ETV Bharat / state

રાજકોટમાં એક જ રાતમાં કોરોનાથી 12 દર્દીના મોત, વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jul 27, 2020, 2:15 PM IST

રાજકોટમાં શહેરમાં 15 કલાકમાં 12 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જ્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં કોરોનાના વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસમાં રાજકોટમાં 23 દર્દીઓના કોરોનાના કારણે ભોગ લેવાયા છે.

રાજકોટમાં એક જ રાતમાં 12 કોરોનાના દર્દીઓના મોત, વધુ 42 પોઝિટિવ આવ્યા
રાજકોટમાં એક જ રાતમાં 12 કોરોનાના દર્દીઓના મોત, વધુ 42 પોઝિટિવ આવ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેરમાં 15 કલાકમાં 12 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જેમાં ક્ચ્છ, સોમનાથ વેરાવળ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્યના દર્દીઓનો સમાવેશ થાય છે. રાજકોટમાં દરરોજ કોરોનાના મોતનો આંક વધી રહ્યો છે. જ્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં કોરોનાના વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસમાં રાજકોટમાં 23 દર્દીઓના કોરોનાના કારણે ભોગ લેવાયા છે.

રાજકોટમાં એક જ રાતમાં 12 કોરોનાના દર્દીઓના મોત, વધુ 42 પોઝિટિવ આવ્યા
રાજકોટમાં એક જ રાતમાં 12 કોરોનાના દર્દીઓના મોત, વધુ 42 પોઝિટિવ આવ્યા

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોના 975 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 542 દર્દીઓ હાલ કોરોનાની સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર દ્વારા પણ કોરોના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલના સહારે આવી છે. રાજકોટમાં 13 જેટલી નવી ખાનગી હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.

રાજકોટમાં એક જ રાતમાં 12 કોરોનાના દર્દીઓના મોત, વધુ 42 પોઝિટિવ આવ્યા
રાજકોટમાં એક જ રાતમાં 12 કોરોનાના દર્દીઓના મોત, વધુ 42 પોઝિટિવ આવ્યા

જેમાં હવેથી કોરોનાના દર્દીઓ સારવાર લઈ શકે છે. જ્યારે ત્રણ જેટલી નવી કોરોનાના ટેસ્ટ માટેની લેબોરેટરી પણ રાજકોટમાં મંજૂર કરવામાં આવી છે. અનલોક 2માં રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે.

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેરમાં 15 કલાકમાં 12 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જેમાં ક્ચ્છ, સોમનાથ વેરાવળ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્યના દર્દીઓનો સમાવેશ થાય છે. રાજકોટમાં દરરોજ કોરોનાના મોતનો આંક વધી રહ્યો છે. જ્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં કોરોનાના વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસમાં રાજકોટમાં 23 દર્દીઓના કોરોનાના કારણે ભોગ લેવાયા છે.

રાજકોટમાં એક જ રાતમાં 12 કોરોનાના દર્દીઓના મોત, વધુ 42 પોઝિટિવ આવ્યા
રાજકોટમાં એક જ રાતમાં 12 કોરોનાના દર્દીઓના મોત, વધુ 42 પોઝિટિવ આવ્યા

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોના 975 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 542 દર્દીઓ હાલ કોરોનાની સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર દ્વારા પણ કોરોના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલના સહારે આવી છે. રાજકોટમાં 13 જેટલી નવી ખાનગી હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.

રાજકોટમાં એક જ રાતમાં 12 કોરોનાના દર્દીઓના મોત, વધુ 42 પોઝિટિવ આવ્યા
રાજકોટમાં એક જ રાતમાં 12 કોરોનાના દર્દીઓના મોત, વધુ 42 પોઝિટિવ આવ્યા

જેમાં હવેથી કોરોનાના દર્દીઓ સારવાર લઈ શકે છે. જ્યારે ત્રણ જેટલી નવી કોરોનાના ટેસ્ટ માટેની લેબોરેટરી પણ રાજકોટમાં મંજૂર કરવામાં આવી છે. અનલોક 2માં રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.