ETV Bharat / state

રાજકોટમાં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ ધરણાં પર બેઠા

author img

By

Published : Apr 15, 2021, 4:51 PM IST

રાજકોટમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ત્યારે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડની અછત સર્જાઇ રહી છે. એવામાં તાજેતરમાં બે દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ ખૂલ્યું હતું. જેને લઇને ગઈકાલે કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના નેતાઓ ધરણા પર બેઠા
આમ આદમી પાર્ટીના નેતાઓ ધરણા પર બેઠા
  • રાજકોટમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બેકાબુ બની
  • સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ ખૂલ્યું હતું
  • આદમી પાર્ટીના નૈનેશ પાટડિયા અને પરેશ શિંગાળા ધરણા ઉપર બેઠા

રાજકોટઃ રાજકોટમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ત્યારે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડની અછત સર્જાઇ રહી છે. એવામાં તાજેતરમાં બે દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ ખૂલ્યું હતું. જેને લઇને ગઈકાલે કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ આ મુદ્દે ધરણા યોજવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી હતી.

આમ આદમી પાર્ટીના નેતાઓ ધરણા પર બેઠા

આ પણ વાંચોઃ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં ધરણા

આપના કાર્યકર્તાઓની કરાઈ અટકાયત

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો હાલ યોગ્ય કામગીરી ન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના નૈનેશ પાટડિયા અને પરેશ શિંગાળા ધરણા ઉપર બેઠા હતા. 11:00 કલાકે ત્રિકોણબાગ ખાતે આ બન્ને આપના નેતાઓ હાથમાં બેનરો સાથે ધરણા પર બેઠા હતા અને રાજકોટની જનતાને મદદ કરવા માટે અપીલ કરી રહ્યા હતા. તેવામાં આ બન્ને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા સક્ષમ ન હોય તેવો આક્ષેપ પણ આ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

  • રાજકોટમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બેકાબુ બની
  • સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ ખૂલ્યું હતું
  • આદમી પાર્ટીના નૈનેશ પાટડિયા અને પરેશ શિંગાળા ધરણા ઉપર બેઠા

રાજકોટઃ રાજકોટમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ત્યારે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડની અછત સર્જાઇ રહી છે. એવામાં તાજેતરમાં બે દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ ખૂલ્યું હતું. જેને લઇને ગઈકાલે કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ આ મુદ્દે ધરણા યોજવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી હતી.

આમ આદમી પાર્ટીના નેતાઓ ધરણા પર બેઠા

આ પણ વાંચોઃ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં ધરણા

આપના કાર્યકર્તાઓની કરાઈ અટકાયત

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો હાલ યોગ્ય કામગીરી ન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના નૈનેશ પાટડિયા અને પરેશ શિંગાળા ધરણા ઉપર બેઠા હતા. 11:00 કલાકે ત્રિકોણબાગ ખાતે આ બન્ને આપના નેતાઓ હાથમાં બેનરો સાથે ધરણા પર બેઠા હતા અને રાજકોટની જનતાને મદદ કરવા માટે અપીલ કરી રહ્યા હતા. તેવામાં આ બન્ને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા સક્ષમ ન હોય તેવો આક્ષેપ પણ આ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.