ETV Bharat / state

કુતિયાણાના ધ્રુવાળા ગામે વન વિભાગના ડેપો પાસે ગ્રામજનોએ કર્યો ઘેરાવ

પોરબંદર: કુતિયાણાના ધ્રુવાળા ગામે વન વિભાગના ઘાસડેપોમાંથી ટ્રક મારફત ઘાસચારો દ્વારકા જિલ્લા તરફ મોકલવામાં આવતો હતો. તે દરમિયાન ધ્રુવાળા સહીત આસપાસના કેટલાક ગામના લોકોએ આ ટ્રકને અટકાવ્યો હતો અને નજીકના ગામોમાં ઘાસનું વિતરણ કર્યા બાદ જ અન્યત્ર ઘાસચારો મોકલવા રજૂઆત કરી હતી. જો કે, બાદમાં વહીવટીતંત્ર અને વન વિભાગની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

author img

By

Published : May 2, 2019, 11:26 AM IST

વન વિભાગના ડેપો પાસે ગ્રામજનોએ કર્યો ઘેરાવ

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધ્રુવાળા ગામે વન વિભાગનો ઘાસ ડેપો આવેલો છે. હાલમાં કુતિયાણા તાલુકામાં વરસાદ ન પડવાના લીધે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. કુતિયાણા નજીકના ગામડાના માલધારીઓ પાસે પશુઓને ખવડાવા ઘાસચારો ન હોવાને કારણે આ વિસ્તાર 20થી વધુ માલધારી પોતાના પશુ લઇ હિજરત કરી ચુક્યા છે. આ તાલુકાના ધ્રુવાળા, હેલાંબેલી, ટીબી નેસ સહીત આસપાસ ગામડાના આગેવાનો દ્વારા છેલ્લા છ મહિનાથી કલેકટર અને મામલતદારને લેખિતમાં આ વિસ્તારમાં ઘાસચારો આપવા રજૂઆત કરી હતી.

વન વિભાગના ડેપો પાસે ગ્રામજનોએ કર્યો ઘેરાવ

ઘાસચારો આપવામાં આવે તો હિજરત થતા અટકે અને તેઓના પશુઓના જીવ બચી શકે, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જયારે આજે આ ઘાસ ડેપો ખાતેથી દ્વારકા વિસ્તાર અછતગ્રસ્ત જાહેર કરાયો હોવાથી ટ્રક મારફત અહીંથી ઘાસચારો મોકલવામાં આવતો હતો. જેથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. આથી, આજે ટ્રક દ્વારકા તરફ રવાના થતી હતી તે દરમિયાન મહિલાઓ સહીતના ગ્રામજનો વન વિભાગના ઘાસ ડેપોની બહાર બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી અને બાદમાં વન વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા જણાવ્યું હતું અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધ્રુવાળા ગામે વન વિભાગનો ઘાસ ડેપો આવેલો છે. હાલમાં કુતિયાણા તાલુકામાં વરસાદ ન પડવાના લીધે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. કુતિયાણા નજીકના ગામડાના માલધારીઓ પાસે પશુઓને ખવડાવા ઘાસચારો ન હોવાને કારણે આ વિસ્તાર 20થી વધુ માલધારી પોતાના પશુ લઇ હિજરત કરી ચુક્યા છે. આ તાલુકાના ધ્રુવાળા, હેલાંબેલી, ટીબી નેસ સહીત આસપાસ ગામડાના આગેવાનો દ્વારા છેલ્લા છ મહિનાથી કલેકટર અને મામલતદારને લેખિતમાં આ વિસ્તારમાં ઘાસચારો આપવા રજૂઆત કરી હતી.

