચારીઓના સામુહિક પ્રયત્નોથી થયેલી કામગીરીને બિરદાવી હતી. બહારની ટીમોને તારીખ 14 બપોર સુધી રોકવામાં આવશે.


વાયુ વાવાઝોડાના પ્રકોપને કારણે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં
કૂલ ૧૦૦૧ વીજ ફીડરો બંધ પડયા

રાજકોટ: જુન-અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા વાયુ વાવાઝોડાના પરિણામે તીવ્ર ગતિથી કૂંકાયેલા પવનને પરિણામે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખોરવાયેલા વીજ પુરવઠાને તાબડતોબ પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો હોવાનું ઊર્જાપ્રધાન સૌરભ પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. વાયુ વાવાઝોડાના પ્રકોપને કારણે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં કૂલ ૧૦૦૧ વીજ ફીડરો બંધ પડી ગયા હતા અને તે પૈકી ૮૭૦ વીજ ફીડરો તાકીદના ધોરણે દુરસ્ત કરી ચાલુ કરી દેવામાં આવ્યા છે.


વાયુ નામના સમુદ્રી તોફાનની રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર સાગર તટીય વિસ્તારોમાં થનારી સંભવિત અસરને નિવારવા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંનો તાગ મેળવવા રાજકોટ આવેલા ઊર્જાપ્રધાને પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, વીજ પુરવઠાની દ્રષ્ટિએ વેરાવળ, સુત્રાપાડા, માંગરોળ, ચોરવાડ, કેશોદ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, કોડીનાર, રાજુલા, મહુવા, મુન્દ્રા અને માંડવીને ખાસ અસર પહોંચી હતી. વીજ કંપનીની કૂલ ૬૩૨ ટીમો યુદ્ધના ધોરણે વીજળી પુનઃવત્ કરવા કામે લાગી હતી. તા.૧૩ના સાંજના ૮ વાગ્યાની સ્થિતિએ ૧૩૧ ફીડરો દુરસ્ત કરવાના બાકી છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીના બંધ પડેલા ૧૫ ફિડર પણ આજ રાત સુધીમાં ચાલુ થઇ જશે.
જેમાં પોરબંદરમાં ૫૩, જૂનાગઢમાં ૨૮, જામનગરમાં ૧૭, ભાવનગરમાં ૯, બોટાદના એક, અમરેલીના ૨૦ અને સુરેન્દ્રનગરના ૩ બંધ ફીડરો આજ મોડી રાત સુધીમાં ચાલું કરી દેવામાં આવશે. તે જ પ્રકારે ૬૧ ટ્રાન્સફોર્મર અને ૪૧૬ પોલ ક્ષતિગ્રસ્ત થયા હતા. જ્યારે, ૫૯.૮ કિલોમિટરની હાયપર ટેન્શન લાઇન, ૨૯.૩૧ કિ. મિ. એમટી લાઇનને નુકસાન પહોંચ્યું છે. આ લાઇનો અને પોલને પવનની વધુ ગતિ, વૃક્ષો પડવાને કારણે નુકસાન થયું છે. ૪.૫ કિ. મિ.ની એચટી લાઇન અને ૦.૭૦ની એમટી લાઇન તત્કાલ રિપેર કરવામાં આવી છે. જેટકો અંગે માહિતી આપતા કહ્યું કે, જામનગર તાલુકાના ચંદ્રગઢ તથા પીપળી ૬૬ કેવી સબ સ્ટેશન બપોરના સમયે બંધ થયા બાદ ચાર કલાકમાં તેને રિપેર કરવામાં આવ્યા હતા. કોડીનાર તાલુકામાં બંધ પડેલા ઘાટવડ અને આલીદર સબ સ્ટેશન બંધ થયા છે. તેને ફરી ચાલુ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. તેને વૈકલ્પિક લાઇનથી વીજ પુરવઠો આપવાનું કામ પ્રગતિમાં છે. તેમણે વીજ કંપનીના કર્મચારીઓના સામુહિક પ્રયત્નોથી થયેલી કામગીરીને બિરદાવી હતી. બહારની ટીમોને તા. ૧૪ બપોર સુધી રોકવામાં આવશે.

નોંધઃ બાઈટ લાઈવમાંથી લેવી...
Last Updated : Jun 14, 2019, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.