વન વિભાગના ડેપો પાસે ગ્રામજનોએ કર્યો ઘેરાવ

ઘાસચારો આપવામાં આવે તો હિજરત થતા અટકે અને તેઓના પશુઓના જીવ બચી શકે, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જયારે આજે આ ઘાસ ડેપો ખાતેથી દ્વારકા વિસ્તાર અછતગ્રસ્ત જાહેર કરાયો હોવાથી ટ્રક મારફત અહીંથી ઘાસચારો મોકલવામાં આવતો હતો. જેથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. આથી, આજે ટ્રક દ્વારકા તરફ રવાના થતી હતી તે દરમિયાન મહિલાઓ સહીતના ગ્રામજનો વન વિભાગના ઘાસ ડેપોની બહાર બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી અને બાદમાં વન વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા જણાવ્યું હતું અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

LOCATION _PORBANDAR 

કુતિયાણાના ધ્રુવાળા ગામે વન વિભાગ ના ડેપો પાસે ગ્રામજનો એ કર્યો ઘેરાવ

કુતિયાણા ના ધ્રુવાળા ગામે વન વિભાગ ના  ઘાસડેપો માંથી ટ્રક મારફત ઘાસચારો દ્વારકા જીલ્લા તરફ મોકલવામાં આવતો હતો તે દરમિયાન  ધ્રુવાળા સહીત આસપાસ ના કેટલાક ગામ ના લોકો એ આ ટ્રક અટકાવ્યા હતા અને નજીક ના ગામો માં ઘાસ નું વિતરણ કર્યા બાદ  જ અન્યત્ર ઘાસચારો મોકલવા રજૂઆત કરી હતી જો કે બાદ માં વહીવટીતંત્ર અને વન વિભાગ ની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધ્રુવાળા ગામે વન વિભાગ નો  ઘાસ ડેપો આવેલ છે હાલ માં કુતિયાણા તાલુકા માં વરસાદ ન પડવાના લીધે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે કુતિયાણા નજીક ના ગામડાના  માલધારીઓ  પાસે  પશુઓ  ને ખવડાવા ઘાસચારો ન  હોવાને કારણે આ વિસ્તાર 20 થી વધુ માલધારી પોતાના પશુ લઇ હિજરત કરી ચુક્યા છે .આ તાલુકાના ધ્રુવાળા , હેલાંબેલી,ટીબી નેસ સહીત આસપાસ ગામડા ના આગેવાનો દ્વારા  દ્વારા છેલ્લા છ મહિના થી કલેકટ અને મામલતદાર ને લેખિત  માં આ વિસ્તાર માં ઘાસચારો આપવા રજૂઆત  કરી હતી આ વિસ્તાર મોટી સંખ્યામાં માલધારી લોકો વસવાટ કરે છે જે હિજરત  કરી રહ્યા છે જો ઘાસ ચારો આપવામાં આવે તો હિજરત  થતા અટકે અને તેઓના  મૂંગા પશુઓના  જીવ બચી શકે.પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જયારે આજે આ ઘાસ ડેપો ખાતે થી દ્વારકા વિસ્તાર અછતગ્રસ્ત જાહેર કરાયો હોવાથી ટ્રક મારફત અહીંથી ઘાસચારો મોકલવામાં આવતો હતો જેથી ગ્રામજનો માં રોષ જોવા મળતો હતો આથી આજે ટ્રક દ્વારકા તરફ રવાના થતી હતી તે દરમિયાન  મહિલાઓ સહીત ના ગ્રામજનો વન વિભાગ ના ઘાસ ડેપો ની બહાર બેસી ગયા હતા અને  અને વિરોધ નોંધાવ્યો હતો બનાવ ની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી અને બાદ માં વન વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનો ને  યોગ્ય જગ્યા એ રજૂઆત કરવા જણાવ્યું હતું અને સમજાવટ થી   મામલો થાળે પાડ્યો હતો આ સમગ્ર ઘટના નું  કવરેજ કરવા ગયેલ મીડિયાકર્મીઓ સામે વન વિભાગ ના કેટલાક કર્મચારીઓ એ તાનાશાહી બતાવી હતી અને તેઓના કેમેરા છીનવી લેવામાં આવ્યા હતા અને  વનવિભાગ ના ગાર્ડ દ્વારા અભદ્ર વ્યવહાર કરવામાં  આવ્યું હતું 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.